અમદાવાદના જુહાપુરામાં પોલીસ પર પથ્થરમારો, હુમલાખોરોએ ગાડીના કાચ તોડ્યાં, 15ની અટકાયત કરાઈ
અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 197 થઈ ગઈ છે. તેવામાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ સતત કામગીરી કરી રહી છે. ત્યાં શહેરના જુહાપુરા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. વેજલપુર અને સરખેજ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી છે. હુમલાખોરોએ પોલીસની વાન પર પણ પથ્થરમારો કર્યો છે. […]