હેવાનીયતની હદ પાર કરતો કિસ્સો આવ્યો સામે: મજુર મજદૂરીના પૈસા માંગવા ગયો તો પ્રાઈવેટ પાર્ટમાં એર કોમ્પ્રેસરની હવા ભરી દીધી, સારવાર બાદ મજૂરનું થયું મોત

ક્રશર પર કામ કરતાં મજૂરને ખબર નહોતી કે તે મજૂરી માંગીને પોતાના મોતને પોકારી રહ્યો છે. ક્રશર ઇન્ચાર્જે મજૂર સાથે એવી હેવાનીયત કરી કે કોઈ વિચારી પણ ન શકે. હેવાન બનેલા ઈન્ચાર્જે મજૂરના ગુપ્તાંગમાં એર કોમ્પ્રેસરથી હવા ભરી દીધી, જેના કારણે મજૂર મરી ગયો. ઘટના બાદ દોઢ મહિના હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ આખરે મજૂરનું […]

ભરૂચમાં પોલીસકર્મીએ જ માસ્ક પહેર્યા વિના ફ્રૂટની લારીઓ પર દંડાવાળી કરી, પોલીસની કામગીરી સામે વેપારીઓ અને સ્થાનિક લોકોમાં આક્રોશ

ભરૂચ બાયપાસ રોડ પર પોલીસકર્મીએ માસ્ક પહેર્યા વિના જ ફ્રૂટની લારીઓ પર દંડવાળી કરી હતી. જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું પાલન કરાવવા નીકળેલી ભરૂચ બી ડિવિઝન પોલીસના જવાનો જ ગળામાં માસ્ક લટકાવીને કાર્યવાહી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી સામે […]

ઝાડવાવાળા બાપા તરીકે ઓળખાતા પર્યાવરણના સાચા રક્ષક પ્રેમજીભાઇ પટેલનું નિધન; 45 વર્ષમાં 1 કરોડ વૃક્ષો વાવ્યા, 2500 ચેકડેમ, 5 હજારથી વધુ વરસાદી પાણીના ટાંકા બનાવ્યા

પર્યાવરણ ક્ષેત્રે ઝાડવાવાળા બાપાની ઓળખ ઉભી કરનાર ઉપલેટાના પ્રેમજીભાઇ પટેલનું 25મી ડિસેમ્બરની સાંજે અમદાવાદમાં 90 વર્ષની ઉંમરે નિધન થયું હતું. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર પરિવારની હાજરીમાં અમદાવાદમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બાપાની અંતિમ ઇચ્છા હતી કે તેમના અંતિમસંસ્કારમાં લાકડું બાળવામાં ના આવે. એટલે જ તેમણે જીવતેજીવ ઉપલેટામાં એક ખાડો ખોદાવી […]

નાના વેપારીઓને નુકસાન ન થાય તે માટે ગુજરાત રાજપુત કરણી સેનાએ રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 11થી સવારના 6 સુધી રાખવા CMને અપીલ કરી

કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકારે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કર્યો છે. પરંતુ ગુજરાત રાજપુત કરણી સેનાએ રાત્રિ કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવા માગણી કરી છે. ગુજરાત રાજપુત કરણી સેનાએ નાના વેપારીઓને નુકસાન ન પહોંચે તે માટે ચાર મહાનગરોમાં રાત્રિ […]

રાજકોટમાં 10 વર્ષથી ઓરડીમાં ‘કેદ’ વેલ એજ્યુકેટેડ બે ભાઈ અને બહેનને બારણું તોડી બહાર કઢાયા, અધોરી જેવી થઈ ગઈ હતી જટાઓ

રાજકોટના કિસાનપરા ચોકમાં ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. કિસાનપરા ચોક શેરી નં.8માં સાથી સેવા ગ્રુપ દ્વારા આશરે 10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા બે ભાઈ અને એક બહેનને બહાર કઢાયા છે. LLB બી.કોમ અને સાયકોલોજીનો અભ્યાસ કરી ચૂકેલા બે ભાઈ અને એક બહેનની માનસિક સ્થિતિ ખરાબ થઈ હતી. આથી પોતાની જાતને આશરે 10 વર્ષ સુધી […]

માત્ર સરગવો જ નહી તેના સર્વોત્તમ બી પણ છે ફાયદાકારક, શરીર માટે છે ખૂબ જ ગુણકારી, તેના ફાયદા જાણો અને શેર કરો

સરગવાની શિંગનું શાક સ્વાદિષ્ટ હોય છે અને લગભગ બધાના ઘરે બને છે. આપણે સૌ આ શાકથી સારી રીતે પરિચિત છીએ. સરગવાની શિંગ ઉપરાંત આ વૃક્ષનાં ફૂલ, પાન અને બીજ પણ ઉપયોગી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તો દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમાં કુપોષણથી પીડાતી પ્રજાના ડાયટમાં કોઈ પણ રીતે સરગવો ઉમેરવાની સલાહ આપી છે. છેલ્લા થોડા સમયથી […]

શિયાળામાં રોજ ખાલી પેટ આ 5 વસ્તુઓ ખાઈ લો, સામાન્યથી લઈને ગંભીર બીમારીઓ તમારી પાસે પણ નહીં આવે

શિયાળામાં ઘણી વસ્તુઓ એવી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. જેમાંથી કેટલીક વસ્તુઓ એવી છે જેને સવારે ખાલી પેટ ખાવામાં આવે તો જબરદસ્ત ફાયદા મળે છે. આ વસ્તુઓ સવારે ખાલી પેટ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. બ્રેકફાસ્ટમાં પ્રોટીન અને પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી અહીં જણાવેલા ફૂડ્સ તમે શિયાળામાં […]

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી, ભર શિયાળે મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવ્યા

સુરત શહેરમાં શર્મનાક ઘટના સામે આવી છે જેમા મોટા વરાછા ખાતે ગરીબોના ઝૂંપડાં સળગાવી ફૂંકી માર્યા છે. આ ઝૂંપડાં એટલા માટે સળગાવી દેવામાં આવ્યા કે અહીંના સ્થાનિકોની બિલ્ડીંગ સામે આ ઝૂંપડાં અસોભનિય લાગતા હતા. આવું કહી 30થી 40 લોકોના ટોળાએ આ ઝૂંપડાંઓ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધા હતા. આ મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ […]

અમદાવાદનો યુવાન નૌકાદળમાં અધિકારી તરીકે જોડાતા માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું

ગુજરાતના હોનહાર યુવાઓને N.C.C. અને N.S.S. જેવી રાષ્ટ્રનિર્માણ અને દેશસેવાની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે તમામ પ્રોત્સાહન આપી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા ગુજરાતના તટવર્તી અને સીમાવર્તી ક્ષેત્રોમાં NCC યુનિટ પણ વધારવામાં આવી છે.તેવા સમયે અમદાવાદના સેડ્રિક સિરિલે N.C.C.ના માધ્યમથી ભારતીય નૌકાદળમાં અધિકારી તરીકે જોડાઇને માતૃભૂમિ ગુજરાત અને ગુજરાતીઓને અપાર ગૌરવ અપાવ્યું છે. સેડ્રિકની આ સિદ્ધિ […]

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમીનો રાજસ્થાનના ઝાલોરમાં અકસ્માત, દુર્ઘટનામાં ત્રણ જૈન અગ્રણીનાં ઘટનાસ્થળે જ મોત

કૂતરાને બચાવવા જતાં બનાસકાંઠાના જીવદયાપ્રેમી ભરતભાઈ કોઠારીનું અકસ્માતમાં મોત થયું છે. રાજસ્થાન ઝાલોર-બાબરા હાઈવે પર ભાગલી પાઉં નજીક ભયાનક અકસ્માત થતાં જૈન સમાજના ત્રણ અગ્રણી એવા ભરત કોઠારી(ડીસા), રાકેશ ધારીવાલ(જોધપુર, રાજસ્થાન), વિમલ બોથરા(બાડમેર, રાજસ્થાન)ના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 4 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ગુજરાતમાં વ્યવસાય કરતા જોધપુરના રાકેશ ધારીવાલ, બાડમેરના વિમલ બોથરા […]