વેરાવળમાં બીડી આપવાની ના પાડતાં પિતા-પુત્રનો યુવક પર તલવાર વડે હુમલો, વચ્ચે પડેલી માતાને પણ ન છોડી

લોકડાઉનના ત્રીજા તબક્કામાં પણ ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. તો પાન-મસાલાના બંધાણીઓ બેબાકળા બનીને બમણી કિંમતે નશો કરી રહ્યા છે. તો બીજી બાજુ નશો ન મળતાં તેઓ હુમલાઓને પણ અંજામ આપી રહ્યા છે. વેરાવળમાં બીડી આપવાની ના પાડતાં પિતા-પુત્રએ એક યુવક પર તલવાર વડે હુમલો કર્યો હતો. યુવકની માતા વચ્ચે પડતાં […]

‘સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે, 1 મહિના સુધી સુરત પરત નહીં ફરી શકે’ ટૂંક સમયમાં નિર્ણય કરાશે

રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પોતાના બુલેટિનમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો માટે મહત્વના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જે લોકો વતનમાં જવા માંગે છે, તેમને મંજૂરી આપવા સરકારની વિચારણા ચાલી રહી છે. પરંતુ શ્રમિકો પોતાના ગામે જઈ રહ્યા છે, ત્યાં ગામમાં […]

HIV, SARS જેવા રોગોમાં કારગત નીવડેલી રેમડેસિવીર દવા કોરોના સંક્રમણની ઝડપ ઘટાડવામાં ઉપયોગી, અમેરિકાએ આપી મંજુરી

સોમવારે સાંજે અમદાવાદના એક કોરોના સંક્રમિત, જે HIV પોઝિટિવ પણ હતા એ સઘન સારવાર પછી સાજાં થયાના સમાચાર છે ત્યારે સમાંતરે બીજા આશાસ્પદ સમાચાર એ છે કે HIVની સારવાર માટે વપરાતી Remdesivir મેડિસિન કોરોના સંક્રમણનો પ્રસાર રોકવામાં પણ ઉપયોગી નીવડે છે એવો દાવો વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્ઝ કમિશનરે પણ આ […]

શહીદ મેજર અનુજના પિતાએ કહ્યું- દીકરાએ તેની ફરજ નિભાવી, દુખ તો એ વહુનું છે જે અઢી વર્ષ પહેલા આ ઘરમાં આવી

હંદવાડા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર અનુજ સૂદના પિતા રિટાયર્ડ બ્રિગેડિયર ચંદ્રકાંત સૂદને જ્યારે એકમાત્ર પુત્રની શહીદીના સમાચાર મળ્યા તો તેમની આંખોમાંથી આંસૂ છલકાવા લાગ્યા. ત્યારબાદ મનને સંભાળ્યું, આખોં લૂછીને કહ્યું કે દીકરાએ તેની ફરજ નિભાવી. તે દેશને કામ આવ્યો. દુખતો એ વહુનું છે જ અઢી વર્ષ પહેલા આ ઘરમાં આવી. વાતચીતમાં શહીદના પિતા માત્ર આટલું […]

કોરોના કહેર વચ્ચે કાશ્મીરમાં 48 કલાકમાં બીજો આતંકી હુમલો, CRPFના 3 જવાન થયા શહીદ

કોરોનાના કહેર વચ્ચે પણ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને નિશાન બનાવવું ભુલ્યા નથી. હજી તો હંદવાડમાં ગઈ કાલે થયેલા હુમલાને 48 કલાક પણ નથી થયા ને આતંકીઓએ સીઆરપીએફની ટીમને નિશાન બનાવી છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 3 જવાન શહીદ થયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આતંકવાદીઓએ આજે […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 પોઝિટિવ કેસ, આજે 29ના મોત સાથે મૃત્યુઆંક 319 અને કુલ દર્દી 5,804 થયા

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ 1 કપ તજનું પાણી પીવો, દ્રાક્ષ ખાઓ, 8 કલાકની ઊંઘ લો અને નિયમિત કસરત કરો: ન્યુટ્રિશનિસ્ટ

કોરોના સામે લડવા રોગપ્રતિકારક શકિત વધારવા દરરોજ પાણી, દૂધ અને જ્યૂસ સહિત ચાર લિટર લિક્વિડની સાથે ફેફસાને મજબૂત બનાવવા ‘પ્લમોનરી રિહેબિલાઇઝેશન’ પર ડોકટરો ભાર મૂકી રહ્યા છે. એપોલો હોસ્પિટલનાં ન્યુટ્રિશનિસ્ટ ડો. ઇસ્વાકી પટેલ જણાવે છે કે, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે લીંબુ, સરગવો, રોજ 1 કપ તજનું પાણી, દ્વાશ, કોબિજ અને મેથીની ભાજીનો વધુ ઉપયોગ […]

રાજકોટમાં પોલીસે દુકાનદારને ધમકાવી દુકાનનું તાળું ખોલાવ્યું, તમાકુ, સિગારેટ અને સોપારીનો કોથળો ભરી લઈ ગઈ

લૉકડાઉનની કપરી સ્થિતિમાં પોલીસના બે સ્વરૂપ જોવા મળ્યા છે. એક તરફ તે નિરાધાર લોકોની મદદે આવી છે તો બીજી તરફ રસ્તા પર નાના રેકડીવાળાઓ પર રોફ જમાવી રહી છે. આવી કર્ફ્યૂ ભરી સ્થિતિમાં એમનું સારૂં-નરસું વર્તન સતત ચર્ચામાં રહ્યું છે. રાજકોટ શહેરમાં પોલીસ પાન-મસાલાના બંધાણીઓ સામે આંખ લાલ કરી રહી છે. પરંતુ, બંધાણીઓને શ્રેણીમાં કેટલાક […]

પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાથી 74 વર્ષના વૃદ્ધનું થયું મોત, હોસ્પિટલે સારવારનું 16 લાખનું બિલ ફટકાર્યું

કોરોનાના દર્દીઓથી સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, અને પ્રાઈવેટ હોસ્પિટલો તેના માટે કલ્પના ના કરી શકાય તેટલા ચાર્જ વસૂલી રહી છે. તેવામાં મધ્યમ વર્ગની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. મુંબઈમાં સામે આવેલી એક ઘટનામાં એક વ્યક્તિને કોરોનામાં ના માત્ર પોતાના 74 વર્ષીય પિતાને ગુમાવવા પડ્યા, પરંતુ પ્રાઈવેટ હોસ્પિટલનું 16 લાખ રુપિયાનું તગડું […]

સુરતમાં લોકડાઉન હોવા છતા મસ્જિદમાં નમાઝ માટે એકઠા થયેલા 9 લોકોની કરાઈ ધરપકડ

કોરોનાના સંક્રમણને અટકાવ માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને કોરેન્ટાઇનની સૂચના હોવા છતા માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના સુરતના નાનપુરા વિસ્તરમાં નમાઝ માટે એકત્ર થયાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે 9 લોકોની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]