લૉકડાઉનમાં સરપંચની માનવસેવાની સુવાસ: ગામનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન ઉંઘે તે માટે સરપંચે ઘરેણા ગીરવે મૂકી ગામના ગરીબોને સહાય કરી

કોરોના વાયરસની સંક્રમણની ચેઇન તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો જે જગ્યા પર છે તેમને ત્યાં જ રહેવાનું સુચના આપવામાં આવતા રોજનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળતા ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા […]

કોરોના સામેની લડાઈમાં રાજકોટની જ્યોતિ CNCએ 10 દિવસમાં જ ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવી દીધું, પ્રથમ 1000 વૅન્ટિલેટર્સ દાનમાં આપશે

કોરોના વાઈરસથી વિશ્વભરમાં ફેલાયેલી મહામારી સામેની લડતમાં ગુજરાતે આજે એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વદેશી બનાવટના વેન્ટિલેટરનું ફક્ત 10 દિવસમાં નિર્માણ કરી દેખાડ્યું છે. ધમણ-1 નામના આ વેન્ટિલેટરની ખાસિયત એ છે કે તેના બધા પાર્ટ્સ સ્વદેશી છે અને તેની પડતર ફક્ત રૂ. 1 લાખ […]

કોરોના પર કાબુ મેળવ્યા બાદ ચીનનું આવી બનશે? ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કરી શરૂઆત

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને WHO અને સંયુક્ત રાષ્ટ્રને ચીનમાં ચાલી રહેલા વેટ માર્કેટ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, વેટ માર્કેટ એક વાસ્તવિક સમસ્યા છે, અહીંથી જ કોરોના વાયરસનો ઉદભવ થયો હતો. મોરિસને કહ્યું હતું કે, ચીનમાં આવેલા વેટ માર્કેટના કારણે જ ત્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે. વેટ માર્કેટ જ એ […]

મુંબઈ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફનાં 11 જવાનોનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ચકચાર

કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 2300થી વધારે કેસ સામે આવી ચુક્યા છે અને 56 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. હવે સીઆઈએસએફનાં જવાન પણ આની ઝપટમાં આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફ(CISF)નાં 11 જવાનોનાં કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. 11માંથી 4નાં રિપોર્ટ ગુરુવારનાં પોઝિટિવ આવ્યા હતા આ 11માંથી […]

સુરતની મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા તો જુઓ, 9 માસનો ગર્ભ હોવા છતાં લૉકડાઉનમાં સેવા ચાલુ રાખી

કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ આ મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે. એટલું જ નહીં પણ આવી જીવલેણ બીમારી સામે સ્વચ્છતા અને જાગૃતતાની જ જીત થતી હોવાનું જણાવી રહી છે. સંયુક્ત પરિવારમાં રહેતી ધોરણ 7 પાસ આ મહિલા સફાઈ કર્મચારી […]

હવા એટલી સાફ થઈ ગઈ છે કે જલંધરથી 200 કિમી દૂર આવેલા હિમાલયના બર્ફીલા પહાડ દેખાવા લાગ્યા!

કોરોનાવાઈરસના પ્રતાપે દેશભરમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી સડક, રેલ અને હવાઈ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ છે. તેના પ્રતાપે દેશમાં પ્રદૂષણના સ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તેની અમુક પોઝિટિવ સાઈડ ઈફેક્ટ્સ દેખાવા પણ માંડી છે. જેમ કે, શુક્રવારે પંજાબના જલંધરવાસીઓ ઊઠ્યા ત્યારે તેઓ ક્ષિતિજે દેખાતું દૃશ્ય જોઈને આનંદ અને આશ્ચર્યથી ઊછળી ઊઠ્યા. કેમ […]

પ્રિમેચ્યોર બાળકીનો પિતા બન્યો હોવા થતા આ જવાન અમદાવાદના જમાલપુરમાં લોકડાઉન બંદોબસ્તમાં નીભાવે છે ફરજ

કોરોના વાઈરસના કહેર વચ્ચે આજે લોકડાઉનનો નવમો દિવસ છે. ત્યારે જમાલપુર વિસ્તારમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના ફતેગઢનો રોનક પરમાર લોકડાઉન બંદોબસ્તમાં છે. તે એસ.આર.પી ગ્રુપ-16માં કચ્છ-ભચાઉ ખાતે ફરજ બજાવે છે પંરતુ તેને લોકડાઉનમાં જમાલપુર ફરજ સોંપવામાં આવી છે. દરમિયાન તેની પત્નીએ એક પ્રિમેચ્યોર બાળકીને જન્મ આપ્યો છે. બાળકી અધૂરા માસે જન્મી હોવાથી તે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે. […]

દૂરદર્શને રામાયણના પ્રત્યેક એપિસોડ માટે આટલી ઓફર કરી હતી, પરંતુ રામાનંદ સાગરના પુત્રવધુ નિશાબહેને નિ:શુલ્ક દર્શાવવાની ઈચ્છા દર્શાવી

કોરોનાને કારણે ભારત દેશ આખો 21 દિવસ લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકોના મનોબળમાં વધારો થાય તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચરોતરના ઉત્તરસંડાના વતની મુ઼બઈના પૂર્વ શેરીફ મોહનભાઈ પટેલની પુત્રી અને રામાનંદ સાગરની પુત્રવધુ નિશાબહેન સાગરને ફોન કર્યો હતો. વડાપ્રધાને રામાયણ ટી.વી. સિરિયલ દૂરદર્શન પર પુન: પ્રસારિત કરવાની દરખાસ્ત મૂકી હતી. આમ વડાપ્રધાનની ઇચ્છાને માન […]

રામાયણના પુનઃ પ્રસારણે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં, માત્ર 4 એપિસોડના વ્યૂઝથી જ બની ગઈ સૌથી વધુ ટીઆરપી મેળવનાર હિન્દી સિરિયલ

મહામારી કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં લોકોના મનોરંજન માટે ભારત સરકારે 80 અને 90ના દશકની જૂની સિરિયલ્સ ફરી ટેલિકાસ્ટ કરી છે. આ લિસ્ટમાં રામાયણ, મહાભારત, શક્તિમાન વગેરે સહિત ઘણી સિરિયલ છે. 1987ની રામાયણ સિરિયલ એ સમયમાં ઘણી લોકપ્રિય હતી અને હાલ રી-ટેલિકાસ્ટ થયા બાદ પણ લોકપ્રિય બની છે. સિરિયલને લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો કે તેણે […]

“જે લોકડાઉન તોડે તેને ગોળી મારો” આ દેશના રાષ્ટ્રપતિએ આપ્યો આદેશ

કોરોનાનો કેર એ રીતે ફેલાયો છે કે લોકો કંઇ પણ કહી રહ્યા છે અને કરી રહ્યા છે. હવે આ રીતનું જ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે, તે પણ એક દેશના રાષ્ટ્રપતિનું. જેમાં તે દેશના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, જે પણ કોરોના વાયરસને કારણે લગાવવામાં આવેલા લોકડાઉનનું પાલન નહીં કરે, તેને તાત્કાલિક ગોળી મારી દો. […]