ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1560 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,03,509 થયો

ગુજરાતમાં ફરીથી કોરોના (Covid 19) નો હાહાકાર જોવા મળી રહ્યો છે. અને રાજ્યમાં કોરોનાનાં કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના (Gujarat Corona) નાં રેકોર્ડબ્રેક 1560 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 1302 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.

રાજ્યમાં અત્યાર સુધીનાં સૌથી વધારે કેસ નોંધાયા

ગુજરાતમાં આજે કોરોનાનાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જો જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરમાં 180 કેસ એકનું મોત, રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં 28, મહિસાગરમાં 26, દાહોદમાં 23 કેસ, ભરૂચ-કચ્છમાં 21-21, અમરેલીમાં 20 કેસ, મોરબી-સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17 કેસ કેસ નોંધાયા હતા.

આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,03,509 પર પહોંચ્યો છે. અને સાજા થવાનો કુલ આંક 1,85,058 પર પહોંચ્યો છે. રાજ્યનો સાજા થવાનો દર 90.93 ટકા છે. હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,529 પર પહોંચી છે. જેમાં 92 લોકો વેન્ટિલેટર પર છે અને 14,439 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 3922 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 12 દર્દી, સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં 1 એમ કુલ 16 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો