Browsing category

સમાચાર

ભારતીય વૈજ્ઞાનિકોને કોરોનાના વાયરસને આઈસોલેટ કરવામાં મળી સફળતા, 30 દિવસમાં જ કોરોનાને કાબૂ કરી લેવાનો કર્યો દાવો

ચીનનાં વુહાન શહેરથી ફેલાવવાનો શરૂ થયેલો કોરોના વાયરસ દરરોજ હજારો લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. આ વાયરસથી સંક્રમિત થઈને મરનારાઓની સંખ્યા રોજ વધતી જઇ રહી છે. આવામાં દુનિયાભરનાં વૈજ્ઞાનિકો આ વાયરસનાં ખાત્મા માટે વેક્સિનની શોધમાં રાત-દિવસ એક કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. ભારત એવો પાંચમો દેશ બની ચુક્યો […]

કોરોના વાયરસ: માસ્ક અને સેનેટાઇઝરના MRP કરતાં વધુ પૈસા લે તો અહીં કરો ફરિયાદ

કોરોના વાયરસનો પ્રકોપ અને દહેશતની વચ્ચે લોકો તેનો ફાયદો ઉઠાવાની કોશિષ કરી રહ્યા છે. કેટલાંય દિવસથી સમાચાર આવી રહ્યા હતા કે માસ્ક અને સેનેટાઇઝરના ભાવમાં કેટલાંય ગણો વધારો થઇ ગયો છે. સાથો સાથ કાળાબજાર પણ શરૂ થઇ ગયા છે. એ પણ જાણવા મળ્યું કે માસ્ક (2 પ્લાઇ અને 3 પ્લાઇ સર્જીકલ માસ્ક, એન95 માસ્ક) અને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા કેન્સરના ઇલાજ માટેની કરવામાં આવી હર્બલ દવાની શોધ, તે બીજા સ્ટેજ સુધી કારગત નિવડશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા હર્બલ દવાની શોધ કરવામાં આવી છે અને આ દવા જે દર્દીઓને લંગ, લીવર કે બ્રેસ્ટ કેન્સર હશે તેના ઇલાજમાં ઉપયોગી થશે તેમ વૈજ્ઞાનિક ડો.વૈભવ ભટ્ટે જણાવ્યું હતું. ડો.વૈભવ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની એકમાત્ર સેલ લાઇન લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. આ લેબોરેટરીમાં છેલ્લા […]

નવસારીમાં તાજી જન્મેલી બાળકીને રેલ્વેટ્રેક પર ત્યજી દેતા કૂતરાએ બાળકીનો આખો પગ ફાડી ખાધો, હાલત જોઈ ડોક્ટરો પણ ધ્રૂજી ઉઠ્યા

રાજકોટની અંબા બાળકી હાલ પણ હોસ્પિટલનાં બિછાને છે. તેવામાં ગુજરાતમાં વધુ એક નિષ્ઠુર માતાએ નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. નવસારીના વિજલપોરમાં કૃષિ યુનિવર્સિટી નજીક રેલ્વે ટ્રેક પર એક બાળકીને મરવા છોડી દેવામાં આવી હતી. જે બાદ કૂતરાએ તેને ખેંચી જઈ તેનો પગ ફાડી ખાડી દીધો હતો. ચારેક કલાક બાદ એક શ્રમજીવીની નજર […]

રાજસ્થાનમાં રોડ અકસ્માતમાં એકજ પરીવારના 11 લોકોના મોત, 16 દિવસ પહેલા લગ્નગ્રંથીથી જોડાનાર યુગલ પણ મોતને ભેટ્યું

રાજસ્થાનના જોધપુર જિલ્લામાં શનિવાર સવારે ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત થતા એક જ પરિવારના 11 લોકોના મોત થયા છે. ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. પરિવાર નવ દંપત્તિને બાલોતરાથી રામદેવરા દર્શન માટે લઈ જઈ રહ્યો હતો. જેમના લગ્ન 27 ફેબ્રુઆરી થયા હતા. બનાવ શેરગઢ વિસ્તારમાં બન્યો હતો. Rajasthan: 11 […]

વડોદરામાં બીજા લગ્ન બાદ મહિલાને જૂના પતિ સાથે પ્રેમ પાંગરતા હાલના પતિને છોડીને ભાગી ગઈ, સાથે લાખોના ઘરેણાં લેતી ગઈ

પત્ની પતિને છોડીને પૂર્વ પતિ પાસે પાછી જતી રહે તેવા કિસ્સા તમે ખૂબ ઓછા પ્રમાણમાં જોયા કે સાંભળ્યા હશે. આવો જ કિસ્સો વડોદરામાં બન્યો છે. જ્યાં બીજા લગ્ન પછી પણ પહેલા પતિ માટે રહેલી કૂણી લાગણીઓમાં તણાઈને મહિલા જતી રહી અને વર્તમાન પતિ પોલીસ સ્ટેશન પહોંચી ગયો. વડોદરાના યાકુતપુરામાં પૂર્વ પતિ માટે મહિલાએ હાલના પતિને […]

જીવલેણ કોરોનાથી શરીરમાં શું થાય? વાયરસના શિકાર બનેલા ડોક્ટરે જણાવી આપવીતી, જાણીને કંપારી છૂટી જશે

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે હવે આખી દુનિયામાં કોહરામ મચાવી દીધો છે. દુનિયાભરમાં આ બીમારીથી 4900થી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે. કોરોના વાયરસથી પીડિત દર્દી પર શું ગુજરે છે, શરીરમાં કેવા પ્રકારનું દર્દ થાય છે તેને સ્પેનના એક ડૉકટરે જણાવ્યું છે જે ખુદ કોરોનાથી પીડિત છે. 35 વર્ષના ડૉકટર ચેન કોરોનાથી પીડિત કોરોનાથી પીડિત સ્પેનના […]

અમદાવાદમાં પૂરપાટ ઝડપે આવતા બાઈકે મહિલાને 50 ફૂટ સુધી ઢસડી, બાઈક ચાલક મહિલાને કચડી ફરાર થયો

અકસ્માતોની ઘટના ઓછી બને તે માટે કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમોને આકરા કરી દીધા, પરંતુ તેમ છતાં વાહન ચાલકોને નિયમનો કોઈ ડર ન હોય તેમ આડેધડ વ્હીકલ ચલાવી રહ્યા છે. મંગળવારે અમદાવાદના પોશ એવા પ્રહલાદ નગર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. જેમાં બાઈક ચાલકે એક મહિલાને કચડી. બાઈક ચાલકે યુવતીને લગભગ 50 ફૂટ […]

ઇરાનથી સામે આવી કોરોનાની ડરામણી તસવીરો: કાળી બેગમાં લાશોના ઢગલા, રાતોરાત કબરો ખોદી નાંખવામાં આવી

દુનિયાભરમાં કોરોના વાયરસને લઈને ડરામણી તસવીરો સામે આવી રહી છે. અત્યાર સુધી 4,600થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે સવા લાખથી વધુ લોકો કોરોના વાયરસ (COVID-19)થી સંક્રમિત છે. ઈરાનમાં અંદાજે 1000 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ દરમ્યાન ઈરાનની તસવીરોએ દુનિયા આખીને સ્તબ્ધ કરી દીધી છે. સેટેલાઇટ તસવીરોમાં જોઈ શકાય છે કે ઈરાનમાં લાશોને […]

12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપીને ગોંડલથી ઘરે પરત જતા બે વિદ્યાર્થીઓનો અકસ્માત થતા મૃત્યુ થયું

રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં સમયસર પહોંચવા માટે બાઇક લઈને જતા હોય છે. બાઇક લઈને પરીક્ષા કેન્દ્ર પર જતા કે પરીક્ષા આપીને પરત આવતા વિદ્યાર્થીઓનો અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવે છે, ત્યારે ગોંડલથી બોર્ડની પરીક્ષા આપીને બાઇક પર આવતા બે વિદ્યાર્થીના અકસ્માતની ઘટના સામે આવી છે. […]