Browsing category

સમાચાર

યુપીના મેરઠમાં એક જ પરિવારના 13 સભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ, હજુ 35નો રિપોર્ટ બાકી

ઉત્તર પ્રદેશના મેરઠમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે. અહીં એક જ પરિવારમાં આઠ નવા કોરોના પોઝિટિવ દર્દીઓ મળ્યા છે. આ સાથે જ પરિવારમાં 13 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ બધા વચ્ચે પીડિતોની સંખ્યા વધી શકે છે. કારણ કે 46માંથી 11ના રિપોર્ટ આવ્યા છે. આ પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ હતા, તે બાદ […]

ભાવનગરની આ સ્કૂલે આખા વર્ષની ફી માફ કરી, તો રાજકોટની આ સ્કુલે ફીમાં કર્યો 20 ટકાનો ઘટાડો, મુશ્કેલ સમયમાં વાલીઓને ફીમાં આપી મોટી રાહત

સમગ્ર દુનિયા જીવલેણ કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહી છે. કોરોના વાયરસ માટે જરૂરિયાતમંદ લોકો માટે ગુજરાત સહિત દેશભરના લોકો મદદ માટે સામે આવી રહ્યાં છે. લોકો રાહતફંડમાં લાખો અને કરોડો રૂપિયાની મદદ કરી રહ્યાં છે. ત્યારે હવે, રાજ્યની બે સ્કૂલો પણ આ મુશ્કેલ સમયમાં પોતાને ત્યાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓની મદદ માટે આગળ આવી […]

L&Tએ કોરોના સામેની લડતમાં રૂ. 150 કરોડ અને ટોરેન્ટ ગ્રુપ રૂ. 100 કરોડની સહાય કરશે

એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શનની દિગ્ગજ કંપની લાર્સન એન્ડ ટર્બો (L&T)એ કોવિડ-19 સામે લડવા માટે પીએમ રાહત ફંડમાં 150 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે સાથે જ કંપનીએ 1.60 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની મદદ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તો, કંપનીના ચેરમેન એ એમ નાયકનું કહેવું છે કે અમે આ મુશ્કેલ સમયમાં આપણા દેશ […]

સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર, વિદેશથી આવેલાં આ 235 લોકોનો નથી લાગ્યો પત્તો, જુઓ આ રહ્યું લિસ્ટ

સુરતમાં 67 વર્ષીય વૃદ્ધનો એક કેસ કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ સુરતમાં કોરોના પોઝિટિવનાં કુલ 9 કેસ નોંધાયા છે. જેમાં 2 વ્યક્તિ સ્વસ્થ થયા છે. તો એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું છે. તેવામાં સુરતીઓ માટે ચિંતાજનક સમાચાર છે. સુરત કોર્પોરેશન દ્વારા એવા વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે કે જેઓ 15 ફેબ્રુઆરી પછી ભારતમાં આવ્યા […]

મહિલાઓ થઈ જજો સાવધાન, ફ્લેટના પાર્કિંગમાં બેસીને વાતો કરશો તો પોલીસ પકડી જશે, વસ્ત્રાપુર પોલીસે ટાવરના પાર્કિંગમાંથી આઠ મહિલાઓની ધરપકડ કરી

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. બીજી બાજુ પીએમ મોદીએ આખા દેશને લોકડાઉન કર્યા પછી પણ લોકો સમજી રહ્યા નથી. ત્યારે કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના ડીજી શિવાનંદ ઝાએ લોકડાઉનને સફળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. લોકડાઉન હોવા છતાં જે લોકો ઘરની બહાર નીકળે છે […]

ઉનાના ધો.4નો વિદ્યાર્થી રાતે સિલાઇ મશીન પર બેસી માસ્ક બનાવી ગરીબ લોકોમાં વિતરણ કરે છે, જ્યારે રાજકોટમાં બાળકીએ વીડિયો બનાવી લોકોને સંદેશ આપ્યો

કોરોનાના ભય વચ્ચે લોકો જીવી રહ્યા છે ત્યારે બાળકોએ પણ સામે ચાલી હિંમત દાખવી છે. નરેન્દ્ર મોદીએ બાળકોને બાળરક્ષક તરીકે બિરદાવ્યા છે. ત્યારે રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તાર રહેતી એક બાળકીએ તેના પિતા વારંવાર બહાનું કાઢી બહાર જતા રહેતા હોવાથી બાઇક અને કારની ચાવી એકવીસ દિવસ સુધી સંતાડી દીધી છે. બીજી તરફ ઉનામાં ધોરણ 4નો વિદ્યાર્થી રાતે […]

રોડ પર રહેતા લોકોને ભોજન આપવા ગયેલી પોલીસને દંપતીએ કહ્યું – ‘મારું તો પેટ ભરેલું છે, બાજુ વાળાને આપો, તે લોકો ભૂખ્યા છે’

કોરોનાની મહામારીના લોકડાઉનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સાથે કોઇકને મદદરૂપ થવાનો પણ અમારો પ્રયાસ હોય છે. ગત શુક્રવારે સાંજે 5 વાગે હું પાણીગેટ વિસ્તારમાં નીકળ્યો હતો. ફૂટપાથ પર રહેતા લોકોને ફૂડ પેકેટ વિતરણ કરતો હતો. રોડના કિનારે એક વૃદ્ધ દંપતી બેઠેલું હતું. તેમની પાસે પહોંચ્યો તો તેઓ પ્રજ્ઞાચક્ષુ હતાં. બંને ભણેલા ગણેલા દેખાતા હતાં. […]

કોરોના સામેની લડાઈમાં રિલાયન્સે રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી, ગુજરાત અને મહારાષ્ટ્ર માટે પણ પાંચ પાંચ કરોડ દાન આપશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ આજે કોરોના વાયરસ સામેની દેશની લડાઈને ટેકો આપવા પ્રધાનમંત્રીની અપીલ પર પીએમ કેર્સ ફંડમાં રૂ. 500 કરોડનું દાન કરવાની જાહેરાત કરી હતી. આરઆઈએલએ પીએમના ફંડમાં નાણાકીય પ્રદાન કરવા ઉપરાંત એવી જાણકારી પણ આપી હતી કે, કંપનીએ મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બંનેની રાજ્ય સરકારોને કોવિડ-19 સામેની તેમની લડાઈમાં ટેકો આપવા રૂ. 5 […]

હિન્દુ-મુસ્લિમ એક્તાની મિશાલ જોવા મળી: લોકડાઉનમાં સંબંધીઓ ન આવ્યા તો મુસ્લિમોએ અર્થીને આપી કાંધ, રામ નામ સત્ય બોલતા આપ્યો અગ્નિદાહ

આખા વિશ્વમાં કોરોના વાયરસનો ડર ફેલાયેલો છે. લોકડાઉનના સમયમાં લોકો પોતાના ઘરોમાં રહે છે. કોરોનાનો ભય એટલો છે કે કોઈના મોત બાદ કાંધ આપવા માટે ચાર લોકો પણ મળતા નથી. આવો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બુલંદશહેરમાં જોવા મળ્યો છે. જોકે આ દરમિયાન હિન્દુ-મુસ્લિમ એક્તાની મિશાલ જોવા મળી હતી. અહીં એક હિન્દુના મોત બાદ તેમના પુત્રો સાથે […]

ગુજરાતને કોરોના મુક્ત કરવા છેલ્લા કેટલાક દિવસથી સતત કામ કરતા ડૉ.જયંતિ રવિ કોણ છે? જાણો અને શેર કરો

દેશ કોરોના વાયરસના કારણે મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે આ મહામારીથી લોકોને બચાવવા માટે વડાપ્રધાનથી લઈને ક્લાર્ક સુધીના તમામ અધિકારીઓ રાત-દિવસ એક કરીને કાર્ય કરી રહ્યા છે. આજે ગુજરાતના એક એવા અધિકારીને વાત કરવી છે કે, જે લોકોના આરોગ્ય માટે છેલ્લા કેટલાક દિવસથી રોજ સતત 20 કલાક કામ કરે છે. આ અધિકારી બીજું […]