Browsing category

સમાચાર

હવે ખુલશે કોરોના વાઈરસનું રહસ્ય?: ડરથી અમેરિકા ભાગેલી ચીની વૈજ્ઞાનિકે કહ્યું: ‘પુરાવા આપીશ…કોરોના ચીને જ બનાવ્યો’

દુનિયામાં કોરોના નામની મહામારી ફેલાઈ છે અને તે મહામારી ચીને ફેલાવી છે તેવો સમગ્ર વિશ્વનો દાવો છે. ચીનથી ડરીને અમેરિકા ભાગનાર એક વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે કે, બીજિંગે જ કોરોના વાઈરસ તૈયાર કર્યો છે અને મહામારી છૂપાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. ડૉ. લી મેંગ યાને કહ્યું છે કે, તે એવા પુરાવા રજૂ કરશે જેનાથી સાબીત […]

શિવસેનાએ હવે શરમ નેવે મુકી: નેવીના પૂર્વ અધિકારી સાથે મારઝુડ કરતાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ લાલઘુમ

મુંબઈના સમતા નગરમાં નેવીના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે શિવસેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી મારપીટને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. એક તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનાને લઈને ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે બીજી બાજુ કેન્દ્રીય રક્ષામંત્રીએ પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મદન શર્મા સાથે […]

હવે ગરીબ બાળકોની મદદ કરશે સોનુ સૂદ, માતાના નામે સ્કોલરશિપની જાહેરાત કરી, ગરીબ બાળકોનો અભ્યાસ અને રહેવા-જમવાનો ખર્ચ ઉપાડશે

લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી શ્રમિકો અને દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા લોકોને ઘરે પહોંચાડનારો સોનુ સૂદ હવે ગરીબ બાળકોની મદદ કરશે. તેણે પોતાની માતાના નામે સ્કોલરશિપ શરુ કરી છે. તે ગરીબ બાળકોને અભ્યાસ માટે આપવામાં આવશે. એક વાતચીત દરમિયાન સોનુએ જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાક મહિનામાં મેં જોયું કે, ગરીબોને તેમના બાળકોના અભ્યાસ માટે ઘણી સ્ટ્રગલ કરવી […]

35 વર્ષની ઉંમરે અનુરાધા પૌડવાલના દીકરા આદિત્યનું નિધન, લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડિત હતો

સિંગર અનુરાધા પૌડવાલના પુત્ર આદિત્ય પૌડવાલનું નિધન થયું છે. તે ફક્ત 35 વર્ષના હતો. આદિત્ય ઘણા સમયથી કિડનીની તકલીફથી પરેશાન હતો. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ સંગીત જગત માટે ખરાબ સમાચાર છે. કિડની ફેલ થવાના કારણે આદિત્યનું મોત નીપજ્યું છે. આદિત્યની અણધારી વિદાયને કારણે પૌડવાલ પરિવાર પર દુખોનો પહાડ તુટી પડ્યો છે. વર્ષ 2020 […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1365 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,12,336 થયો

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સૌથી વધુ 1365 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 112336એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3198એ […]

સુરતમાં છ મહિનાથી કોરોના દર્દીઓની સેવામાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા, કોરોનાને મ્હાત આપી ફરી ફરજ પર થયા હાજર

કોરોના દર્દીઓની (corona patient) સેવામાં સમર્પિત તબીબ દંપતિ (doctor couple) અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં બંન્ને રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છ મહિનાથી ફરજ બજાવી રહ્યાં છે. ડો.દિશા અણદાણી કોરોના દર્દીઓની સારવાર દરિમયાન સંક્રમિત થયા હતા. 14 દિવસ ખાનગી હોટેલમાં કોરેન્ટાઇન રહી કોરોનાને મ્હાત […]

ગુજરાત માટે ગરબાની મંજૂરી ઘાતક નીવડશે, ડોક્ટર્સોની કોરોના સંક્રમિત ખેલૈયાઓની સારવાર નહીં કરવાની ચીમકી

ડોક્ટર્સ ગરબાની મંજૂરીના વિરોધમાં પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સરકારને જણાવ્યું છે કે ગરબાની મંજૂરી ગુજરાત માટે ઘાતક નિવડી શકે છે. ત્યારે તેમને સરકારને ચીમકી આપી છે કે જો ગરબાની પરમિશન આપવામાં આવી તો અમે ગરબાના કારણે કોરોના સંકર્મિત થનારની સારવાર નહીં કરીએ. ગરબાની મંજૂરીની વાતને લઈ ડોક્ટર્સ નારાજ થયા […]

જૂનાગઢના છોડવડીગામે ભારે વરસાદના કારણે 15થી વધુ વિઘામાં કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે ખેતરમાં સળગીને કર્યો આપઘાત

સામાન્ય રીતે આર્થિક ભિંસના કારણે ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓ છાસવાર બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે. જ્યાં 15થી 20 વિઘામાં વાવેલા કપાસનો પાક નિષ્ફળ જવાના ડરના કારણે ખેડૂતે ખેતરમાં સરગીને આત્મહત્યા કરી હતી. આ મામલેને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના ભેસાણ […]

દારૂબંધીને લઈને શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, ગાંધી અને સરદારના નામે બહુ થયું. હવે ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવી જોઇએ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે દારૂને લઈને બાપુએ વિવાદનો મધપૂડો છછેડયો છે. બાપુએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, ગુજરાતમાં દર એક કિલો મીટરે દારૂ મળે છે. ગાંધી, સરદારના નામે બહુ થયું હવે દારૂબંધી હટાવવીએ સમયની માંગ છે. નવસારીયો અને ગુણવત્તા વિહીન દારૂ પીવાથી અનેક પરિવારના મોભીના મોત થયાની વાત […]

GSTના લેણા પેટેના 12 હજાર કરોડ નહીં ચૂકવીને કેન્દ્રનો ગુજરાત સાથે અન્યાય, કોરોનામાં 90 દિવસમાં ગુજરાતનું આર્થિક ચિત્ર ખુલ્લું પડ્યું

ભાજપ સરકારમાં નાણાંકીય પ્રબંધન, નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવો, જાહેરાતો અને બિનહેતુકીય ખર્ચાના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે, કોરોના મહામારીમાં આયોજન વિનાના લોકડાઉનના કારણે મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક પાયમાલી થઈ છે. કોરોનાના ૯૦ દિવસમાં ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખુલ્લું પડી ગયું છે, રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે, ખુદ […]