નારી શક્તિ: પતિ 21 વર્ષ પહેલા તરછોડી ગયો, 4 માસ પહેલા સંતાનનું નિધન થયુ તો ય હિંમત ન હારી, સ્વમાનભેર ભરૂચની આ મહિલા ચલાવે છે રિક્ષા

કોઈકે સાચું જ કહ્યું છે કે, ‘જબ હૈ નારી મે શક્તિ સારી, તો કયોં કહે ઉસે બેચારી.’ વર્તમાન સમયમાં મહિલાઓ કોઈના પર નિર્ભર નથી રહેતી તેવા અનેક કિસ્સાઓ આપણે આપણી આસપાસ જોઇએ છીએ. મહિલાઓ ધારે તો વિમાન અને ફાઇટર પ્લેન પણ ઉડાવી જાણે છે. ત્યારે આજે આપણે ભરૂચની સ્વમાની મહિલાની વાત કરવાના છે. ભરૂચની એક […]

ખેડૂતોને 7/12ની નકલમાં નામ રાખવું હોય તો 8/12ના ભારત બંધને સમર્થન આપો: કૉંગ્રેસ

નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી સરહદ પર ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ છે. ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યાં છે. આ ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસે પણ પોતાનો ટેકો જાહેર કર્યો છે. ગુજરાત કોંગ્રેસ કાલે, રવિવારે, ગાંધીનગરના સેક્ટર-6 સ્થિત સત્યાગ્રહ છાવણીમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યાં હતાં. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા, હાર્દિક […]

સાબરકાંઠાના ખેડૂતોને દિલ્હીના આંદોલનથી થઇ રહ્યું છે લાખોનું નુકસાન તો પણ કરી રહ્યા છે સમર્થન

સાબરકાંઠા જીલ્લાનુ એક એવુ ગામ છે કે, જે વાલોળ નામની શાકભાજીમાંથી વધુ ઉત્પાદન મેળવે છે આ ગામમાં તમામ ખેડુતો ખાસ કરીને વાલોળની ખેતી કરે છે. આ ખેતીથી સીઝન દરમીયાન 10થી 12 કરોડ રૂપિયા મેળવે છે પરંતુ દિલ્હીમાં આંદોલનને લઈને આ ખેડુતોનો પાક ન પહોચતા ભારે નુકશાન જોવા મળ્યુ છે.. સાબરકાંઠા જીલ્લાનો વડાલી તાલુકો કે જે, […]

દેશના ખૂણે ખૂણામાં કોરોના વેક્સિન પહોંચાડવા માટે વાયુસેનાનો રોડમેપ તૈયાર, કરી આવી તૈયારીઓ

દેશના ખૂણે ખૂણામાં કોરોના વેક્સિન પહોંચાડવા સંભવિત દાયિત્વને પુરુ કરવા માટે વાયુસેના તૈયાર છે. દૂર દૂરના વિસ્તારમાં વેક્સિન પહોંચાડવાની જવાબદારી સેના પર જ આવવાની છે. વાયુસેના હેડઓફિસે તેને ધ્યાનમાં રાખીને ખાસ હેતુસર વેક્સિનના ટ્રાન્સપોર્ટેશનના રાષ્ટ્રવ્યાપી અભિયાનની રૂપરેખા તૈયાર કરી લીધી છે. સરકારનો આદેશ મળતાની સાથે તેને લાગૂ કરી દેવાશે. વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે, વેક્સિનની એરલિફ્ટિંગ […]

નડિયાદના સિક્યુરિટી ગાર્ડની ડોક્ટર દીકરીએ મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડરનો ખિતાબ જીતીને શહેરનું અને પરિવારનું ગૌરવ વધાર્યું, હવે નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેશે

નડિયાદના સિક્યુરિટી ગાર્ડ પિતા અને શિક્ષિકા માતાની ડોકટર દીકરીએ પરિવારને ગૌરવ અપાવ્યું છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી દીકરી બ્રેવશી રાજપૂતે પ્રથમ ફિઝિયોથેરાપિસ્ટ બની અને હવે સૌંદર્યની સ્પર્ધામાં પણ અવ્વલ ક્રમાંક મેળવતા નડિયાદ નગરજનોમાં ગૌરવની લાગણી ફેલાઈ છે. ડો. બ્રેવશી રાજપૂતે મિસ યુનિવર્સલ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020નો ખિતાબ જીત્યો છે અને મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020માં […]

ગેસ શરૂ થતા જ ચાની કિટલી પર ભડકો થયો અને સગડી ઉછળતા ટાવરની 20 દુકાનો ભસ્મીભૂત, કિટલી વાળો અને ગ્રાહકો જીવ બચાવવા ભાગ્યા

અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામશિખર કોમ્પ્લેક્સમાં વહેલી સવારે આગ લાગતાં 20 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. આગની સમગ્ર ઘટનાને નજરે જોનાર કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ એવા બાબુભાઇ પટેલે જણાવ્યું હતું કે આખા કોમ્પ્લેક્સમાં અમે બે સિક્યુરિટી ગાર્ડ હતા. કોમ્પ્લેકસમાં પહેલા માળે આવેલી જવેલર્સની દુકાનની બહાર તેઓ બેઠા હતા. નીચેના ભાગે આવેલા શિવમ પાન […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1455 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,18,788 થયો

ગુજરાતમાં કોરોના કેસ (Gujarat Corona Virus Case) સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ (Night curfew) લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે સામાન્ય ઘટાડો થયો છે. ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona […]

જો તમે થાક, વધતા વજન અને સાયટીકાના દુખાવાથી પીડિત છો તો કરો આ આસન, પીઠનો દુખાવો પણ કરશે દૂર અને શરીરને રાખશે તદુંરસ્ત

જો તમે પીઠના દુખાવા, થાક અને વધતા વજનથી ચિંતિત છો તો શલભાસન કરવાથી ફાયદો થશે. શલભ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ ટીકડું કે ખડમાકડી થાય છે. શલભાસન સાયટીકા અને પીઠના નીચલા ભાગના દુખાવામાંથી રાહત આપે છે. તે પાચનમાં સુધારો કરે છે અને સ્નાયુઓને આકાર આપે છે. આ રીતે કરો આસન શલભાસન કરવા માટે પહેલા તમારે […]

સ્વાસ્થ્ય માટે હેલ્થી અને ટેસ્ટી છે શાકનો આ ખાસ સૂપ, ફૂલગુલાબી ઠંડીમાં રાખશે તમારો ખ્યાલ, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની ઠંડી સાંજે સૂપની મજા અલગ જ હોય છે. શાકભાજીના સૂપથી પેટ તો ભરાય છે અને સાથે શરીરને પૂરતું પાણી, વિટામીન અને ફાઇબર્સ મળે છે. બાળકોને માટે શાક ન ખાવાના નાટકમાં આ વિવિધ પ્રકારના સૂપ ફાયદારૂપ બને છે. તો તમે પણ આજે ટ્રાય કરી લો આ વટાણા અને મકાઈનો સૂપ. માર્કેટમાં આ બંને ચીજો સીઝન […]

વડોદરામાં સગીરની હત્યાનો ભેદ ઉકેલાયો, અપશબ્દોનો બદલો લેવા માટે મિત્રએ જ ચાલુ કારમાં ચપ્પુનાં ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું

વડોદરાનાં દેણાની સીમમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળેલી 16 વર્ષના કિશોરની લાશનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે અનિલ ભરવાડ અને એક સગીર સહિત 3 જણાને ઝડપી લીધા છે. મૃતક અંકિતના મિત્ર અનિલ ભરવાડે જ તેની ચાલુ કારમાં છરીનાં પાંચથી છ ઘા મારીને હત્યા કરી હતી. મૃતક અંકિતે અનિલને 30 નવેમ્બરનાં રોજ અપશબ્દો કહ્યા હતા. જેનો […]