કોગ્રેસના સમયમાં કોઇ યોજના આવતી તો લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો: પાટીલ

કોગ્રેસના સમયમાં કોઇ પ્રજાલક્ષી યોજના આવતી ન હતી જે પણ યોજના આવે તો તેના માટે લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો હતો તેવા ચાબખા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આજે વ્યારા ખાતેની મુલાકાતમાં પેજ સમિતીના સભ્યોને સંબોધતા કર્યા હતા.

સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે,કોગ્રેસના સમયમાં કોઇ પ્રજાલક્ષી યોજના આવતી ન હતી. જે પણ યોજના આવે તો તેના માટે લાભાર્થીઓને દલાલોનો સંપર્ક કરવો પડતો હતો, પરંતુ કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે હવે લાભાર્થીઓને પૈસા સિધા તેમના ખાતામાં જમા થાય છે.

હજુ વધુમાં વધુ જરૂરિયાત મંદ લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ અપાવવા હાંકલ કરી. સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે,રાજ્યમાં કુપોષિત બાળકોને સુપોષણ કરવા આપણા PM નરેન્દ્રભાઇ મોદી સાહેબે હાંકલ કરી અને આપણા ગુજરાતમાં કોઇ બાળક કુપોષિત ન રહે તે માટે ભારતીય જનતા પાર્ટીના

કાર્યકર ઓછામાં ઓછા એક કુપોષિત બાળકને દત્તકે લેશે અને તેને સુપોષીત આહાર આપવો.

જરૂર પડે તો ડોકટરની સલાહ અપાવવાની વ્યવસ્થા કરવાની જવાબદારી નિભાવશે જેથી રાજ્યમાં કોઇ બાળક કુપોષિત ન રહે તેની ચિંતા આપણે કરીએ તેમ જણાવ્યું. દક્ષિણ ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને નવસારી સહીતના વિસ્તારોમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું સારું પ્રભુત્વ રહેલું છે જેથી આજે તેમને વ્યારા ખાતેથી તેમના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો છે. જ્યાે તેમને કોંગ્રેસ પર આ રીતે આકરા પ્રહારો કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો