ગળામાં થતી બળતરા માટે રામબાણ ઇલાજ છે આ ડ્રિંક, અન્ય સમસ્યાઓમાં પણ અસરકારક છે આ ઘરગથ્થુ ઉપચાર..

કોરોના વાયરસના સંક્રમણના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો તેમા ગળામાં બળતરાની સમસ્યા પણ સામેલ છે. જેથી તમને ગળામાં બળતરાની સમસ્યા સિવાય જો અન્ય કોઇપણ લક્ષણ અનુભવાય તો રાહ જોયા વગર કોરોના વાયરસની તપાસ કરાવવી જોઇએ અને પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઇએ. જ્યારે સામાન્ય રીતે થનારી ગળામાં બળતરાની સમસ્યાને દૂર કરવા માટે તમે ઘરેલું ઉપચારની મદદ લઇ […]

વધેલા ભાત ફેંકવાને બદલે આ રીતે બનાવો તેના ગરમા ગરમ ટેસ્ટી પકોડા, ખાવાની પડશે બમણી મજા

ખાસ કરીને ઘણા લોકોના ઘરે સવારના ભોજનમાં રોટલી, શાક અને દાળ-ભાત હોય છે. પરંતું ઘણી વખત ભાત વધારે બની જાય છે કે વધે છે. તો કેટલાક લોકો તે ભાત વઘારીને ખાય છે તો કેટલાક લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો વધેલા ભાતમાંથી પણ અનેક ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય છે. તો […]

માતા-પિતા કોરોના પોઝિટિવ થયાં તો છ મહિનાના દીકરાને ડૉક્ટરે એક મહિના સુધી સાચવ્યો, બાળકને તેની માતાને પરત સોંપતા સર્જાયાં ઈમોશનલ દૃશ્યો

બુધવારે 15 જુલાઈના રોજ કોચી ખાતે ભારે ઈમોશનલ દૃશ્યો સર્જાયાં હતાં. ડૉ. મેરી અનિતાએ છ મહિનાના એલ્વિન નામના બાળકને તેની માતાને સોંપ્યું અને ખુદ ચોધાર આંસુએ રડી પડ્યાં. એ જોઈને ત્યાં ઊભેલા લોકોને પણ ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. કોઈ ફિલ્મનું દૃશ્ય લાગે તેવી આ ઘટના પાછળ આપણી આંખો હરખથી છલકાઈ ઊઠે તેવી માનવતાની મિસાલ […]

ખાનગી સ્કુલોથી વાલીઓ હવે સરકારી સ્કુલો તરફ વળ્યા, 17 હજાર વિદ્યાર્થીઓએ AMC સ્કુલમાં લીધો પ્રવેશ, રાજ્યસ્તરે આ આંકડો છે ખૂબ જ મોટો

કોરોનાનો કહેર અને લોકડાઉનને કારણે અનેક લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે, જેને કારણે વાલીઓ હવે ખાનગી સ્કુલોથી સરકારી સ્કુલો તરફ વળી રહ્યા છે. જેની સીધી અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કુલોને થઇ છે. ચાલુ વર્ષે હાલ સુધીમાં 17 હજાર વિદ્યાર્થીઓએ AMC સ્કુલમાં પ્રવેશ મેળવ્યો છે, જ્યારે રાજ્યસ્તરે આંકડો 6 લાખને પાર કરી ગયો છે. […]

સુરતમાં મંજૂરી મેળવનાર લોકોને પણ નથી મળતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શન, સિવિલ હોસ્પિટલમાં લાઈન લાગતા સ્ટોક ન હોવાનું કહીને પરત મોકલાય છે.

શહેરમાં કોરોના સંક્રમણ વધવાની સાથે ગંભીર દર્દીઓની સારવાર માટે વપરાતા ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાંથી ઈન્જેક્શન આપવા માટે ક્લેક્ટરની અધ્યક્ષતામાં ટીમ બનાવવામાં આવી છે. આ તબીબોની ટીમ દ્વારા જરૂરીયાતવાળા દર્દીઓને ઈન્જેક્શનની મંજૂરી અપાયા બાદ દર્દીના સંબંધીઓને ફોન કે મેસેજ આવે તો પણ સિવિલમાંથી ઈન્જેક્શનનો સ્ટોક ન હોવાનું […]

રાજકોટમાં પ્રેમ માટે ખેલાયો ખુની ખેલ: પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની કરી હત્યા

લવ અફેર મામલે લોકો હત્યા કરતાં જરાય અચકાતાં નથી. રાજકોટમાં હાલમાં જે ઘટના સામે આવી એ ખરેખર બધાને ચોંકાવે એવી છે. પત્ની કરતાં પ્રેમિકાને વધારે મહત્વ આપીને પત્નીને પરલોકમાં પહોંચાડી દીધી. રાજકોટમાં પતિએ જ પત્નીની હત્યા કરી નાંખી. પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની હત્યા કરી હોવાના સમાચારા સામે આવ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

સુરતમાં કોરોના વકરતાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કંટ્રોલ કરવા IPS હરેશ દૂધાતને તાબડતોબ મોકલાયા, અમદાવાદમાં સુપર સ્પ્રેડરને કાબૂમાં લાવ્યા હતા

ગુજરાતમાં કોરોનાનાં કારણે અગાઉ સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ શહેર રહ્યું હતું. હવે આવી જ ભયાનક સ્થિતિ તરફ સુરત શહેર જઈ રહ્યું છે. આવા સમયમાં સુરતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોને કઈ રીતે કંટ્રોલ કરી શકાય અને કઈ સાવધાની રાખી શકાય તે જણાવવા માટે ઈન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) […]

ચાઈનીઝ મોબાઈલ રાખતા પહેલા ચેતજો, મોરબીમાં ચાલુ બાઇકે ખિસ્સામાં મૂકેલો મોબાઇલ બ્લાસ્ટ થતા નીચે પટકાયેલા યુવાનનું મોત

તમામ લોકો માટે લાલબત્તી સમાન એક કિસ્સો મોરબી (Morbi)માં સામે આવ્યો છે. જેમાં એક યુવકના પેન્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન ફાટી (Mobile Phone Blast) ગયો હતો. મોબાઇલ ફાટતા બાઇક પર જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને તે નીચે પટકાયો હતો. આ દરમિયાન યુવાનનું મોત થઈ ગયું હતું. આ ચોંકાવનારા કેસમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ આદરી છે. નોંધનીય […]

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત: આજે રેકોર્ડબ્રેક 949 કેસ નોંધાયા: કુલ કેસ 46,616 થયા: મૃત્યુઆંક 2108 થયો

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આજ રોજ કેન્દ્રીય આરોગ્ય ટીમે સુરત, અમદાવાદ અને ગાંધીનગરની સમીક્ષા કરી હતી. તો રાજ્યમાં આજે નોંધાયેલા કોવિડ 19ના કેસની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. ગુજરાતમાં સતત પાંચમાં દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. […]

ગુજરાતી જીબાબાએ ફટકારી સદી, અમેરિકામાં પરિવારે ભેગા થઈને બાના 100માં જન્મદિવસની કરી ઉજવણી

જીવનના ઉલ્લાસ ભર્યા નીરોગી જીવનના ૧૦૦ વર્ષ પુરા થવા એ ખરા અર્થમાં જન્મોત્સવ કહેવાય. જીબાબાનાં સ્વસ્થ જીવનના ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા ડેલાવર ખાતે જન્મ શતાબ્દી સતાયુ જીવનની ઉજવણી કરવામાં આવી હતી. હાલ કોવીડને કારણે મોટો ઉત્સવ કરવો શક્ય બન્યો નહોતો આથી તેમના નાના દીકરાના ઘરે બહાર લોનમાં કુટુંબીજનોએ ભેગા મળી ઉજવણી કરી […]