31ની મધ્યરાત્રિથી ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ ચુકવવો પડશે, અગાઉ જેમને ટોલ માફી હતી એવા સ્થાનિક વાહનોને પણ હવે માસિક 275નો કન્શેસન પાસ કઢાવવો પડશે

1લી જાન્યુઆરીથી વાહનચાલકો માટે ફાસ્ટટેગ ફરજિયાત છે. સોનગઢના માંડણ ટોલનાકા પર કેશ લાઈનો બંધ થઈ જશે, અને પસાર થશે તો ડબલ ટોલ ભરવો પડશે, હાલ ટોલનાકા પરથી 60 ટકા વાહનો ફાસ્ટેગવાળા પસાર થાય છે, 40 ટકા વાહનો કેશ ભરતા હતા, ફાસ્ટેગ ફરજિયાત હોવાથી 20 કિમિની ત્રીજીયામાં રેહતા સ્થાનિક ગામડાઓના વાહન ચાલકોએ પણ રાહત દરનો પાસ […]

પતિએ હાથ સેનિટાઈઝ કરી તવા પરથી પરાઠું લીધું ને લાગી આગ, આગ બુઝાવવાના પ્રયાસમાં નિચે રહેલું કેરોસીનનું કેન ઢોળાઈ ગયું અને આગ વધુ લાગી, 7 વર્ષની બાળકી સહિત ત્રણનાં મોત

સેનિટાઈઝર કર્યા બાદ આગ પાસે ન જવાની વાતો તો ઘણીવાર સાંભળવામાં આવી છે, પણ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય અને ત્રણ લોકોની જીવ ગયા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી છે. પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા પછી તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો અને લાગી આગ. આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા ગઈ તો તેની સાડીમાં […]

આણંદની અપરા હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ નીકળી જતાં દર્દીએ બેલ માર્યો પણ નર્સ ન આવી, તબીબે ફોન ન ઉપાડ્યોઃ ઓક્સિજન ન મળતા આખરે દર્દી મૃત્યુ પામ્યા

આણંદ શહેરની નામાંકિત અને અદ્યતન સુવિધાઓથી સજ્જ ડો.અજય કોઠીયાલાની અપરા હોસ્પિટલમાં કોરોનાના દર્દીની ઓક્સિજનની પાઈપ છૂટી પડી ગઈ હતી. કોરોનાના દર્દી ભુપેન્દ્ર પટેલનું ઓક્સિજન લેવલ અતિશય ઘટી જતાં તરફડીયા મારી રહેલા દર્દીએ હોસ્પિટલનો એલર્ટ બેલ પણ દબાવ્યો છતાં હાજર સ્ટાફ અને ફરજ ઉપરના ડોક્ટર દ્વારા સમયસર સારવાર ન મળતા દર્દીનું મોત થયું હતું. જેને પગલે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,40,995 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચ્યા બાદ હવે કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ગત કેટલાક દિવસોથી સતત ઘટાડો થઇ રહ્યો છે જે એક રાહતના સમાચાર છે. આજે તો કોરોનાનાં 900થી ઓછા કેસ સામે આવ્યા છે. આજે કોરોનાનાં ચેપના ફેલાવાના ગ્રાફમાં 890 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 890 Corona Positive […]

છાતીમાં કફનો ભરાવો, ઘૂંટણનો દુખાવો અને તાવની રામબાણ દવા છે અજમો, આ રીતે કરો અજમાના દેશી ઉપાય

લગભગ બધાંના ઘરમાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમામાંથી મળતાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયોડીન, કેરોટીન જેવા તત્વો અનેક રીતે ફાયદો કરે છે. અજમાનું પાણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. આ સાથે જ અજમાનું પાણી પણ અનેક રીતે લાભકારી છે. એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે અજમો […]

શિયાળામાં રોજ લીલું લસણ ખાવાથી આ ગંભીર રોગો થઈ જશે દૂર, બહુ જ ફાયદાકારક છે લીલું લસણ

લસણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે તે વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. પણ શિયાળામાં મળતું લીલું લસણ આરોગ્ય માટે સૌથી વધુ લાભકારક છે. રોજની ડાયટમાં લીલું લસણ ખાવું જ જોઈએ. લીલું લસણ શિયાળાનું બેસ્ટ હર્બ પણ કહેવાય છે. લીલાં લસણમાં અમુક ખાસ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો રહેલાં હોવાથી તે અનેક રોગો સામે […]

ડિપ્રેશનમાં ગયેલા લોકોની વાત સાંભળવા 22 વર્ષના એન્જિનિયરિંગ સ્ટૂડન્ટની અનોખી પહેલ, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’

પુણે શહેરના ફરગ્યુસન કોલેજ રોડ પર 22 વર્ષનો એક એન્જિનિયરિંગનો વિદ્યાથી એક પ્લેકાર્ડ લઈને ઊભો રહે છે. જેના પર લખવામાં આવ્યું હોય છે, ‘તમે મને તમારી સ્ટોરી જણાવો, હું તમને 10 રૂપિયા આપીશ.’ તે જોઈને ત્યાંથી પસાર થતા લોકોની નજર થોડીક સેકન્ડ માટે તેના પર રોકાય જાય છે અને ચાલીને જતા લોકોના સ્પીડ આપોઆપ જ […]

રાજકોટ જિલ્લામાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના સગીરે આપઘાત કરી લીધો, માતા-પિતાએ દીકરો ગુમાવતા રડી-રડીને હાલત ખરાબ

રાજકોટ શહેર અને જિલ્લામાં આપઘાત અને આપઘાતના પ્રયાસ ના બે બનાવો સામે આવ્યા છે. એક બનાવમાં મોબાઈલમાં ગેમ રમવાની ના પાડતા 13 વર્ષના યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જ્યારે કે બીજા બનાવમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન માતા એ ઘરની બહાર નીકળવાની ના પાડતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટ જિલ્લામાં એક […]

પતિની અંતિમયાત્રાની તૈયારી વેળાએ જ પત્નીનું મૃત્યુ, કલોલની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું

કલોલની પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં બીજું મોત થયું છે. મંગળવારે બનેલી ઘટનામાં 27 વર્ષીય અમિત દવેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે તેનાં પત્ની પિનલબેન અને દાદી હંસાબેન દાઝી જતાં અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં, જ્યાં ગુરુવારે સારવાર દરમિયાન પિનલબેનનું પણ મોત થયું હતું. ઘરમાં બ્લાસ્ટ સમયે રસોડામાં કામ […]

કોરોના નિયમોનો ભંગ થતાં પ્રથમવાર પોલીસ સમૂહ લગ્નમાં ત્રાટકી, અમરેલીના ચાંદગઢમાં 18 જાન લીલાતોરણેથી પાછી ફરી, કન્યાઓ વિદાય પહેલાં રડી પડી

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામે કોળી એકતા દળ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. પરંતુ આ માટે તંત્રની જરૂરી પરમિશન લેવાઇ ન હતી. સવારમાં 18 વરરાજા જાન લઇને પરણવા પહોંચી ગયા હતા. પરંતુ લગ્ન થાય તે પહેલાં જ પોલીસ ત્રાટકી હતી. જેથી તમામ લગ્ન અટકી પડ્યા હતા. અને તમામ 18 જાન લીલા તોરણે પાછી ફરી હતી. તાલુકા […]