કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષનો છોકરો 10 દિવસ ઘરમાં એકલો રહ્યો

કોરોનાથી પિતાનું મોત થતાં અને માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 11 વર્ષના દીકરાને 10 દિવસ ઘરે એકલા રહેવું પડ્યું હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈના ગોરેગાંવ વિસ્તારની આ ઘટનામાં 11 વર્ષના છોકરા હર્શિલ સિંઘના પિતા સુરેન્દ્રસિંહનું એક ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું. મોત બાદ તેમનો કોરોના રિપોર્ટ આવ્યો હતો, જે પોઝિટિવ હતો. લેટેસ્ટ ન્યૂઝ […]

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની મુખ્યમંત્રીએ કરી જાહેરાત, નાના વેપારીઓ, રિક્ષા ચાલકો અને ફેરીયાઓને મળશે 2 ટકા વ્યાજે લોન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉનના કારણે મંદ પડેલા અર્થતંત્રને વેગ આપવા માટે આત્મનિર્ભર ભારતની વાત કરતા 20 લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેના પગલે હવે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનો લાભ 10 લાખ લોકોને મળશે. આ યોજના અંતર્ગત બેંકો અરજીના આધારે લોન પાસ કરશે અને એક […]

ગુજરાતમાં ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના જીવ બચાવવા માટે રૂ. 40 હજારનું એક એવાં બે ઇન્જેક્શન વિનામૂલ્યે અપાશે, જેનાથી મૃત્યુનું પ્રમાણ ઘટશે

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો વધી રહેલો આંકડો ચિંતાજનક છે, મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતાં બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. આમ થતું અટકે તે માટે ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મંગાવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને આપી તેનો જીવ બચાવવામાં આવશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

કોરોના વાઈરસ કદાચ ક્યારેય ખતમ નહીં થાય, દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઈએ: WHO

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઈક રેયાને કહ્યું છે કે, કોરોના ક્યારેય ખતમ ન થાય એવી બીમારી છે. દુનિયાએ તેની સાથે જ જીવતા શીખવું પડશે. તેમણે કહ્યું કે, HIV પણ હજી સુધી ખતમ નથી થયો, પરંતુ આપણે તેની સાથે જીવતા શીખી ગયા છીએ. રેયાને કહ્યું કે, હાલ હું કોઈ બીમારીઓની સરખામણી નથી […]

અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ શરતો સાથે આજથી શાકભાજી, અનાજ અને કરિયાણાની દુકાનો ખુલશે

કોરોનાનું એપી સેન્ટર બની ગયેલા અમદાવાદને બચાવવા રાજ્ય સરકારે પરિણામલક્ષી પગલાં ભરવા માટે જાણીતા સિનિયર IAS રાજીવકુમાર ગુપ્તાને હવાલો સોંપ્યાના ગણતરીના જ કલાકોમાં તેમણે અને મ્યુનિસિપલ કમિશનરનો નવો હવાલો જેમને સોંપાયો તે મુકેશકુમારે સંક્રમણના ફેલાવાના મૂળ પર જ આકરો ઘા કરવારૂપે આકરાં પગલાં જાહેર કર્યા હતાં. હવે રાજીવકુમાર ગુપ્તાએ એક મહત્વની જાહેરાત કરી છે. આ […]

વેક્સિન જ નથી કોરોનાનો એકમાત્ર ઇલાજ, સ્વદેશી સહિત 7 દવા પર ટ્રાયલ ચાલી રહી છે, એક-બે મહિનામાં સસ્તી દવા મળી શકે છે: ડૉ. શેખર માંડે

કોરોના વિરુદ્ધ દેશની ટોચની સાયન્ટિફિક રિસર્ચ સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની 37 લેબમાં લૉકડાઉન દરમિયાન વિજ્ઞાનીઓ વિવિધ રિસર્ચમાં અને ટેક્નિકલ ડેવલપમેન્ટમાં વ્યસ્ત છે. CSIRના ડાયરેક્ટર જનરલ ડૉ. શેખર માંડેએ કહ્યું કે વેક્સિન જ કોરોનાનો એકમાત્ર ઇલાજ હોવાની એક ગેરસમજ છે. કોરોનાનો ઇલાજ દવા પણ હોઇ શકે છે. તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ… […]

લૉકડાઉનમાં પણ વ્યાજખોરો બન્યા બેફામ, વ્યાજખોરોની ધમકી અને ભયને કારણે સુરતનાં યુવાને કર્યો આપઘાત

કોરોના વાયરસને કારણે એક બાજુ લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે નાના મોટા ધંધા પડી ભાંગ્યા છે. જે લોકોએ ધંધા વેપાર માટે વ્યાજે રૂપિયા લીધા હતા તેમની હાલત કફોડી થઇ ગઇ છે. આવા સમયમાં પણ વ્યાજખોરો તગડી ઉઘરાણી કરવાનું છોડતા નથી. આવો જ એક કેસ નોંધાયો છે. શહેરમાં વ્યાજખોરોની ધમકી અને ભયને કારણે એક યુવાને […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ, 20ના મોત, મૃત્યુઆંક 586 અને કુલ કેસ 9,592 થયા

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર […]

સુરતમાં લૉકડાઉનમાં બેકાર થયેલા ત્રણ રત્નકલાકારોને જીવન નિર્વાહ માટે તરબૂચ વેચવા ભારે પડ્યા, પોલીસે જેલમાં પૂરી દીધા

કોરોના વાયરસ (Coronavirus)ને લઇને હાલ લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉનને પગલે વેપાર અને ઉદ્યોગ બંધ હોવાને લઈને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારો (Diamond Worker)એ પોતાના જીવન નિર્વાહ માટે તરબૂચ (Watermelon) વેચવાનો વેપાર શરૂ કર્યો હતો. જોકે, યુવકોને અહીં પણ સફળતા મળી ન હતી અને પોલીસે લૉકડાઉન ભંગનો ગુનો નોંધીને ત્રણેય રત્નકલાકારોની ધરપકડ કરી છે. […]

સરકારનો મોટો નિર્ણય: હવે સામાન્ય નાગરીક પણ 3 વર્ષ માટે ભારતીય સેનામાં સામેલ થઈ શકશે

પૂર્વની પરિસ્થિતિમાં એક પ્રમુખ ફેરફાર કરતા ભારતીય સેના(Indian Army) ત્રણ વર્ષ માટે ‘ટૂર ઓફ ડ્યૂટી’ માટે સામાન્ય નાગરીકોને પોતાની સંસ્થામાં સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ભારતીય સેનાના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, એક પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે, જે હેઠળ સામાન્ય નાગરીકોને રાષ્ટ્રની સેવા કરવા માટે ત્રણ વર્ષની ટૂર ડ્યુટીની મંજૂરી […]