રાજકોટનાં આચાર્યએ સરકારને આડેહાથ લીધી, ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરતા કહ્યું ‘સરકારના લોકો શિક્ષણમાફિયા સાથે જોડાયેલા છે’

રાજકોટ શહેરની નામાંકિત શાળાના આચાર્યએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી શિક્ષણ વ્યવસ્થા અને સરકારને આડે હાથ લીધી હતી. લાલબહાદુર કન્યા વિદ્યાલયના આચાર્યએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ સરકાર શિક્ષણ માફિયા સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે. આચાર્ય ભરતસિંહ પરમારે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે શાળાઓ શરૂ કરવા માટે […]

ભારતના શહિદોની વીરતા જાણીને ગજગજ છાતી ફૂલી જશે, 1-1 ભારતીય સામે હતા 5-5 ચીની સૈનિક છતાંયે ઉતાર્યા મોતને ઘાટ

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ નંબર-14 પર જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો ત્યારે ભારતીય જવાનોની સંખ્યા ચીની જવાનો કરતા ઘણી ઓછી હતી. ચીનની સરખામણીએ ભારતીય જવાનોની સંખ્યા માત્ર 1:5 હતી. એટલે કે ભારતના એક સૈનિકની સામે ચીનના 5. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

કરન, સલમાન તથા યશરાજ બેનરના બહિષ્કાર માટે ઓનલાઈન પિટીશન શરૂ કરી, 31 કલાકમાં 8.50 લાખ લોકોએ સાઈન કરી

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યાં બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મ મુદ્દે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા સતત બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર તથા એક્ટર્સનો વિરોધ કરી રહ્યું છે. હવે, જયશ્રી શર્મા શ્રીકાંત નામની ફેસબુક યુઝરે નેપોટિઝ્મ ફેલાવતા લોકોનો બહિષ્કાર કરવા માટે ઓનલાઈન પિટીશન શરૂ કરી છે. 31 કલાકમાં 8.50 લાખથી વધુ લોકોએ સાઈન કરી જયશ્રી શર્મા શ્રીકાંતે […]

17 દિવસની દીકરીનું મોઢું પણ ન જોઇ શક્યા ઝારખંડના શહીદ કુંદન કુમાર, પરિવારને કહ્યું હતું બહું જલ્દી પાછો આવીશ, પણ…

ભારત-ચીન સરહદે લદાખની ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે ઝપાઝપીમાં શહીદ થયેલા સૈનિકોમાંથી એક જવાન ઝારખંડનો હતો. સાહેબગંજ જિલ્લાના દીહરી ગામનો 26 વર્ષીય જવાન કુંદન કુમાર ઓઝા 2011માં બિહાર રેજિમેન્ટ કટિહારમાં જોડાયો હતો. 2017માં બિહારના નીરહટી (સુલતાનગંજ)ની નેહા સાથે તેના લગ્ન થયા હતા. તેને 17 દિવસની દીકરી છે, જેનું તે મોઢું પણ ન જોઇ શક્યો. લેટેસ્ટ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 520 કેસ નોંધાયા અને 27 મોત, કુલ કેસ 25 હજારને પાર, મૃત્યુઆંક 1561 થયો

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે સતત આઠમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી […]

સરહદ પર અથડામણ બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ, અમદાવાદમાં લોકોએ ચાઈના પ્રોડક્ટ સળગાવી નોંધાવ્યો વિરોધ

અમદાવાદના બાપુનગર ડાયમંડ સર્કલ ખાતે ચીને કરેલ હુમલાનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ચીનનો વિરોધ કર્યો, સાથે જ ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવવા અને દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, જે રીતે ચીન દ્વારા ભારતની સરહદ પર ઘુષણ ખોરી અને હુમલાની નીતિ અપનાવવામાં આવી […]

વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ બની શકે છે મોટો ખતરો, સીધી અસર બાળકોની તબિયત પર

કોરોનાને લઇને વિશ્વ થંભી ચુક્યુ છે ત્યારે તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. દેશભરમાં સ્કુલો ક્યારે શરૂ કરવામા આવશે તે અંગે સરકાર હાલ કઇં કહેવા તૈયાર નથી. ત્યારે ખાનગી સ્કુલો ફી ઉધરાવવાને લઇને ઓનલાઇન એજ્યુકેશન આપી રહી હોવાનુ સાબિત થઇ રહ્યુ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે, […]

સેનેટાઇઝરનો વધુ પડતો ઉપયોગ કરતા લોકો સાવધાન! સામે આવ્યો ચોંકાવનારો મામલો, જાણો વિગતે

સેનેટાઇઝરથી હાથ ધોવા મોંઘા પડી શકે છે. કોરોનાકાળમાં દરેક ઘર અને દરેક લોકોના ખિસ્સામાં સેનેટાઇઝર પહોંચી ગયુ છે. કોરોનાથી બચવા માટે સરકાર પણ સેનેટાઇઝર અને સાબૂનો ઉપયોગ કરવાની અપીલ કરી રહી છે. પરંતુ સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ ત્વચાને હાનિ પહોંચાડી શકે છે. ત્વચાની ચામડીની પરત નીકળી પણ શકે છે. સંક્રમણ થઇ શકે છે. આવામાં ઘણા […]

કોરોનાને ભગાડવા સુરતના વેપારીની અનોખી માનતા, નદીને ઠંડી કરવા રોજ ફેંકે છે 500 કિલો બરફ..!!

કોરોના વાયરસથી આખું વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠ્યું છે, લોકો સંક્રમણથી બચવા માટે જાણે તેટલા ઉપાયો કરે છે. તો ઘણી જગ્યાએ આપણે અંધશ્રદ્ધાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાંથી અંધ વિશ્વાસનો એક એવી ઘટના સામે આવી છે. જેણે સાંભળીને કદાચ કોઈને પણ નવાઈ લાગે. આ કિસ્સો જાણીને તમામના મનમાં એક સવાલ ઉભો થાય છે કે […]

ચીની સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલા કર્નલની માતા કહ્યું, ‘એકનો એક દીકરો હતો છતાં શહીદી પર ગૌરવ’

ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલા ત્રણ જવાનોમાં સરહદ પર શહીદ થયેલા તેલંગાણા રાજ્યના એક કર્નલ સંતોષનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે સૈન્ય અધિકારીઓએ તેમની શહીદીની જાણ પરિવારને કરી હતી. સંતોષ દોઢ વર્ષથી સરહદ પર હત. તેનના પરિવારમાં પત્ની સંતોષી, પુત્રી અભિન્યા (9) અને પુત્ર અનિરુધ (4) છે. સંતોષના શહીદ થવાના […]