ગુજરાતમાં કોરોનાનો આઠમો કેસ પોઝિટિવ, શ્રીલંકાથી પરત આવેલા વડોદરાના પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો વડોદરામાં ત્રીજો કેસ પોઝિટિવ આવ્યો છે. શ્રીલંકાથી પરત આવેલા 52 વર્ષિય વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સયાજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો. આર.બી. શાહે જણાવ્યું હતું કે, શહેરના નિઝામપુરા વિસ્તારનો 52 વર્ષિય પુરૂષ શ્રીલંકાથી પરત ફર્યો હતો. અને તા.19 માર્ચના રોજ સયાજી હોસ્પિટલમાં તપાસ માટે આવ્યો […]

શરદી, ઉધરસ, કફ દૂર કરવા માટે ઘરે જ બનાવો ઉકાળો અચૂક મળશે રાહત, જાણો અને શેર કરો

પહેલાના સમયથી આયુર્વેદ તરીકે ઉપયોગમાં લેવાતી તુલસી સ્વાસ્થ્યની સાથે સુંદરતા માટે ખૂબ ફાયદાકારક છે. તુલસી શરદી, તાવ તેમજ ઉધરસ જેવી સમસ્યા માટે ઉપયોગીમાં માનવામાં આવે છે હાલ કોરોના વાયરસને કારણે દુનિયાભરમાં હાહાકાર છે. ત્યારે તમે શરદી, ઉધરસ જેવની સમસ્યા દૂર કરી શકો છો. એવામાં આજે અમે તમારા માટે તુલસીના ઉકાળાની રેસીપી લઇને આવ્યા છીએ. જે […]

કોરોનાને કારણે ઈટલીમાં મરનારા 99 ટકા લોકોમાં એક વાત કોમન નીકળી, જાણો વિગતે

ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોના મોત થયા છે. ઈટલીની નેશનલ હેલ્થ ઓથોરિટીની એક સ્ટડી અનુસાર મરનારાઓમાંથી 99 ટકા લોકોમાં એક વાત સામાન્ય જોવા મળી છે. ઈટલીમાં કોરોના વાયરસના સંક્રમણના અત્યાર સુધીમાં 36 હજાર મામલાઓ સામે આવી ચૂક્યા છે. ચીન બાદ કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા ઈટલીમાં વધારે છે. અન્ય દેશોની તુલનામાં ઈટલીમાં […]

ઇતિહાસની સૌથી દુ:ખદ તસવીર સામે આવી: ઇટાલીમાં કબ્રસ્તાનમાં જગ્યા ન બચતાં સૈન્યની ટ્રકોમાં શબ બહાર મોકલાયાં

ચીન બાદ ઈટાલીમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર વર્તાયો છે. આ જીવલેણ વાયરસનો ભોગ બનનારાઓની સંખ્યા ત્યાં મોટા પ્રમાણમાં છે. ઈટાલીની કેટલીક એવી તસવીરો સામે આવી છે જે જોઈને લોકોના હ્રદય હચમચી ગયા છે. કોરોનાથી જીવ ગુમાવનારા લોકોના મૃતદેહ લશ્કરના ટ્રકમાં લઈ જવામાં આવ્યા છે. આ તસવીર પરથી ત્યાં થયેલી તારાજીનો અંદાજ આવે છે. બુધવારે […]

ઇટલીમાં 1 જ દિવસમાં 475ના મોતથી હાહાકાર, ઇટલીમાં પીડિતોનો મૃત્યુદર મોટો પ્રશ્ન? સામે આવ્યા ચોંકાવનારા કારણો

ચીનના વુહાન પ્રાંતથી નીકળ્યા બાદ કોરોના વાયરસે દુનિયાના કોઇ ખૂણામાં જો ભયાનક તબાહી મચાવી હોય તો તે ઇટલી છે. લગભગ ત્રણ સપ્તાહથી આ ખતરનાક વાયરસ મોત બનીને ફરી રહ્યું છે અને દિવસે-દિવસે ઇટલીમાં થનાર મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ઇટલીમાં અત્યાર સુધીમાં 35713 કેસ સામે આવ્યા છે અને 2978 લોકોના મોત થઇ ચૂકયા છે. […]

માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સે 751 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી, તેમનું ફાઉન્ડેશન રસી વિકસિત કરવામાં પણ સહાય કરશે

માઈક્રોસોફટના ફાઉન્ડર બિલ ગેટ્સે કહ્યું છે કે બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોનાવાઈસ સામે ટક્કર આપવા કટિબદ્ધ છે. બુધવારે સોશિયલ મીડિયા પર ગેટ્સે વાઈરસનો પ્રતિકાર કરવા માટે 100 મિલિયન ડોલર(751 કરોડ રૂપિયા)ની મદદની જાહેરાત કરી છે. પોતાના શહેર વોશિંગ્ટન માટે 50 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ગેટ્સે કહ્યું કે તેમનું ફાઉન્ડેશન વિશ્વભરમાં કોરોનાની […]

અંબાજી-સોમનાથ સહિત ગુજરાતના તમામ મોટા મંદિરો બંધ, પરીક્ષાઓ મોકૂફ, મહારાષ્ટ્ર જતી એસ.ટી.બસ પણ બંધ કરાઈ

સમગ્ર વિશ્વ હાલ કોરોનાની ઝપટમાં આવી ગયું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ મોટા મંદિરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો 20 માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી […]

એક જ જગ્યા પર બે પુત્રો બાદ પિતાનું પણ અકસ્માતમાં થયું મોત, બે-બે વિધવા પુત્રવધુ પરથી છત્રછાયા છીનવાઈ

નવસારીના જલાલપોર નજીકના અબ્રામા ગામે હિટ એન્ડ રનમાં એક વૃધ્ધનું કરુણ મોત નીપજ્યું હતું. બુધવારની રાત્રે ઈકો કાર ચાલકે વૃધ્ધ મનુદાદાને અડફેટે ચઢાવી લગભગ 50 ફૂટ દૂર સુધી ઘસડી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત મનુદાદાને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતાં. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. લોકોમાં નવાઈ એ […]

22થી 29 માર્ચ સુધી ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની એન્ટ્રી બંધ, બાળકો અને મોટી ઉંમરના લોકોને ઘરમાં રહેવાની સલાહ

દેશમાં કોરોનાવાયરસના લીધે 4 મોત થયા બાદ સરકારે એડવાઇઝરી આકરી કરી નાખી છે. પ્રવાસ સાથે જોડાયેલા અમુક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. સરકારે ગુરૂવારે નિર્ણય લીધો કે 22 માર્ચથી દેશમાં કોઇ પણ ઇન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર ફ્લાઇટને આવવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ પ્રતિબંધ એક અઠવાડિયા માટે રહેશે. સરકારે 10 વર્ષથીઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારેની […]

ગુજરાતમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 3, વડોદરામાં 2 પોઝિટિવ, 1 સુરત અને એક રાજકોટ

ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા ગઈકાલે 2 હતી તે એક દિવસમાં જ વધીને આજે 5થઈ ગઈ છે. અમદાવાદમાં એક જ દિવસમાં 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં 2મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાના એક યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાંથી એક યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે બીજી […]