સેવાકર્મીઓ પાસેથી કીટ લેવાનો વૃદ્ધાએ કર્યો ઇનકાર , ઝુંપડામાં રહેતી વૃદ્ધાની ખાનદાની જોઈ સેવાકર્મીઓની પણ આંખ છલકાઈ ગઈ

કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. આવા સમયે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે. લોકોના ધંધા, રોજગાર પણ બંધ છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો ગરીબ વર્ગ અને જે લોકો રોજનું કમાઈને ખાતા હોય છે તેવા વર્ગને રાશન કીટથી માંડીને જમવા સુધીની સેવા કરી રહ્યા છે. શહેરી વિસ્તારમાં સેવાભાવી લોકો સેવા આપી રહ્યા […]

અમેરિકામાં સ્થાયી થયેલા અમદાવાદના ડોક્ટર જગદીશ પટેલ કોરોના શરીરમાં પ્રવેશે તો પણ ચેપ સામે કવચ આપતા ડ્રગ્સ પર કરી રહ્યા છે સંશોધન

સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના ફેલાવાના રોકવા માટે પ્રયાસરત છે, ત્યારે મૂળ અમદાવાદના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા ડોક્ટર જગદીશ પટેલ એ બાબત પર સંશોધન કરી રહ્યા છે કે, માનવ શરીરના અવયવોની સપાટી પરના કોષોની આસપાસ એક એવું સંરક્ષણાત્મક કવચ બનાવવું કે જેથી કોરોના વાઇરસ શરીરમાં પ્રવેશ્યો હોવા છતાં, તે શરીરના અવયવોની અંદર પ્રવેશી શકે નહીં. […]

ટૂ વ્હીલર પર એક અને 4 વ્હીલરમાં બેથી વધુ વ્યક્તિ બહાર નીકળશે તો કડકમાં કડક કાર્યવાહી થશે : DGP

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના સંક્રમણની બચવું હોય તો નાગરિકો યોગ્ય સોશિયલ ડીસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાની આદત પાડીને જીવનનો એક ભાગ બનાવે તે અત્યંત જરૂરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ નાગરિકોને આ ખાસ સૂચન કરાયું છે.રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિની વિગતો આપતા શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, કોરોનાના સંક્રમણને રોકવા માટે નાગરિકો […]

અમદાવાદની મેડિકલ ઓફિસરે 6 દિવસમાં જ કોરોનાને હરાવ્યો, કહ્યું-કોરોનાને હરાવવા ગરમ અને હળદરવાળા પાણી તેમજ લીંબુ શરબતનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ

હવે કોરોના ફ્રન્ટલાઈન વોરિયરમાં પણ ફેલાવવા લાગ્યો છે. અમદાવાદ શહેરના ગોતા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડૉ. બ્રિન્દા વચ્છરાજાનીનો 19 એપ્રિલે એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ તેમણે મજબૂત મનોબળ અને સમયસુચકતાથી કોરોનાને 6 દિવસમાં જ પરાસ્ત કર્યો અને 25 એપ્રિલે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યાં છે. આ અંગે ડૉ. […]

કોરોના વાયરસથી થયેલા નુકસાન માટે ચીન પાસેથી 12 લાખ કરોડથી વધુ વળતર વસુલીશું: ટ્રમ્પ

જર્મનીનાં એક સમાચાર પત્રએ હિસાબ લગાવ્યો હતો કે કોરોના વાયરસથી થયેલા નુકસાનનાં બદલે ચીન પર લગભગ 162 બિલિયન ડૉલર (લગભગ 12 લાખ કરોડ રૂપિયા)નો દંડ થાય છે. હવે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા કોરોનાથી થયેલા નુકસાન માટે ચીનને 162 બિલિયન ડૉલરથી પણ વધારેનું બિલ મોકલશે. એક રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પનું માનવું છે કે […]

વડોદરામાં લોકડાઉન વચ્ચે જોવા મળ્યું કોમી એકતાનું પ્રતિક, મુસ્લિમ યુવકોએ હિંદુ વૃદ્ધને આપી કાંધ

દેશભરમાં હાહાકાર મચાવી રહેલી કોરોના વાઈરસની મહામારીમાં વચ્ચે વડોદરામાં મુસ્લિમ યુવાનોએ માનવતાનું કામ કરીને હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરી છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં મૃત્યુ પામેલા હિંદુ વૃદ્ધને મુસ્લિમ યુવાનોએ કાંધ આપીને અંતિમ સંસ્કાર કર્યાં હતા. મુસ્લિમ યુવાનોએ કહ્યું કે, આજે માનવતાનું આ કાર્ય કરીને અમને લાગે છે કે, પવિત્ર રમઝાન માસની દુઆ અલ્લાહે કબૂલ […]

ગુજરાતની પ્રથમ ખાનગી હોસ્પિટલ આવી સામે: રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

કોરોનાની મહામારીમાં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે. ત્યારે રાજકોટની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હોસ્પિટલે કોરોનાના દર્દીઓના હિતમાં નિર્ણય લીધો છે. કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ લેવામાં નહીં આવે. કોરોનાના દર્દીઓને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સાથે ફ્રિમાં સારવાર મળશે. હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડની COVID-19 હોસ્પિટલ ઉભી કરવામાં […]

વાપીના 37 વર્ષના મુસ્લિમ યુવકે સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદો માટે સંકટ સમયે ઉદાર ભાવના દાખવી રૂ. 1.10 કરોડની અનાજની કીટ વહેચી

વાપી ડુંગરી ફળિયા સાંઇનાથ કોમ્લેક્ષ ખાતે રહેતાં નસરુભાઇ ..ની ઉમંર માત્ર 37 વર્ષની છે, પરંતુ તેમની ગરીબો પ્રત્યેની ઉદારતાં અજીબ છે. કારણ કે કોરોના વાઇરસની મહામારીમાં સૌથી વધારે હાલત ખરાબ ગરીબ પરિવારોની થઇ છે. આવા સંકટના સમયે નસુરભાઇએ તેમની યુવકોને ટીમને દેગામ,કરાયા, લવાછા, મોટાપોંઢા, કોપરલી, છીરી સહિત અનેક ગામોમાં સ્લમ વિસ્તારમાં રહેતાં ગરીબોને અનાજની કીટ […]

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે નિધન, કેન્સરથી પીડિત હતા

બોલિવૂડના જાણીતા એક્ટર ઋષિ કપૂરની મોડીરાતે અચાનક તબિયત બગડવાના કારણે તેમને મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે 67 વર્ષની વયે બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરને કેન્સરની સારવાર માટે મોડીરાતે એચએન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઉલ્લેખનીય છે […]

કોરોના વાયરસની રસીનું ક્લિનિકલ ટ્રાયલ સફળ, સપ્ટેમ્બરમાં માર્કેટમાં આવી શકે છે

કોરોના વાયરસની વેક્સિન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઘણાં દેશ કોરોના વાયરસની વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓક્સફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના સામે લડવાની રસી બનાવવા માટેની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ થઈ ગઈ છે. હવે ઈન્સ્ટિટ્યુટને આશા છે કે વેક્સિનને બજારમાં સપ્ટેમ્બર 2020માં ઉતારવામાં આવી શકે છે. […]