ભારતના આ કિલ્લા પરથી દેખાય છે પાકિસ્તાન, તેની સુંદરતા જોઇને કહેશો વાહ! ચામુંડા માતાએ યુદ્ધ દરમિયાન કર્યું હતું રક્ષણ

ભારત એક એવો દેશ છે જ્યાં ઘણા રાજાઓ અને મહારાજાઓએ શાસન કર્યું છે. આમાંના ઘણાએ ભારતને લૂંટી લીધું પણ પોતાની નિશાન છોડવા અને સલામત રહેવા માટે પોતાની રીતે કિલ્લાઓ પણ બનાવ્યા. જે આજે પોતાનામાં ખૂબ જ વિશેષ છે જો તમે ઇતિહાસને નજીકથી જાણવા માંગતા હોવ તો આ સ્થાન તમારા માટે અને બાળકો માટે ખૂબ સારું […]

ભાવનગરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત DYSPના પૂત્રએ પત્ની અને દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ

નિવૃત DYSPના પૂત્રએ પત્ની-દીકરીઓ સાથે સામૂહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વિજયરાજ નગરમાં આજે ઘટેલી ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે. વિજયરાજનગર માં સામુહિક આપઘાતનો બનાવ બન્યો છે. રિટાયર્ડ ડીવાયએસપી ના પુત્ર એ કર્યો રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો છે. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત ડીવાયએસપી નરેન્દ્રસિંહના પુત્રએ પરિવાર સાથે આપઘાત કરી લેતા […]

અમદાવાદમાં શાકભાજીવાળાને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે રૂ.100ની લાંચ માંગતા ત્રણ પોલીસકર્મીઓને ACBએ રંગેહાથ ઝડપી લીધા

અમદાવાદ શહેરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને ACB(એન્ટી કરપ્શન બ્યૂરો)એ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. વહેલી સવારે ACBને ફરિયાદી તરફથી લાંચ અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. PCR(પોલીસ કન્ટ્રોલ રૂમ)માં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધા બાદ ACB કચેરી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં કેટલા રૂપિયાની […]

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે

કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1364 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,17,709 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 49 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે ગુજરાતમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1364 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યના અમદાવાદ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર અને ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે, ખુશીના સમાચાર એ છે કે, રાજ્યમાં કોરોના મુક્ત થનારા લોકોની […]

આયુર્વેદનાં ઉત્તમ પિત્તશામક ઔષધોમાં જેની ગણતરી થાય છે તે ઔષધ: શતાવરી, તેના ફાયદા અને ઉપયોગની રીત જાણો અને શેર કરો

આયુર્વેદમાં એકલા પિત્તદોષથી થતા ૪૦ પ્રકારના રોગોનું વિવરણ કરવામાં આવ્યું છે. અન્ય દોષો સાથે પિત્તદોષના સંયોગ કે સહયોગથી બીજા અનેક રોગ ઉત્પન્ન થાય છે. આ વિકૃત પિત્તના શમન માટે આયુર્વેદમાં અનેક પિત્તનાશક ઔષધો પણ દર્શાવાયાં છે. જેમાંથી વૈદ્યો પિત્તના વિભિન્ન રોગોમાં સૌથી વધારે કયું ઔષધ પસંદ કરીને વાપરે છે, તે આપ જાણો છો? એ ઔષધનું […]

વધુ એક ઝટકો: કેન્દ્ર સરકાર મોટું નામ અને વ્યવસાય ધરાવતી આ 6 કંપનીઓ કરશે બંધ

વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક આકરો નિર્ણય લેવા જઈ રહી છે. તે સાંભળીને તમને ઝટકો લાગી શકે છે. કેમ કે કેન્દ્ર સરકાર વધુ 6 કંપનીઓને બંધ કરવા જઈ રહી છે. વિનિવેશ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારનો વધુ એક નિર્ણય કેન્દ્ર સરકાર વધુ 6 કંપનીઓને બંધ કરશે ચાલુ વર્ષે 2.10 લાખ કરોડના વિનિવેશનું લક્ષ્ય સરકારનું પબ્લિક સેક્ટરમાં […]

રિશ્વતખોર PI અત્યાચારની તમામ હદો વટાવી, જુગારીએ 3 લાખની લાંચ આપવાની ના પાડતા જેતપુરના સીટી PI ધાબા પર લઇ ગયા અને…

જેતપુર શહેરના બાવાવાળાપરામાં એક રહેણાંક મકાનમાંથી એલસીબીએ છ શખ્સોને જુગાર રમતા ઝડપી સીટી પોલીસને સોંપ્યા હતા. બાદમાં સીટી પી.આઇએ એક વયોવૃદ્ધને એટલો માર્યો કે લોહીલુહાણ હાલતમાં તેમને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા હતા. રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરાત્રીના શહેરના બાવાવાળાપરા વિસ્તારમાં આવેલ રહેતા જીતેન્દ્ર રામાણીના ઘરે છાપો મારીને રમેશચંદ્ર નથવાણી, સહેજાદ રફીક છુટાણી, અનિલ બારૈયા, […]

શિક્ષિત બેરોજગારોના ખોફથી આખું ગાંધીનગર પોલીસ છાવણીમાં તબદીલ, સરકારી ભરતીઓને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ

સરકારી ભરતીઓને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં આંદોલનના મંડાણ દેખાતા ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે. ગાંધીનગરમાં આજ વહેલી સવારથી જ ઠેરઠેર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. એલઆરડી, ટેટ, ટાટ, બિન સચિવાલય સહિત ભરતી પ્રક્રિયા મામલે યુવાનો સોશિયલ મીડિયામાં આંદોલન માટે મુકેલી પોસ્ટોને આધારે ગાંધીનગરમાં બંદોબસ્ત ગોઠવાયો હતો. ગાંધીનગર ઉપવાસ છાવણી પોલીસ છાવણીમાં પરિવર્તિત થયું […]

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ગોધરાથી ઘરના ગદ્દાર ઇમરાનને ઝડપ્યો, ISIને આપતો હતો નૌસેનાની સિક્રેટ માહિતી

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)ની ટીમે ગોધરામાંથી પાકિસ્તાની જાસૂસને સોમવારે મોડી રાત્રે ઝડપી પાડ્યો છે. NIAની ટીમે પાકિસ્તાની જાસૂસ ઇમરાન ગિતેલીની પૂછપરછ શરૂ કરી દીધી છે. ઇમરાન ગિતેલી વિશાખાપટ્ટનમ જાસૂસી કેસનો પણ મુખ્ય આરોપી હોવાનું બહાર આવ્યું છે. સ્થાનિક પોલીસની મદદથી NIAની ટીમે જાસૂસ ઇમરાન ગિતેલીને ઝડપી પાડ્યો પાકિસ્તાન માટે જાસૂસ કરતો 37 વર્ષીય ઇમરાન ગિતેલી મૂળ […]