Browsing category

સમાચાર

શું કોરોના વાયરસ દ્વારા ચીનના કાવતરાનો ભોગ બની આખી દુનિયા? જુઓ આ રહ્યા પુરાવા

કોરોના વાયરસને લઈને ચીન સમગ્ર દુનિયા સામે વારંવાર જૂઠ્ઠાણું ચલાવે છે. ચીને તો અમેરિકા ઉપર જ વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી દીધો તો ક્યારેક ઈટાલીને જવાબદાર ઠેરવી દીધુ. પોતાની ભૂલ છૂપાવવા માટે ચીને અનેક કાવતરા ઘડી નાખ્યાં. પરંતુ આજે અમે તમને આ રિપોર્ટના માધ્યમથી એવી જાણકારી આપી રહ્યાં છીએ કે જેને જાણીને દરેક જણ દંગ રહી […]

કોરોના વાયરસના સંક્રમણનો ગઢ બન્યુ અમેરિકા, પોઝિટિવ કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી, ઈટાલીમાં એક દિવસમાં 969 લોકોના મોત

કોરોના વાઈરસે વિશ્વભરના મોટાભાગના દેશોને ભરડામાં લીધા છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા છ લાખેપહોંચી ગઈ છે.તેમાં ત્રણ લાખથી વધારે કેસ યુરોપમાં છે. વિશ્વભરમાં મૃત્યાઆંક 27365 થયો છે. અત્યાર સુધીમાં 1 લાખ 33 હજાર 300 લોકને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકાની અંદર કોરોના વાઈરસના 1 લાખ 4 હજાર 205 કેસ નોંધાયા […]

બે મહિનામાં વિદેશથી ભારત આવેલા 15 લાખ લોકો પર નજર ન રાખી, જેથી કોરોનાનું જોખમ વધ્યું

છેલ્લા 2 મહિનામાં વિદેશથી 15 લાખથી વધુ લોકો ભારત આવ્યા પણ તેમની તપાસમાં બેદરકારી રખાઇ. તેના કારણે દેશમાં કોરોના વાઇરસ (કોવિડ-19)નો ચેપ રોકવાના પ્રયાસો સામે ગંભીર જોખમ ઊભું થયું છે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પાઠવેલા પત્રમાં આમ જણાવ્યું છે. પત્રમાં લખ્યું છે કે આ વર્ષે 18 જાન્યુઆરીથી 23 માર્ચ […]

લોકડાઉનમાં પ્રેગ્નેન્ટ મહિલા માટે ‘દેવદૂત’ બનેલા પોલીસકર્મીના નામ પરથી મહિલાએ દીકરાનું નામ પાડ્યું ‘રણવિજય ખાન’

કોરોનાના ખતરાને જોતાં સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના લીધે ઘરમાં બંધ લોકોને અમુક બાબતોની મુશ્કેલી થઈ રહી છે. ત્યારે આ સમય દરમિયાન અમુક એવા ‘કર્મવીર’ છે જેમની પ્રશંસનીય કામગીરી ચહેરા પર સ્મિત લાવી દેશે. આવો જ એક કિસ્સો છે તમન્ના અને તેના પતિ અનીસ ખાનનો. મુસ્લિમ તમન્ના અલીને હિંદુ […]

રાજકોટમાં શિકાગોથી આવેલી યુવતી હોમ ક્વૉરન્ટાઇનમાંથી ફરાર

ગુજરાતમાં કોરોના વાયરસને (Coronavirus) કારણે લોકોમાં લૉકડાઉનની (Lockdown) સ્થિતિ લોકો ધીરે ધીરે સમજી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં શીકાગોથી આવેલી યુવતીને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવી હતી. તે યુવતી અમીનમાર્ગ પર આવેલ કિંગ્સ હાઇટ્સમાં આવેલા તેના ઘરમાંથી ફરાર થઇ ગઇ છે. આ યુવતી સામે માલવીયા નગરમાં IPC 269,270,271,188 તેમજ એપિડેમીક ડીસીઝ એક્ટ 1897 ની કલમ 3 હેઠળ […]

શિરડી સાંઈબાબા ટ્રસ્ટે મુશ્કેલીના સમયમાં કોરોના વાયરસ સામે લડવા રૂ.51 કરોડનું દાન આપ્યું

દેશ અને સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને કહેર વધી રહ્યો છે. ભારતમાં આ સંખ્યા વધીને 700થી વધારે થઈ ગઈ છે અને દેશમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 100થી વધારે સંક્રમિત દર્દીઓ છે. સંકટના આ સમયમાં એક તરફ નેતા, અભિનેતા અને જાણીતી હસ્તીઓ પોતાનાથી શક્ય તેટલું દાન કરી રહ્યા છે. આ વચ્ચે સાંઈબાબા ટ્રસ્ટે કોવિડ-19 સામે લડવા માટે 51 કરોડ […]

રાજકોટના ડોક્ટરનું છલકાયું દર્દ, ‘અમને પણ પરિવાર ઘરમાં પૂરાઈ રહેવા કહે છે, પણ અમે તમારા માટે લડીએ છીએ’ ‘અમારી સામે શંકાની નજરે ન જુઓ, તિરસ્કાર ન કરો, ઘર ખાલી કરાવવા ન કહો’

ગુજરાતમાં ચારે બાજુ હાલ કોરોનાની દહેશત જોવા મળી છે. કોરોના પગલે ક્લોઝડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં ઠેર-ઠેર સોસાયટીઓમાં પણ તાળાબંધી કરી દેવામાં આવી છે. અને લોકોને બહાર જવા દેવામાં આવતાં નથી. પણ આ વચ્ચે મેડિકલ સ્ટાફ કે જે કોરોના સામે જંગ લડી રહ્યો છે તેમને હેરાનગતિ શરૂ થઈ ગઈ છે. તેવામાં રાજકોટના એક ડોક્ટરે સોશિયલ […]

સુરતમાં મહિલાએ સેવા એજ સંકલ્પના સૂત્રને સાર્થક કરતાં પોલીસ અને નિરાધાર લોકોને નાસ્તો-ટિફિન આપી માનવતા મહેકાવી

સેવા એજ સંકલ્પના સૂત્ર સાથે સુરતના એક એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્ની સુખ-દુઃખના પ્રસંગોમાં ઘુન વગાડી ભેગા થતા લોક ફંડમાંથી 7 વૃદ્ધોના ભરણ-પોષણની જવાબદારી ઉપાડી રહી છે. એટલું જ નહીં પણ હાલ કોરોના જેવી માહામારીના સંકટ વચ્ચે રોડ ઉપર ઉભા રહી લોક ડાઉનનું પાલન કરાવતા અને ફૂટપાર્થ ઉપર જીવન જીવતા નિરાધાર લોકોને લિંબુપાણી અને ઘરનો બનેલો ગરમ […]

કોરોના સામેની જંગમાં ‘બાહુબલી’ પ્રભાસનો મોટો ફાળો, દાનમાં આપ્યા 4 કરોડ રૂપિયા

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દુનિયાભરમાં લોકડાઉન છે. ભારતમાં પણ 21 દિવસના લોકડાઉન દરમિયાન સંક્રમણના નંબરો વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્રિટી એક પછી એક કોરોના સામે જંગ લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે. અને હવે તેવામાં બોલિવૂડના બાહુબલી અને તેલુગુના સુપર સ્ટાર પ્રભાર પણ મોટી જાહેરાત કરી છે. કોરોના […]

ગુજરાતમાં કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 53એ પહોંચ્યો, 5 એપ્રિલ સુધી વધશે કેસ: આરોગ્ય સચિવ

ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. વડોદારમાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ […]