કોરોના માટે દવા આપીને આજે ભારતે 69 વર્ષ જૂનાં અમેરિકાના ઉપકારનો બદલો વાળી દીધો

સમય-સમયની વાત છે. એક સમય હતો જ્યારે ભારત ભયંકર ભૂખમરા અને અનાજની અછત સામે મરવા પડ્યું હતું. ત્યારે અમેરિકા પાસેથી મદદ માગી હતી અને અમેરિકાએ ભારતને મદદ કરી હતી. પરંતુ આજે દુનિયાનો સુપર પાવર દેશ કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારત પાસે મદદ માગી રહ્યો છે. કોવિડ-19ના વધતા કેસના કારણે અમેરિકા પડી ભાંગ્યુ છે. દરરોજ કોરોનાના કારણે થતા મોતથી મુશ્કેલીમાં મુકાયેલા અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસેથી હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા માટે મદદ માગી હતી. 1950થી 2020 સુધીમાં ભારતમાં અનેક વસ્તુ બદલાઈ છે. આજે ભારત દુનિયાની મહાસત્તાને મદદ કરવાની ક્ષમતા ધરાવતું થયું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

1951માં દેશમાં અનાજની અછત પડી હતી અને લાખો ભારતીયો ભુખે ટળવળતા હતા ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ અમેરિકા પાસે 12 ફેબ્રુઆરી 1951ના રોજ અનાજની મદદ માગી હતી. જેના જવાબમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ હેરી એસ ટ્રુમેને ભારતને 20 લાખ ટન ઘંઉની તાત્કાલીક મદદ કરવાની તૈયારી દાખવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અમે ભારતની અપીલ પર બહેરા બનીને જોતા રહી શકીએ નહીં.’

તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ટ્રૂમેને કહ્યું હતું કે, ‘ભારતના લોકો પ્રત્યે અમારી મિત્રતા અને લોકોને ભૂખ્યા ન રહેવા દેવા માટેની અમારી ચિંતા અમને આ પગલું લેવા માટે પ્રેરિત કરી રહી છે.’ આ સમયે અમેરિકન રાષ્ટ્રપ્રમુખના સંદેશને માનવતાના ધોરણે જોવામાં આવ્યો હતો. પરંતુ ટ્રૂમેન અને તેમના સલાહકારોનું માનવું હતું કે નવી દિલ્હીના આગ્રહ પર તરત પ્રતિક્રિયાથી ભારત સાથેના સંબંધોમાં સુધારો આવશે. મહત્વનું છે કે તે સમયે અમેરિકા-ભારતના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો હતો.

આંતરાષ્ટ્રીય સ્તરે નહેરુના અપક્ષ રહેવાના સિદ્ધાંત સામે અમેરિકાને વાંધો હતો. આ ઉપરાંત ચીનને લઈને નહેરુની નીતિ, કોરિયાઈ યુદ્ધ અને પશ્ચિમી કોલોનાઈઝેશન જેવા મુદ્દા પર અમેરિકા અને ભારત વચ્ચે સંબંધોમાં તણાવ રહેતો હતો. તે સમયના તંત્રી લેખોમાં પણ કહેવામાં આવ્યું હતું કે હકીકતમાં અમેરિકાએ ભારતને મદદ એટલા માટે કરી કે તે આ મદદના ભાર નીચે નવી દિલ્હીને સમજાવી શકે કે પશ્ચિમી દુનિયા સાથે રહેવામાં જ અસલી હિત છે.

જોકે 1951થી 2020 સુધીમાં ઘણું બદલાઈ ગયું છે. ભારત આજે અનાજ મામલે તો આત્મનિર્ભર થઈ ગયું છે. પણ સાથે સાથે દુનિયામાં ફાર્માસ્યુટિકલથી લઈને અનેક વસ્તુઓમાં ભારત મોટો સપ્લાયર દેશ બન્યો છે. ત્યારે કોરોના મહામારીના સંકટથી ઘેરાયેલા અમેરિકાને મદદ માટે ભારત સરકાર દ્વારા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના નિકાસની છૂટ બાદ અમેરિકા ભારત અને પીએમ મોદીની વાહવાહી કરવામાં જરાપણ પાછીપાની નથી કરી રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો