ગરીબ લોકોના ઘરોને તોડવાની નોટીસના મામલે આપનો ભાજપને જવાબ: જ્યાં સુધી કેજરીવાલ જીવિત છે, કોઈનું ઘર નહીં તૂટે

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે, ભાજપ ઝૂંપડી વાળા વિસ્તારોમાં નોટીસ લગાવી રહ્યું છે જેમાં લખેલું હોય છે કે તેમનાં ઘરને તોડી પાડવામાં આવશે.

આપ સરકારે ખોલ્યો ભાજપ સામે મોરચો, ગરીબ લોકોના ઘરોને તોડવાની નોટીસ લગાવતા હોવાનો આક્ષેપ, આમ આદમી પાર્ટીએ કહ્યું જ્યાં સુધી કેજરીવાલ જીવિત, કોઈ ઘરને ઉજ્જડ થવા નહિ દેવાય

આ મુદ્દે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ ભાજપને જવાબ આપતા કહ્યું હતું કે જ્યાં સુધી કેજરીવાલ જીવતા છે ત્યાં સુધી કોઈ પણ ગરીબોને તેમના ઘરથી વિખૂટા પાડી શકશે નહિ. તેમણે કહ્યુ હતું કે આ મામલે તેઓ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવા જઈ રહ્યા છે.

શું કહ્યું હતું આમ આદમી પાર્ટીએ ?

આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાત કહી હતી સાથે જણાવ્યું હતું કે ભાજપ ગરીબ લોકોના વિસ્તારોમાં નોટીસો લગાડી રહ્યું છે જેમાંલાખેલું હોય છે કે તેમના મકાનોને તોડી પાડવામાં આવશે. આ નોટીસ માનવતાની વિરુદ્ધમાં છે અને બંધારણીય રીતે પણ ગેરકાયદે છે. હું આપ તમામને કહેવા માંગું છું કે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ જીવતા છે ત્યાં સુધી કોઈ પણ ગરીબનું ઘર તુટવા દેશે નહિ.

હું નોટીસને ફાડી રહ્યો છું : રાઘવ ચડ્ઢા

રાઘવ ચડ્ઢાએ આ સાથે એમ પણ કહ્યું હતું કે તે આ નોટિસને ફાડી રહ્યા છે, અને દરેક ગરીબ લોકો જે ઝૂપડીમાં વસવાટ કરે છે ને કહેવા માંગે છે કે તેમનો મોટો પુત્ર અરવિંદ કેજરીવાલ હજી જીવિત છે અને જ્યાં સુધી તેઓ છે, કોઈ ગરીબના ઘરને ઉજડવા નહિ દે, તેઓ હંમેશા ગરીબોના હિતોની રક્ષા માટે ઉભા રહેશે, પછી ભલેને કંઈ પણ થઈ જય પરંતુ કોઈના ઘરને ઉજડવા નહી દેવાય

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો