હવે PUBG સહિત 275 ચીની એપ્સ પર પ્રતિબંધની શક્યતા, સરકાર કરી રહી છે તપાસ

ભારતમાં 59 ચીની (Chinese Apps Ban) એપ્સ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે સરકાર ચીનની કેટલીક અન્ય 275 એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. સરકાર તપાસ કરી રહી છે કે આ એપ્સ પણ રાષ્ટ્રીય સુરક્ષા (National Security) અને યૂઝર પ્રાઇવસી (User’s Privacy) માટે ખતરો તો બની ચૂકી નથી ને. સૂત્રો મુજબ, જે કંપનીઓના સર્વર ચીનમાં છે, […]

કોરોનાને મ્હાત આપીને સુરતી ઉદ્યોગપતિએ માનવતા મહેકાવી, ગરીબોને કોરોનાની નિઃશુલ્ક સારવારની વ્યવસ્થા કરી

રાજ્યમાં કોરોના વાયરસ દિવસે-દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યના સુરત ખાતે કોરોનાનો કહેર ખુબ જ વધી ગયો છે. તેથી સુરતની હોસ્પિટલો પણ હવે દર્દીઓથી ફૂલ થઈ ગઈ છે. કેટલીક હોસ્પિટલમાં તો સાધન સામગ્રીનો પણ અભાવ છે. જેથી કોરોના વાઇરસના ચેપ લાગેલા એક દર્દીએ આ બધી બાબતોનું […]

હર્ડ ઈમ્યુનિટી વિકસિત કરવા માટે 50થી 60 ટકા વસ્તીમાં કોવિડ-19નો સામનો કરવા માટે રોગ પ્રતિકારક ક્ષમતા હોવી જોઈએ

કોવિડ-19ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં લાંબો સમય લાગશે, રસી આવ્યા પછી તે ઝડપથી વિકસિત થશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને શુક્રવારે આ ચેતવણી જાહેર કરી છે. શુક્રવારે WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો. સૌમ્યા સ્વામીનાથનના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિકો સતત વેક્સીન તૈયાર કરવામાં રોકાયેલા છે. કોવિડ-19થી રાહત આવતા વર્ષે અથવા તેના પછી જ શક્ય છે. આ દરમિયાન કોરોનાથી થતા […]

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીએ યુવતીને કાર વડે ઠોકર મારીને કહ્યું ‘ વિજય રૂપાણી મારા માસા છે’

શહેરના નિર્મલા રોડ પર સાઇક્લિંગ કરી રહેલી યુવતીને કારની ઠોકરે લઇ મેડિકલના વિદ્યાર્થીએ ધમાલ કરી હતી. એટલું જ નહીં મુખ્યમંત્રી મારા માસા છે અને પોલીસ અધિકારીઓ મારા પિતાના મિત્ર છે તેમ કહી યુવતીને ગાળો ભાંડી હતી. ધમાલનો વીડિયો વાઇરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને મુખ્યમંત્રીનું નામ વટાવનાર મેડિકલના વિદ્યાર્થીને ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી […]

સુરત સિવિલ હોસ્પિટલમાં ખડેપગે સુરક્ષા વ્યવસ્થા સંભાળીને 271 સિક્યુરિટી ગાર્ડ કોરોના સામેના જંગમાં અમુલ્ય યોગદાન આપી રહ્યા છે

કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં તૈનાત 271 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક ખડેપગે ફરજ બજાવીને કોરોના સામેના જંગમાં યોગદાન આપી રહ્યા છે. જેમાંથી 72 સિક્યુરિટી ગાર્ડ પોતાની જીવની પરવા કર્યા વગર સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ-19 હોસ્પિટલમાં સતત આઠ કલાક PPE કીટ પહેરીને નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે. સાચા અર્થમાં ગ્રાઉન્ડ લેવલના કોરોના વોરિયર કહી શકાય […]

શિવલિંગ ઉપર અભિષેક કેમ કરવામાં આવે છે? શ્રાવણમાં શિવજીનો રૂદ્રાભિષેક કરવાની છે પરંપરા, જાણો તેનું કારણ

શ્રાવણ મહિનામાં શિવજીનો રૂદ્રાભિષેક વિશેષ રૂપથી કરવામાં આવે છે. રૂદ્ર અભિષેક એટલે રૂદ્રને સ્નાન કરાવવું. શિવજીનું એક નામ રૂદ્ર પણ છે. તાંબાના લોટાથી શિવલિંગ ઉપર જળની ધારા અર્પણ કરવામાં આવે છે. શિવલિંગ ઉપર જળ કેમ ચઢાવવામાં આવે છે, આ અંગે સમુદ્ર મંથનમાં કથા પ્રચલિત છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માએ જણાવ્યું કે, શિવજીને એવી વસ્તુઓ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: રવિવાર સાંજ સુધીમાં રેકોર્ડબ્રેક 1110 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 55,822 અને મૃત્યુઆંક 2326 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 13 લાખને પાર પહોંચી ગયા છે. નોંધનીય છે કે, હવે દર 3 દિવસે દેશમાં 1 લાખ નવા કેસ નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે ગુજરાતમાં પણ છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસ 1 હજારને પાર નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં કોરોનાનું વધતુ જતું સંક્રમણ ચિંતાનો વિષય બની રહ્યું છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં […]

સપ્તાહમાં માત્ર 2 વાર પી લો આ ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક, રોગોથી બચીને રહેશો, જાણો બનાવવાની સરળ રીત

આજકાલ જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે અને સતત તેનું સંક્રમણ વધી રહ્યું છે એવામાં જરૂરી છે કે, આપણી ઈમ્યૂનિટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે. સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરીને રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને આ ચેપથી બચી શકાય છે. એવામાં જો તમે અહીં જણાવેલી સરળ રેસિપીથી સપ્તાહમાં બેવાર ઈમ્યૂનિટી બૂસ્ટર ડ્રિંક પીવો અને તમારા પરિવારજનોને […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતાં અનોખો વિરોધ, 70 સિક્યુરિટીનું 4 કલાક ‘વિશ્રામ’

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 70 સિક્યુરિટી જવાનોનો 2 મહિનાથી પગાર નહીં થતાં રોષે ભરાયા હતાં. શુક્રવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી જવાનોએ એસઓયુ પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે વિશ્રામની સ્થિતિમાં ઉભા રહી અનોખો વિરોધ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ આશ્વાસન આપ્યા બાદ સાંજે જવાનોને એક મહિનાનો પગાર ચૂકવી દેવાયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

1 ઓક્ટોબરથી મીઠાઈના પેકેટ પર ઉત્પાદન અને ઉપયોગની તારીખ લખવી ફરજિયાત, આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ દંડ અને કાર્યવાહી પણ થશે

મીઠાઈની દુકાને હવે ગ્રાહકે મીઠાઈ તાજી છે કે જૂની તે પૂછવું નહીં પડે. કારણ કે હવે તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. આવું નહીં કરનાર દુકાનદાર વિરુદ્ધ દંડ અને દુકાન પર તાળા મારવા સુધીની કાર્યવાહી પણ થઈ શકશે. લેટેસ્ટ […]