Browsing category

સમાચાર

સુરતની 45થી વધારે સોસાયટીમાં વધારે વીજ બીલ આવતા ટોરેન્ટ પાવરના અધિકારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો

કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે બે મહિના જેટલો સમય રાજ્યમાં ધંધા ઉદ્યોગો બંધ રહેતા લોકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ લોકડાઉનમાં લોકોના વીજ બીલ પણ વધારે આવ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યાંક ખાનગી વીજ કંપનીના બીલમાં બેથી અઢી ગણો […]

લગ્નમાં 50 લોકોની જ મંજૂરી હોવા છતાં 250 મહેમાન બોલાવતા પરિવારને 6 લાખનો દંડ, 16 કોરોના સંક્રમિત થયા, વરરાજાના દાદાનું થયું મોત

કોરોનાના કારણે લગ્ન અને અંતિમ સંસ્કાર જેવા સામાજિક કાર્યોમાં સામેલ થનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવાઈ છે. રાજ્યોએ આ માટે અલગ-અલગ નિયમો બિનાવ્યા છે. રાજસ્થાનમાં લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોના સામેલ થવાનો નિયમ છે. પરંતુ ભીલવાડામાં એક લગ્નમાં 250 લોકોને બોલાવાયા. પરિણામ એવું આવ્યું કે, 16 લોકોને કોરોના થઈ ગયો. વરરાજાના દાદાનું કોરોનાથી […]

અમદાવાદમાં વાલીઓનો ફી મામેલે અનોખો વિરોધ! માસ્ક પર લખ્યું “બસ હવે સ્કૂલ બંધ તો ફી બંધ”

અમદાવાદમાં ગુજરાત વાલી એકતા મંડળ (Gujarat Vali ekta mandal) દ્વારા અનોખો વિરોધ (Unique protests)કરવામાં આવ્યો. જોકે અનોખો વિરોધ એવો હતો કે વિરોધ કરવા માટે માસ્કનો (Mask) ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે માસ્કનો ઉપયોગ કોરોનાનો ચેપ લાગે નહીં તે માટે કરવામાં આવ્યો છે. પરંતુ વાલીઓએ માસ્કનો ઉપયોગ સ્કૂલ સંચાલકો સામે વિરોધ નોંધાવવા માટે કરવામાં આવ્યો […]

બોલિવૂડમાં ખળભળાટ મચવાની તૈયારી, સુશાંતના કેસ અંગે અમિત શાહને કરવામાં આવી આ વિનંતી

સુશાંત સિંહ રાજપૂતનું આ રીતે દુનિયાને અલવિદા કહેવું એ સૌ કોઈ માટે આંચકા જેવું છે. આટલા દિવસો પછી પણ કોઈને માનવામાં નથી આવતું કે અત્યારે સુશાંત આ દુનિયામાં નથી. બોલિવૂડના કલાકારોથી લઈને ફેન્સમાં તો દુ:ખનો માહોલ છે જ પણ સાથે સાથે રાજનેતાઓ પણ આ મામલે ઘણા સક્રિય છે. ત્યારે હવે આ વાત પર અમિત શાહને […]

ચીન સાથેની લડાઈથી સૌરાષ્ટ્રનાં ઉદ્યોગોને થશે મોટો ફાયદો, જો સરકાર ટેક્સમાં રાહત આપે તો યુરોપ-અમેરિકા સહિતનાં દેશો સાથેના વેપારમાં થશે ધરખમ વધારો

કોરોના વાઈરસ બાદ સમગ્ર દુનિયા ચીનથી નારાજ છે. ખાસ કરીને અમેરિકાએ ચીન સાથે ફરીથી ટ્રેડવોર શરૂ કર્યું છે. અને તેવામાં પણ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે તેવામાં દેશભરમાં ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. આ તમામનો ફાયદો સૌરાષ્ટ્રનાં ઉદ્યોગકારોને થયો છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ચાઇનીઝ આયાત બંધ થતાં […]

ચીન સામે વિરોધમાં ચીનનું રોકાણ ધરાવતી કંપની ઝોમેટોના કેટલાક કર્મચારીઓએ નોકરી છોડી અને કંપનીની ટી-શર્ટ સળગાવી

ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના કર્મચારીઓએ લદ્દાખના ગલવાનમાં ભારતીય જવાનોની શહીદીને લઈ વિરોધ પ્રદર્શન કર્યો છે. કર્મચારીઓએ ટી-શર્ટ પણ સળગાવી છે. કોલકાતાના બેહાલા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું. કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો છે કે તેમણે નોકરી પણ છોડી છે. આ લોકો ઝોમેટોમાં ચીનની કંપની અલીબાબામાં રોકાણનો વિરોધ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ લોકોને અપીલ કરી છે કે […]

સતત બીજા દિવસે 600થી વધુ નવા કેસ, 4 દિવસથી મૃત્યુ 20ની નીચે, નવા 624 દર્દી સાથે કુલ કેસ 31 હજારને પાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે. ત્યારે આ તમામ બાબતો અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર […]

સુરતની સિવિલમાં દર્દીની હાલત ખરાબ થતા ડૉક્ટરે કહ્યું, એ મરવાનો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

કોરોનાની મહામારી વચ્ચે સુરતની સિવિલ હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે અને તેમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેવામાં સુરતની સિવિલ હોસ્પિટલ કેટલાક વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે વધુ એક વિવાદમાં સિવિલ હોસ્પિટલ સપડાઈ છે. હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવેલા દર્દીની તપાસ કરવા માટે બે ડૉક્ટર ગયા તે સમયે ડૉકટરે દર્દીને જોતાની […]

ગુજરાતમાં 25000ના પગારદાર કોન્સ્ટેબલ પાસે 34 લાખની તો કાર છે, સંપતિની તપાસ કરતા ACBના અધિકારીઓ પણ ચોંકી ગયા

ગુજરાતની સરકાર ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે, પણ સરકારની આ વાત ખોટી શાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવારનવાર 25, 35 કે 50 હજાર રૂપિયાના પગારદાર સરકારી અધિકારીઓ 5, 10 કે 15 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ જાય છે અને જ્યારે આ અધિકારીઓની સંપતિની તપાસ કરવામાં આવે છે ત્યારે તેઓની […]

ચીન સરહદ સુધી જવાનો તૂટી પડેલો બ્રિજ ભારતીય સેનાએ 6 દિવસમાં જ તૈયાર કરી નાખ્યો

ઉત્તરાખંડના પિથોરાગઢ સ્થિત મુનસ્યારી ખાતેનો 6 દિવસ પહેલાં તૂટેલો બેઈલી બ્રિજ ફરીથી બનાવી લેવામાં આવ્યો હતો. આ બેઈલી બ્રિજ (bailey bridge pithoragarh) એ વખતે તૂટ્યો હતો જ્યારે રસ્તો કાપવા માટે મોટા ટ્રેક પર પોકલેન્ડ મસીન લઈ જવાઈ રહ્યું હતું. બોર્ડર રોડ ઑર્ગેનાઈઝેશન (BRO) સખત મહેનતથી માત્ર 6 દિવસમાં નવો બ્રિજ તૈયાર કરી દેવાયો છે. લેટેસ્ટ […]