Browsing category

સમાચાર

રાજકોટમાં આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં રાત્રે આગ લાગતા કોરોનાના 5 દર્દી ભડથું, 1ની હાલત ગંભીર

રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતા 5 લોકોના મોત થયા છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 33 કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા અન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા. આ મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે […]

ગાંધીનગરમાં મોડી રાત્રે થયેલી મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો, એક યુવકનું મોત, એક યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો.

રાજ્યના પાટનગર ગાંધીનગર (Gandhinagar)માં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મોડી રાત્રે થયેલી મારામારીમાં એક 24 વર્ષીય યુવકનું મોત થયું છે, જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકની હાલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હુમલાના સીટીટીવી દ્રશ્યો (CCTV Footage Gandhinagar) પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવકો વચ્ચે મારામારી થઈ […]

ભાવનગરના સિહોરની હચમચાવી નાખતી ઘટના: પતિ-પત્નીએ સજોડે કરી લીધો આપઘાત, ત્રણ સંતાનો થયા નિરાધાર

ભાવનગર જિલ્લામાં દેવદિવાળીએ જ કરૂણ ઘટના સામે આવી છે. જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામે એક પતિ-પત્નીએ સજોડે આપઘાત કરી અને જિંદગી ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. ઘટનાની ઇન્સાઇડ સ્ટોરી જાણીને આંચકો લાગે તેવી હકિકતો સામે આવી રહી છે. જોકે, આ આપઘાત કરનાર યુગલ 35વર્ષની ઉંમરનું જ હતું જેથી તેમના બાળકો નિરાધાર થઈ ગયા છે. […]

‘તારા બાપનો રોડ છે ?’ રાજકોટમાં લારીધારકનો PSI રાણા પર ઘાતક છરાથી હુમલો, હાજર લોકોએ હુમલાખોરને ઝડપી આપ્યો મેથીપાક

રાજકોટમાં કાલે નાનામવા રોડ પર શાસ્ત્રીનગર પાસે ફ્રુટની રેકડી હટાવવા ગયેલા એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર પર એક રેકડીધારકે છરી વડે હુમલો કરતા તે લોહીલુહાણ થઈ ગયા હતા તેનો હાથ પણ ભાંગી ગયો હતો. દબાણ હટાવ શાખાની પૂરી ટીમ એક શખસથી ડરતી હોય તેમ આ શખસે સરાજાહેર છરી સાથે બેફામ ગાળાગાળી કરી સતત ત્રીસ મિનીટ સુધી સેંકડો […]

જમીનનો હક્ક પાછો મેળવવા 65 વર્ષના વૃદ્ધ ખેડૂતે સોમનાથથી ગાંધીનગર સુધી સાઈકલ યાત્રા કાઢી મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી પરંતુ ન્યાય ન મળતા હવે છેક દિલ્હી સુધીની યાત્રાનો પ્રારંભ કર્યો

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના 65 વર્ષના ખેડૂત અરસીભાઈ રામ પોતાની જમીનના હક્ક મેળવવા માટે છેલ્લા 18 વર્ષથી લડત લડી રહ્યા છે. આ અંગે વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજુઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સોમનાથથી દિલ્હી સુધી સાઈકલ પર ન્યાય યાત્રાએ નીકળ્યા છે. પોતાના હક્કની જમીન મેળવવા તેઓ દિલ્હી સુધી સાઈકલ પર જશે […]

આ તે કેવો ન્યાય? રેલીઓ કાઢનાર નેતાઓને દંડ નહીં ને સુરતમાં એકની એક દીકરીના લગ્નના અવસરે પાલિકાએ 5000નો દંડ ફટકાર્યો

કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું ખૂબજ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતા પાલિકાએ 5000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉલ્લેખનીય છે કે, એકતરફ કોરોના કાળ દરમિયાન ચૂંટણીના બ્યૂગલો ફૂંકવા માટે નેતાઓ ઠેર-ઠેર જાહેર સભાઓ અને […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1540 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,01,949 થયો

ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં 326 કેસ સાથે 09 લોકોના મોત થતાની સાથે છેલ્લા […]

પરિવાર મુંઝવણમાં: ‘દીકરીના લગ્નની 300 કંકોત્રી વહેંચી દીધી, હવે લગ્નમાં 100ને જ મંજુરી, કોને ના પાડવા જઉ’

કોરોના સંક્રમણ ને લઇ ગુજરાત સહિત 4 રાજ્યોની સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ ઝાટકણી કાઢી હતી. જે બાદ ગણતરીની કલાકોમાં જ ગુજરાત સરકાર દ્વારા લગ્ન પ્રસંગ માટે 200 વ્યક્તિઓની છૂટછાટ આપવામાં આવી હતી તેને અડધી કરી નાખવામાં આવી છે તો બીજી તરફ રાત્રી કર્ફ્યુને લઈને પહેલેથી જ રાજકોટ શહેર પોલીસ દ્વારા લગ્ન પ્રસંગ માટે મનાઈ ફરમાવી […]

‘સસુરાલ સિમર કા’ના એક્ટરનું નિધન: અભિનેતા આશિષ રોયનું અવસાન, કિડની ફેલ્યોર અને આર્થિક તંગીનો સામનો કરતાં ઘરમાં અંતિમ શ્વાસ લીધા

‘સસુરાલ સિમર કા’ જેવી ટેલિવિઝન સિરિયલોમાં જોવા મળેલા અભિનેતા આશિષ રોયનું મુંબઈમાં નિધન થયું છે. જાણવા મળેલી માહિતી પ્રમાણે, 24 નવેમ્બરની સવારે લગભગ 4 વાગ્યે આ 55 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. આશિષ છેલ્લાં કેટલાંક વર્ષોથી કિડનીની બીમારીનો સામનો કરી રહ્યા હતા અને તેમની પાસે સારવારના પણ પૈસા નહોતા. છેલ્લા એક વર્ષમાં તેઓ […]

દેશમાં કોરોનાનો ચોંકાવનારો કેસ: 10 વર્ષના બાળકમાં સંક્રમણ બાદ લોહી ગંઠાઇ ગયું અને આંતરડા ડેમેજ થયા, પિતાનું આંતરડું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

કોરોનાનું સંક્રમણ આંતરડાને પણ નુકસાન પહોંચાડી શકે છે. પુણેના 10 વર્ષીય ઓમ ધુલેનો આવો જ કિસ્સો સામે આવ્યો છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ ઓમનું નાનું આંતરડું સંપૂર્ણ રીતે ડેમેજ થઈ ગયું હતું. આખરે પિતાના આંતરડાનો 200 સેમી ભાગ ઓમમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો. કોઈ બાળકમાં જીવિત મનુષ્યનાં આંતરડાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ દુનિયાનો પ્રથમ કેસ છે. બાળકને […]