પાકિસ્તાની મહિલા પ્રેમ માટે ગેરકાયદે અમદાવાદ આવી, 4 માસ અગાઉ પતિનું કોરોનાથી થયું મોત, આ રીતે ભાંડો ફુટતાં હવે જેલમાં!

કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા હોતા નથી. અત્યાર સુધી ફિલ્મોમાં જોયું હશે પણ આવી એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. જ્યાં પ્રેમમાં પાગલ પાકિસ્તાની મહિલા લગ્ન માટે ભારતની સરહદ ગેરકાયદે પાર કરી ભારતમાં ઘુસી આવી હતી. પણ ચાર મહિના અગાઉ કોરોનામાં તેનાં પતિનું મોત નિપજ્યું હતું. અને ગેરકાયદે વસવાટ મામલે જાણકારી મળ્યા બાદ પોલીસે […]

લાખોમાં પગાર હોવા છતાં સાદગીથી જીવી વતનનું ઋણ અદા કરતા અમૃતભાઈ પટેલ: ગામ લોકોએ અમૃત પટેલને અભ્યાસમાં મદદ કરતાં રેલવેના પાઈલોટ બન્યાં, હવે ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરી સાદગીથી જીવે છે

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભરાના અમૃત પટેલનો રેલવેમાં પોણા બે લાખ પગાર છે. રેલવેમાં પાઈલોટ તરીકે સેવારત આ કર્મચારીને તેમના ભણવા માટે મદદ કરી હતી અને તેઓ નોકરીએ લાગ્યા ત્યારથી પોતાના પગારનો મોટાભાગનો હિસ્સો ગામના તેજસ્વી વિદ્યાર્થીઓ પાછળ ખર્ચીને સાદગીપૂર્ણ જીવન જીવે છે. સોશિયલ મીડિયામાં આ પોસ્ટ હાલ ખૂબ વાયરલ થઈ છે. આ પોસ્ટ […]

રાજકોટમાં આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં રાત્રે આગ લાગતા કોરોનાના 5 દર્દી ભડથું, 1ની હાલત ગંભીર

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1560 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,03,509 થયો

ગુજરાતમાં ફરીથી કોરોના (Covid 19) નો હાહાકાર જોવા મળી રહ્યો છે. અને રાજ્યમાં કોરોનાનાં કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના (Gujarat Corona) નાં રેકોર્ડબ્રેક 1560 કેસ નોંધાયા […]

જો તમને કાનમાં ઓછું સંભળાતું હોય તો કરી લો આ 5 દેશી ઉપચાર, બહેરાશને દૂર કરવા માટે અસરકારક છે આ ઘરેલૂ ઉપાય

કાન એ આપણા શરીરનું અમૂલ્ય અંગ છે. માનવ શરીરમાં કુદરતે જે ઈન્દ્રિયો આપી છે તે પૈકીની એક ઈન્દ્રિય-શ્રવણ છે. આ શ્રવણશક્તિ જો કોઈ પણ વ્યક્તિ ગુમાવી બેસે તો તેને બહેરાશ આવી કહેવાય. બહેરાશને અત્યાર સુધી અવગણવામાં આવતી હતી, પણ આજે એવું નથી રહ્યું. બહેરાશને દૂર કરવાની અનેક દવાઓ અને સર્જરીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. પણ […]

શિયાળામાં બાજરાના રોટલા ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો આ ગરમાગરમ વાનગી, મળશે અઢળક ફાયદા

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમે બાજરી ખાવાની શરૂઆત કરી હશે પણ શું તમે તેના રોટલા સિવાય કોઈ નવી ચીજ ટ્રાય કરી છે. આજે અમે તમારા માટે બાજરી મેથીના ઢેબરાંની રેસિપી લાવ્યા છીએ. આ બંને ચીજો શિયાળામાં શરીરને માટે લાભદાયી રહે છે. તો જાણો બાજરી ખાવાથી કયા ફાયદા મળે છે. બાજરી-મેથીનાં ઢેબરાં સામગ્રી 11/2 […]

ગાંધીનગરમાં મોડી રાત્રે થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો, એક યુવકનું મોત, એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો.

રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાના સીટીટીવી દ્રશ્યો (CCTV Footage Gandhinagar) પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકો વચ્ચે મારામારી થઈ […]

ભાવનગરના સિહોરની હચમચાવી નાખતી ઘટના: પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

ભાવનગર જિલ્લામાં દેવદિવાળીએ જ કરૂણ ઘટના સામે આવી છે. જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે એક પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની ઇન્સાઇડ સ્ટોરી જાણીને આંચકો લાગે તેવી હકિકતો સામે આવી રહી છે. જોકે, આ આપઘાત કરનાર યુગલ 35વર્ષની ઉંમરનું જ હતું જેથી તેમના બાળકો નિરાધાર થઈ ગયા છે. […]

‘તારા બાપનો રોડ છે ?’ રાજકોટમાં લારીધારકનો PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી આપ્યો મેથીપાક

રાજકોટમાં કાલે નાનામવા રોડ પર શાસ્ત્રીનગર પાસે ફ્રુટની રેકડી હટાવવા ગયેલા એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર પર એક રેકડીધારકે છરી વડે હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયા હતા તેનો હાથ પણ ભાંગી ગયો હતો. દબાણ હટાવ શાખાની પૂરી ટીમ એક શખસથી ડરતી હોય તેમ આ શખસે સરાજાહેર છરી સાથે બેફામ ગાળાગાળી કરી સતત ત્રીસ મિનીટ સુધી સેંકડો […]

જમીનનો હક્ક પાછો મેળવવા 65 વર્ષના વૃદ્ધ ખેડૂતે સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કાઢી મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી પરંતુ ન્યાય ન મળતા હવે છેક દિલ્હી સુધીની યાત્રાનો પ્રારંભ કર્યો

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અરસીભાઈ રામ પોતાની જમીનના હક્ક મેળવવા માટે છેલ્લા 18 વર્ષથી લડત લડી રહ્યા છે. આ અંગે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમનાથથી દિલ્હી સુધી સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળ્યા છે. પોતાના હક્કની જમીન મેળવવા તેઓ દિલ્હી સુધી સાઈકલ પર જશે […]