કોંગ્રેસના MLAનો CM રૂપાણીને પત્ર: ‘દીકરી ગમે તેટલી ભણેલી હોય લગ્ન નોંધણી સમયે મા-બાપની મંજૂરી ફરજિયાત લેવામાં આવે’

ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા અંગે ધારાસભ્ય અને સાંસદ માગ કરી રહ્યા છે, ત્યારે આજે વધુ એક ધારાસભ્યએ કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિનો કાયદો લાવવાની માગ કરી છે. સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માગ કરી છે. ‘મુખ્યમંત્રીને લખેલા પત્રમાં ચંદનજી ઠાકોરે લખ્યું કે સમગ્ર ગુજરાતમાં જે […]

કેરળની 21 વર્ષીય આર્યા બની દેશની સૌથી યુવા મેયર, થિરવનંતપુરમના મેયર તરીકે લેશે શપથ

કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરુવનંતપુરમથી જીતનારી CPI(M)ની આર્યા રાજેન્દ્રનને પાર્ટીએ તિરુવનંતપુરમની મેયર માટે પસંદ કરી છે. 21 વર્ષની આર્યા પદ સંભાળતાંની સાથે જ દેશની સૌથી યુવા મેયર બની જશે. હાલ તેને BSCનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી. તે સેકન્ડ યરમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આર્યા સૌથી યુવા કેન્ડિડેટ હતી. તેઓએ UDFની શ્રીકલાને 2872 વોટથી હરાવી. […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 910 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,40,105 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 1000થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 910 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 910 Corona Positive […]

શિયાળામાં પગની પાની ફાટી જાય તો ઘરે બનાવેલુ આ ફુટ ક્રીમ છે રામબાણ ઇલાજ, જાણો અને શેર કરો

શિયાળાની ઋતુને Winter Care: લીધે, ત્વચા તેનો ભેજ ગુમાવવાનું શરૂ કરે છે, જેના કારણે પગની એડીઓ ફાટવા લાગે છે. ક્યારેક ક્યારેક તો ફાટેલી એડીમાંથી લોહી નીકળે છે અને ખુબજ દર્દ થાય છે. ફાટેલી એડી મટાડવા તમે શિયાળામાં કેટલીક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો. જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે. ઘરે પેડિક્યોર કરો જો તમે તમારા […]

રાજકોટ શહેરમાં સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો, યુવકે સતત 12 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ

રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ તેમજ 12 દિવસ સુધી શારીરિક સબંધ બાંધી તરછોડી મૂકનાર આરોપીની કુવાડવા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે કુવાડવા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.વાળા એ જણાવ્યું હતું કે, કુવાડવા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ અંતર્ગત રાજકોટના બારવણ ગામે રહેતા અને ખેતી […]

વાલીઓ ખાસ ધ્યાન આપો: નવા શૈક્ષણિક સત્રથી 4 વર્ષ પૂરાં થયાં હોય તેવાં બાળકોને જ જુનિયર કે.જી.માં મળશે પ્રવેશ

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયાં હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે. શિક્ષણ વિભાગે ધોરણ-1માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ એની અસર વર્તાશે. બાળક ચાર વર્ષ કરતાં નાનું હશે અને તેને […]

ગૌતમ ગંભીર 1 રૂપિયામાં જરૂરિયાતમંદ લોકોને જમવાનું આપશે, ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કિચન શરૂ કર્યું

ગૌતમ ગંભીરે ગુરુવારે ‘એક આશા જન રસોઈ’ નામથી કમ્યુનિટી કિચન શરૂ કર્યું છે, જે 1 રૂપિયામાં દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને બપોરે જમવાનું આપશે. આ અવસરે ગંભીરે કહ્યું હતું કે વ્યક્તિની પહેલી જરૂરિયાત ખોરાક છે. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ભૂખ્યા ન સૂવે. અમે આગામી દિવસોમાં દિલ્હીના બીજા વિસ્તારોમાં 5થી 6 કિચન ખોલીશું. બીજું કિચન […]

અમદાવાદમાં એજ્યુકેટેડ બે સગા ભાઈએ દારૂ બનાવવાનો ધંધો શરૂ કર્યો, અંગ્રેજી દારૂનું કારખાનું ઝડપાતા ચકચાર

૩૧મી ડિસેમ્બર ને લઈને અમદાવાદ શહેર પોલીસ બુટલેગરો અને દારૂ પીવા ઉપર જવાય બોલાવવા માટે સજ્જ થઇ ગઇ છે. ત્યારે આજે અલિસબ્રિજ વિસ્તારમાંથી એક અંગ્રેજી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અમદાવાદ પીસીબીને બાતમી મળી હતી કે, અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવટી દારૂ બનાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શ્રેયસ ક્રોસિંગ […]

વડોદરામાં 17 વર્ષની નંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ થતાં હાર્ટ, લંગ્સ, કિડની, ચક્ષુ અને લિવરનું દાન કર્યું, 7 અંગના દાનનો વડોદરામાં પ્રથમ કિસ્સો

વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર કરવામાં આવેલી હાલોલની કિશોરીનાં હાર્ટ, ફેફસાં, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. હાર્ટ દિલ્હી અને ફેફસાં મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિ.મી.નું અંતર 8 મિનિટમાં કાપ્યું હતું, અંગોને હરણી વિમાની મથકે પહોંચાડવામાં […]

વાળીનાથ ધામના મહંત અને રબારી સમાજના ગુરુ બળદેવગીરી બાપુનું નિધન, રબારી સમાજમાં શોકનો માહોલ

વિસનગરના તરભ સ્થિત સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડાના મહંત બળદેવગીરી બાપુ (Mahant Baldevgiri Bapu)નું નિધન થયું છે. તેઓની તબિયત નાજુક બનેલી હતી. તેમના નિધનથી અનુયાયી સહિત રબારી સમાજમાં દુઃખનું મોજું છવાયું છે. અનુયાયીઓની પ્રાથના હતી કે, નવનિર્મિત મંદિરમાં શિવ પંચાયતની પ્રતિષ્ઠા બાપુના હસ્તે જ થાય, પણ આ પ્રાથના પૂરી થઈ શકી નહીં. અમિત શાહ […]