આ રાજ્યએ ધો.1થી 5ના બાળકોના ઓનલાઈન ક્લાસ પર પ્રતિબંધ મૂક્યો, સ્કૂલો ફી પણ નહીં લઈ શકે

કોરોના વાયરસની મહામારીના કારણે દેશભરમાં માર્ચ મહિનાથી તમામ સ્કૂલો બંધ છે. પરીક્ષા ન લઈ શકવાના કારણે ઘણા રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કર્યા છે. કોરોનાનો પ્રકોપ હજુ સુધી યથાવત રહેતા કેટલાક રાજ્યોમાં સ્કૂલોએ ઓનલાઈન જ નવું સત્ર શરૂ કરી દીધું છે. ત્યારે કર્ણાટક સરકારે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સમગ્ર રાજ્યમાં 1થી 5 […]

આજનો શ્રવણ કુમાર! કોરોના સંક્રમિત પિતાની સારવાર માટે જરૂરી દવા આખા શહેરમાં ક્યાંય નહોતી, દીકરો બીજા રાજ્યમાં જઈને લઈ આવ્યો

કોરોના વાયરસે ભારતમાં હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં કોરોનાના કેસનો આંકડો 3 લાખની નજીક છે. કોવિડ-19ની કોઈ ખાસ રસી કે દવા ન હોવાથી ડોક્ટર્સ અન્ય દવાઓથી દર્દીની સારવાર કરી રહ્યા છે. પરિણામે માર્કેટમાં તે દવાઓની અછત સર્જાવા પામી છે. ચેન્નઈમાં કોરોનાથી પીડિત એક વ્યક્તિ માટે જરૂરી દવા નજીકમાં ક્યાંય ન મળતા દીકરો 1000 કિમી ડ્રાઈવ કરીને […]

અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ફોન કરવા માંગે, સરનામું પૂછે કે અન્ય કોઈ વાતો કરે ત્યારે લોકોએ ચેતીને રહેવું, જાણો શું હતો સમગ્ર કિસ્સો

લોકડાઉન ખુલ્યા બાદ હવે તસ્કરો, લૂંટારુઓ, ચીટરો પણ સક્રિય થઈ ગયા છે. અમદાવાદ ના એલિસબ્રિજ વિસ્તારમાં એવો કિસ્સો સામે આવ્યો જે જાણીને સહુ કોઈએ ચેતવણી જરૂર છે. એક વ્યક્તિ બેંકમાં નાણાં ભરવા જતા હતા ત્યારે બે ગઠિયાઓ આવ્યા અને પર્સ તેમણે લીધું છે તેમ કહી ખિસ્સા તપાસવાનું કહીને 31 હજાર પડાવી લીધા હતા. ત્યારે રસ્તામાં […]

કોરોનાગ્રસ્ત વિધવાની સેવામાં એક પછી એક બે સગાભાઈનાં મોત, કહાની જાણીને તમારી આંખમાં આંસું આવી જશે

ઇસનપુરમાં સેતુધામ સોસાયટીમાં એક પરિવારના બે સગાભાઈઓ એકલા રહેતા કોરોનાગ્રસ્ત વિધવા પડોશીની સેવા કરવામાં કોરોનાગ્રસ્ત થયા હતા અને બંનેનું મોત થતા સોસાયટીના લોકો આઘાતમાં સરી પડયાં હતા. કોરોનાને લીધે સમગ્ર પરિવારનો આધારસ્તંભ દક્ષેશ મોદી અને બ્રિજેશ મોદીના અવસાનથી સમગ્ર પરિવાર વિખેરાઈ ગયો છે. ૧૪થી ૧૫ વર્ષના બંને બાળકોનું ભાવિ હાલમાં અંધકારમય બન્યું છે. લેટેસ્ટ ન્યૂઝ […]

SVP હૉસ્પિટલમાંથી ચોરી કરતી મહિલા સ્ટાફ ઝડપાઇ, કોરોનાના દર્દીઓ માટે વપરાતી સામગ્રીની કરતી હતી ચોરી

શહેરમાં સૌથી ગગનચુંબી હૉસ્પિટલમાં જેની ગણના થાય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) સંચાલિત એસ વી પી હોસ્પિટલ (SVP Hospital)માં ચોરીની ઘટના સામે આવી છે. હૉસ્પિટલમાં કામ કરતા મહિલા કર્મચારીને દર્દીઓને અપાતા માસ્ક (Mask), દવા (Medicine) અને અન્ય વસ્તુઓ ચોરી કરતા રંગે હાથ ઝડપી લેવામાં આવી છે. અહીં સવાલ એ ઊભો થયો છે […]

માનવતા મરી પરવારી, કોરોના શંકાસ્પદ દર્દીને બોપલથી એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ પહોંચાડવાના 20 હજાર વસૂલ્યા

ગુજરાતમાં કોરોના વાયરસનાં સંક્રમિત લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હૉસ્પિટલની બેદરકારી અને અમાનવીય વર્તનનાં અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે. અદાવાદમાં દર્દીઓની હાલત કફોડી હોવાનો એક કિસ્સો બન્યો છે. કોરોના શંકાસ્પદ દર્દીને ખાનગી હૉસ્પિટલમાંથી સિવિલમાં ખસેડવા માટે એમ્બ્યુલન્સનાં 20 હજાર રૂપિયા લીધા છે. ત્યારે આ પરિવારે અઢી તેમની આપવીતી જણાવતો એક […]

ટીવી સિરિયલ ‘શ્રીગણેશ’ ફૅમ ગુજરાતી એક્ટર જગેશ મુકાતીનું 47 વર્ષની ઉંમરમાં નિધન

વર્ષ 2020 બોલિવૂડ તથા ટીવી માટે ઘણું જ ખરાબ રહ્યું છે. આ વર્ષે ઘણાં દિગ્ગજ એક્ટર્સના નિધન થયા છે. ગુજરાતી નાટકોમાં પોતાની અલગ જ ઓળખ બનાવનાર 47 વર્ષીય જગેશ મુકાતીનું નિધન 10 જૂનના રોજ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર એ જ દિવસે કરી દેવામાં આવ્યા હતાં. ત્રણ-ચાર દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતાં સૂત્રોના મતે, જગેશની તબિયત ગયા […]

છેલ્લા 24 કલાકમાં ગુજરાતે રેકોર્ડ તોડી નાંંખ્યો, એક જ દિવસમાં કોરોનાના કેસમાં 513 નવા કેસ નોઁધાયા અને 38 દર્દીઓના મોત થયા

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 22 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

લૉકડાઉનથી આર્થિક ભીંસ વધતા સુરતમાં રત્નકલાકારનો આપઘાત : વિધવા માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો

શહેરના કતારગામ વિસ્તાર (Surat Katargam Area)માં આવેલા પ્રાણનાથ હૉસ્પિટલની બાજુમાં રહેતા એક રત્નકલાકારે આપઘાત (Surat Diamond Worker Suicide) કરી લીધો છે. યુવક છેલ્લા 17 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. છેલ્લા એક વર્ષથી બેકાર બનેલો રત્નકલાકાર લૉકડાઉન (Lockdown)ને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં હિંમત હારી ગયો હતો અને ઘરમાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. […]

ભારત પાસે દુનિયાની સૌથી શક્તિશાળી સેના, અમેરિકા, રશિયા અને બ્રિટનને પણ ચટાડી શકે છે ધૂળ: ચીની નિષ્ણાંત

લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઉભો થયેલો સરહદી વિવાદ તેની ચરમસીમાએ છે. ભારત કોઈ પણ ભોગે પીછેહટ કરવા તૈયાર નથી જેથી બરાબરનું અકળાયેલુ ચીન છસવારે યુદ્ધની ધમકીઓ પર ઉતરી આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે ચીનના જ મિલિટરી નિષ્ણાંતે ચીનને દર્પણ દેખાડ્યું છે. આ નિષ્ણાંતે ભારતીય સેનાના ભારોભાર વખાણ કર્યા હતાં. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]