સુરતમાં છ મહિનાથી કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા, કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર થયા હાજર

કોરોના દર્દીઓની (corona patient) સેવામાં સમર્પિત તબીબ દંપતિ (doctor couple) અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં બંન્ને રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છ મહિનાથી ફરજ બજાવી રહ્યાં છે. ડો.દિશા અણદાણી કોરોના દર્દીઓની સારવાર દરિમયાન સંક્રમિત થયા હતા. 14 દિવસ ખાનગી હોટેલમાં કોરેન્ટાઇન રહી કોરોનાને મ્હાત […]

ગુજરાત માટે ગરબાની મંજૂરી ઘાતક નીવડશે, ડોક્ટર્સોની કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની ચીમકી

ડોક્ટર્સ ગરબાની મંજૂરીના વિરોધમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે. ત્યારે તેમને સરકારને ચીમકી આપી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે ગરબાના કારણે કોરોના સંકર્મિત થનારની સારવાર નહીં કરીએ. ગરબાની મંજૂરીની વાતને લઈ ડોક્ટર્સ નારાજ થયા […]

જૂનાગઢના છોડવડીગામે ભારે વરસાદના કારણે 15થી વધુ વિઘામાં કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે ખેતરમાં સળગીને કર્યો આપઘાત

સામાન્ય રીતે આર્થિક ભિંસના કારણે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ છાસવાર બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે. જ્યાં 15થી 20 વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના ભેસાણ […]

દારૂબંધીને લઈને શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, ગાંધી અને સરદારના નામે બહુ થયું. હવે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઇએ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દારૂને લઈને બાપુએ વિવાદનો મધપૂડો છછેડયો છે. બાપુએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું હવે દારૂબંધી હટાવવીએ સમયની માંગ છે. નવસારીયો અને ગુણવત્તા વિહીન દારૂ પીવાથી અનેક પરિવારના મોભીના મોત થયાની વાત […]

GSTના લેણા પેટેના 12 હજાર કરોડ નહીં ચૂકવીને કેન્દ્રનો ગુજરાત સાથે અન્યાય, કોરોનામાં 90 દિવસમાં ગુજરાતનું આર્થિક ચિત્ર ખુલ્લું પડ્યું

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે, કોરોના મહામારીમાં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક પાયમાલી થઈ છે. કોરોનાના ૯૦ દિવસમાં ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું પડી ગયું છે, રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે, ખુદ […]

સુરતમાં મહિલાઓ બની રણચંડી: રાજકીય પાર્ટીના બે નેતાઓને મહિલાઓએ ઓફિસમાં ઘૂસી માર માર્યો, જુઓ વીડિયો

સુરત શહેરમાં મહિલાઓ રણચંડી બની હોઇ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં એક પાર્ટીની ઓફિસમાં બેસેલા પ્રમુખ પર મહિલાઓ જાણે આભ બનીને તુટી હોઇ તેવા વિડયો સામે આવ્યા છે. આ મહિલાઓએ પાર્ટીના પ્રમખ પર મહિલાઓના શોષણનો આક્ષેપ લગાવી તેને માર મારવાની શરૂઆત કરી હતી. જોતા જોતા મહિલાઓના હાથમાં જે આવતું હતું તે એ યુવાનને મારતા […]

ગતિશીલ ગુજરાતના આ ગામની હાલત છે દયનીય, દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવા પડે છે…

પોશીના તાલુકાના ગણવા ગામના જાંબુડી ફળીયામાં ૮૦૦થી વધારે લોકો માટે પાકા રસ્તાના અભાવે દર્દીને કપડાંની ઝોળીમાં દવાખાને લઈ જવાય છે. દેશભરમાં ગુજરાત મોડલ અને જ્યોતિ ગ્રામ યોજનાની શરૂઆત કરનાર ગુજરાત રાજ્યના અંતરિયાળ ગામોની દુર્દશાથી લોકો બેહાલ બન્યા છે. ગુજરાતને ગતિશીલ ગણવામાં આવે છે. દર વર્ષે થતા વાઇબ્રન્ટના આંખો આંજી દેતા કાર્યક્રમો થકી આ રાજ્ય આખા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1344 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,10,971 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1344 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 110971એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3183એ પહોંચ્યો છે. […]

વજન ઘટાડવા માટે શું કરવું? વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ વજન ઘટાડવા 5 વાત સમજાવી, સાથે જ મેથીના દાણાનો ઘરેલું પ્રયોગ બતાવ્યો

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેદસ્વિતા અંગેનો એક વીડિયો શેર કર્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલી મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે. જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવે તો ચોક્કસ મેદસ્વિતાથી બચી શકાય છે. સાથે જ વજન ઘટાડવા માટે તેમણે મેથીના દાણાનો ઘરેલું પ્રયોગ પણ બતાવ્યો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, […]

ગરીબ લોકોના ઘરોને તોડવાની નોટીસના મામલે આપનો ભાજપને જવાબ: જ્યાં સુધી કેજરીવાલ જીવિત છે, કોઈનું ઘર નહીં તૂટે

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, ભાજપ ઝૂંપડી વાળા વિસ્તારોમાં નોટીસ લગાવી રહ્યું છે જેમાં લખેલું હોય છે કે તેમનાં ઘરને તોડી પાડવામાં આવશે. આપ સરકારે ખોલ્યો ભાજપ સામે મોરચો, ગરીબ લોકોના ઘરોને તોડવાની નોટીસ લગાવતા હોવાનો આક્ષેપ, આમ આદમી પાર્ટીએ કહ્યું જ્યાં સુધી કેજરીવાલ જીવિત, કોઈ ઘરને ઉજ્જડ થવા […]