Browsing category

સમાચાર

ચીનમાં કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો, એક જ દિવસમાં મૃત્યુ આંક થયો ડબલ, લાશોના ઢગલા થયા

કોરોના વાયરસનો સૌથી મોટો હુમલો ચીનમાં બુધવારે થયો છે. એક જ દિવસમાં સૌથી વધારે મોત થયા છે. 12 ફેબ્રુઆરીના રોજ 24 કલાકમાં જ કોરોના વાયરસથી 248 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ પહેલાં ક્યારેય મોતનો આંક એક દિવસમાં આટલો ઊંચો ન હતો. દર કલાકે 10 લોકોનાં મોત થયાં છે. વુહાન એક એવો પ્રદેશ છે જ્યાંથી […]

અમદાવાદમાં બન્યો અનોખો કિસ્સો: હાઈવે પર વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવવા પડ્યા

કોઈ કાયદાનો ભંગ કરવા બદલ પોલીસ કે આરટીઓ દ્વારા વાહન જપ્ત કરાય તો તેને દંડ ભરીને છોડાવવું પડતું હોય છે. જોકે, અમદાવાદમાં બનેલા એક કિસ્સામાં વાહન જપ્ત કરનારા ટ્રાફિક પોલીસના પીઆઈએ વાહનમાલિકને 2,000 રુપિયા ચૂકવવા પડ્યા છે. વાહનમાલિકે આ અંગે ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી, જેના પર સુનાવણી બાદ આ આદેશ અપાયો હતો. અમદાવાદમાં દિવસ […]

રાજકોટમાં પુત્રીએ કરિયાવરમાં પોતાના વજન જેટલા પુસ્તકો માંગ્યા, શિક્ષક પિતાએ જ્ઞાનરૂપી કરિયાવરમાં આપ્યા ગાડું ભરીને 2400 પુસ્તક

પુત્રીને સાસરે વળાવતી વખતે તેને કરિયાવર આપવાની પ્રથા આજે પણ સમાજમાં જોવા મળી રહી છે. સુખી સંપન્ન પરિવારો પુત્રીને લાખો રૂપિયાના દાગીના, વાહનો અને વિદેશ પ્રવાસના પેકેજ આપતા હોય તેવા અનેક કિસ્સા જોવા મળે છે, પરંતુ રાજકોટનો એક પરિવાર પોતાની પુત્રીને સંસ્કાર અને જ્ઞાનરૂપી કરિયાવર આપવાનો છે. પુત્રીએ પોતાના વજન જેટલાં પુસ્તકો કરિયાવરમાં આપવા ઇચ્છા […]

વડોદરાની સયાજી હોસ્પિટલમાં 119 વર્ષના વયોવૃદ્ધની થાપાની સર્જરી કરતા તબીબો આટલી ઉંમરે બીપી અને ઇસીજી નોર્મલ જોઇને અચંબામાં

સયાજી હોસ્પિટલમાં શનિવારે 119 વર્ષના વયોવૃદ્ધ વ્યક્તિના તૂટેલા થાપાનું ઓપરેશન કરાયું હતું. હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌથી વધુ વ્યક્તિનું ઓપરેશન છે. હાલમાં આ વયોવૃદ્ધ દર્દીની હાલત સામાન્ય છે. મૂળે છોટાઉદેપુર જિલ્લાના કવાંટના નાનાવાંટામાં રહેતા જબરાભાઇ રેવલાભાઇ રાઠવા ગત શુક્રવારે ઘરે સવારે ખાટલા પરથી અચાનક પડી ગયા હતા. વય વધુ હવાથી પડતા વેંત તેમનો ડાબો થાપો તૂટી […]

વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા દિવાલ બનાવવામાં આવી રહી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, સરકાર દ્વારા જે વિકાસની મોટી વાતો કરવામાં આવે છે તે વિકાસની અસલ વાસ્તવિકતાને ઢાંકવા માટે મનપા દ્વારા દીવાલ ચણવામાં આવી રહી છે. એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ વચ્ચે ઝૂંપડપટ્ટી આવી છે. આ ઝુંપડપટ્ટી મહેમાનને દેખાય નહી […]

સુરતમાં માથાભારે ગેંગસ્ટાર સૂર્યા મરાઠીની મોતનાં સમાચાર સાંભળીને આ લોકોએ ફટાકડાં ફોડીને કરી ઉજવણી

સુરતમાં કુખ્યાત ગેંગસ્ટર સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં જ 50થી વધુ ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. તો સૂર્યા મરાઠીએ પોતાના પર હુમલો કરનાર હાર્દિક પટેલને પણ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સૂર્યા મરાઠી મનુ ડાહ્યા મર્ડર કેસમાં થોડા દિવસો પહેલાં જ છૂટીને બહાર આવ્યો હતો. ત્યાંજ તેનું મર્ડર થઈ જતાં […]

રાજ્ય સરકારનો નવો નિયમ: ધોરણ 3થી 12ની બધી પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્ય કક્ષાએથી જ તૈયાર કરવામાં આવશે, ઉત્તરવહીનું મૂલ્યાંકન અન્ય શાળાના શિક્ષકો કરશે

દિલ્હીની ચૂંટણીના પરિણામ પછી રાજ્ય સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓની પરીક્ષા માત્ર માહિતી પ્રધાનને બદલે જ્ઞાન, સમજ, ઉપયોજન અને કૌશલ્ય વિકસે અને નીટ,જેઇઇ સહિતની વિવિધ નેશનલ પરીક્ષાઓની પ્રેકટીસ થાય તેટલા માટે ધો.3થી8 અને ધો.9 તેમજ 11ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. જે અનુસાર હવે એપ્રિલ 2020થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષથી ધો.10,12ની જેમ ધો.3થી8 અને ધો.9,11માં છ […]

જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલાની પહેલી વરસી: શહીદોને CRPFની સલામ, જવાનોના યાદ કર્યા અને લખ્યું ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી’

પાકિસ્તાનની નાપાક કરતૂતના લીધે આજના જ દિવસે ગયા વર્ષે આપણે આપણા 40 જવાનોને ગુમાવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાની આજે પહેલી વરસી છે અને દેશ શહીદ જવાનોને સલામ કરી રહ્યું છે. સીઆરપીએફ એ પણ પોતાના જવાનોના યાદ કર્યા અને લખ્યું છે ‘અમે ભૂલ્યા નથી, અમે છોડ્યા નથી’. 14મી ફેબ્રુઆરીના રોજ જ્યારે હુમલો થયો ત્યારે પણ […]

વાળને કોઇપણ જાતના નુકસાન વગર આ વસ્તુથી ઘરે જ કરો સ્ટ્રેટ, પાર્લરમાં નહીં કરાવવા પડે સીધા

પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવાથી વાળને ઘણી હીટ પ્રોસેસમાંથી થઇને પસાર થવું પડે છે. જેનું ખરાબ પરિણામ લાંબા સમય બાદ વાળમાં જોવા મળે છે. પરંતુ જો તમારે આ સમસ્યાથી દૂર રહેવું હોય અને તમારા વાળ પણ સ્ટ્રેટ કરવા હોય તો અમે તમારા માટે ખાસ ટિપ્સ લઇને આવ્યા છીએ જેનાથી તમારા વાળને કોઇપણ પ્રકારના નુકસાનથી દૂર રાખી […]

સાંજે 6 વાગ્યા પછી ભોજન કરવું હૃદય માટે સારું નથી, તેનાથી વધી શકે છે મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો: અમેરિકન સંશોધનકારોનો દાવો

વર્ષોથી ભારતમાં સૂર્યાસ્ત પહેલાં ભોજનની માન્યતા પર અમેરિકન સંશોધનકારોએ પણ મહોર મારી છે. તેમનો દાવો છે કે જો તમે સાંજે 6 વાગ્યા પછી ભોજન કરો છો તો તેનાથી મેદસ્વિતા અને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો રહે છે. હકીકતમાં માણસના આરોગ્યની વાત આવે છે ત્યારે ‘આપણે શું ખાઈએ છીએ’ની સાથે એ પણ એટલું જ મહત્ત્વનું છે કે ‘આપણે […]