ઓડિશામાં નદીમાંથી 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર બહાર નીકળ્યું, 15મી કે 16ની સદીનું મંદિર હોવાનું પુરાતત્વ વિભાગનું અનુમાન

ઓડિશા (Odisha)ના નયાગઢ સ્થિત પદ્માવતી નદીની આસપાસ રહેતા લોકો એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે નદીની અંદર 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું મંદિર અચાનક બહાર દેખાવ લાગ્યું હતું. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (INTACH)ના પુરાતત્વ વિભાગની ટીમે જણાવ્યું કે આ મંદિરને તેમણે શોધી કાઢ્યું છે. આ મંદિરની બનાવટને જોતા […]

સુરતમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ: સોસાયટીની સામાન્ય બબાલમાં યુવકને માર્યો ઢોર માર

સુરતમાં એક સોસાયટીમાં પાડોસી સાથે થયેલા ઝગડામાં પડોસના પોલીસે મિત્રએ આવીને યુવાનને તેના ઘરની બહાર કોલર પકડી પાર્કિગમાં લાવીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. આટલે જ વાત અટકી નહીં, પોલીસ સ્ટેશન લઇ જઈને તેને ગેરકાયદે ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવીને રાજકોટની જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. બાદમાં 200 રૂપિયા લઈને છોડી મુકાયો હતો. આ […]

ખબરદાર! હવે માસ્ક વગર ઘરની બહાર નીકળશો તો પોલીસ દંડ વસૂલશે, રાજ્ય સરકારે નિયમો બદલ્યા

રાજ્યમાં (Gujarat)માં કોરોના (coronavirus) સંક્રમણ (Infection) ફેલાતું અટકાવવા નાગરિકો માટે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક (Mask) પહેરવું અને માસ્કનો ઉપયોગ રાજ્ય સરકારે (Government of gujarat) ફરજિયાત બનાવેલો છે. માસ્ક ન પહેરનારા વ્યક્તિઓ પાસેથી કાયદાકીય રીતે નિયમાનુસાર દંડ વસૂલ કરવાની સત્તા હવેથી જિલ્લા કલેકટર કે મ્યુનિસિપલ કમિશનર ને બદલે પોલીસ કમિશનર તેમજ જિલ્લા પોલીસ વડા ને […]

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી

બોલિવૂડ જગતને રવિવારે સૌથી મોટો આંચકો લાગ્યો છે. બોલિવૂડનાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતે સુસાઈડ કરી લીધું. અત્યાર સુધી સુશાંતે કેમ આત્મહત્યા કરી તેનું કારણ સામે આવ્યું નથી. મુંબઈ પોલીસ તપાસ હાથ ધરવા માટે ઘરે પહોંચી છે. અહેવાલ અનુસાર સુશાંતનાં નોકરે પોલીસને ફોન કરીને માહિતી આપી હતી. સુશાંત સિંહ રાજપુતે એમ એસ ધોની, છિછોરે, કેદારનાથ સહિતની […]

વર્ષોથી પોતાને લેડી ડોન ગણાવતી રાજકોટની સોનુ ડાંગરને અમરેલી પોલીસે ધોળા દિવસે તારા દેખાડી દીધા

રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરને અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે દુશ્મની લેવી ભારે પડી ગઈ છે. વર્ષોથી પોતાને લેડી ડોન ગણાવતી સોનુને અમરેલી પોલીસે ધોળા દિવસે તારા દેખાડી દીધા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા અને મહિલા PSIને ખુલ્લી ધમકી આપતાં અમરેલી પોલીસ વડા નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ GCTOC (ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઈમ) […]

કોરોનાની મહામારીમાં પણ ન ભુલાઈ મિત્રતા, મિત્રની માતાને કોરોના થતાં PPE કીટ પહેરી 12 દિવસ મિત્રના ઘરે પહોંચાડ્યું ટિફિન

કોરોનાની મહામારીએ ‘પહેલો સગો પાડોશી’ કહેવતને બદલી નાખી છે. પરંતુ કોટ વિસ્તારમાં આવેલા દરિયાપુરની પોળમાં રહેતા વિજય ડાભીએ કોરોનાની મહામારીમાં મિત્રની મદદે ઉભા રહી સાચી મિત્રતા નિભાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિજયે મિત્ર પ્રતિક પ્રજાપતિની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનું ઘર ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યું હતું. માતાને કોરોના થતાં સાંભળીને જ પિતાનું અચાનક […]

ભારતીય મૂળની અનમોલ નારંગ બની US મિલિટ્રી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થનાર પ્રથમ શીખ મહિલા, સેકન્ડ લેફ્ટનેન્ટનું પદ સંભાળશે

23 વર્ષની ભારતીય મૂળની સેકંડ લેફ્ટેનન્ટ અનમોલ નારંગ યૂએસ મિલિટરી એકેડમીમાંથી ગ્રેજ્યુએટ થનારી પહેલી શીખ મહિલા બનશે. તેણે વેસ્ટ પોઈન્ટ મિલિટરી એકેડેમીમાંથી ન્યૂક્લિયર એન્જિનિયરિંગમાં ચાર વર્ષનો ડિગ્રી કોર્સ પૂરો કર્યો છે. મહત્વનું છે કે, શનિવારે યૂએસ મિલિટરી એકેડેમીની ગ્રેજ્યુએશન સેરેમની થશે અને કેડેટ્સને સર્ટિફિકેટ આપવામાં આવશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

શાળાના આચાર્ય હોદ્દા કે મોભાને ધ્યાનમાં ન લેતા વિદ્યાર્થીઓના ઘરે ઘરે લારીની મદદથી પુસ્તકો પહોંચાડીને શિક્ષક તરીકેની ફરજ પુરી કરી રહ્યાં છે

ચાંદોદ. જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગ તાબા ની ચાંદોદ પંથકની 13 શાળાના ગ્રુપાચાર્ય દેવેન્દ્રભાઈ મનુભાઈ નાયક પોતાની ફરજ નિષ્ઠા બચાવવા અને શિક્ષણથી બાળકો વંચિત ન રહી જાય તે માટે વિદ્યાર્થીઓ માટે આવેલા પુસ્તકોને વિદ્યાર્થીઓના ઘરે-ઘરે પહોંચાડવા લારી ના માધ્યમથી પુસ્તકો પહોંચાડવાનું પ્રશંસનીય કામ કરી શિક્ષણથી વિદ્યાર્થીઓમાં વંચિત ન રહી જાય તે માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 517 નવા કેસ નોઁધાયા અને 33 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1449 અને કુલ કેસ 23079 થયા

અનલૉક-1 બાદ કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે અને દર્દીઓની સંખ્યા 23 હજારને પાર પહોંચી છે, ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

પતરાના મકાનમાં રહેતો વલસાડનો અરમાન રાઠોડ ડાન્સના હુનરથી રાતોરાત સેલિબ્રિટી બની ગયો, 40 લાખ ફોલોઅર્સ થયા, અનેક રિયાલિટી શૉની આવી છે ઑફર

કંઈક કરી છૂટવાની ધગશ સાથે મહેનત કરી રહેલા ગુજરાતના વલસાડ ખાતે રહેતો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો યુવાન ટિકટોકને કારણે ચર્ચામાં વ્યો છે. આ યુવાને એવો તો અદભૂત ડાન્સ કરે છે કે બિલિવૂડના અનેક સેલેબ્સ તેના દિવાના થઈ ગયા છે. એટલું જ નહીં લઘરવઘર લાગતા આ યુવાનને રિયાલિટી શૉ માટે અનેક ઑફર પણ આવી […]