ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: આજે કોરોનાનાં 29 કેસો નોંધાયા, એક પણ દર્દીનું મોત થયુ નથી, 61 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં 4 કેસ વધ્યા છે. ગઇ કાલે 24 કોરોના કેસ નોંધાયા હતા ત્યાં જ આજે કોરોના વાયરસના 29 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જોકે રિકવરી રેટ 98.73 ટકાએ પહોંચી ગયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. ત્યાં જ આજે રાહતના સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી. ત્યાં જ રાજ્યમાં વેક્સિનેશનનો આંક 3 કરોડને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 3,01,57,642 ડોઝ અપાયા છે. પ્રથમ ડોઝમાં 2,31,39,251 લોકોને અપાયો છે. બીજો ડોઝ 70,18,391 લોકોને અપાયો છે.

અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,076 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. બીજી તરફ આજે વધુ 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,059 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 411 દર્દી સારવાર હેઠળ છે. નાજુક સ્થિતિના કારણે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે ત્યાં જ આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. અમદાવાદ કોર્પોરેશન 6, સુરત કોર્પોરેશન 4, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 3, દાહોદ 2, જામનગર 2, બનાસકાંઠા 1, ડાંગ 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, કચ્છ 1, નવસારી 1, સાબરકાંઠા 1, સુરેન્દ્રનગર 1 કેસ નોંધાયા છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 411 પહોંચી ગઈ છે. જ્યારે નાજુક સ્થિતિના કારણે કુલ 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 406 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.73% એ આવી ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો