નાણાંના અભાવે મોતના ઊંબરે પહોંચેલી ફુલાદેવીની ખબર લેવા ગયેલા વકીલે નિભાવ્યો પાડોશી ધર્મ, 3 દિવસમાં રેશન-મા કાર્ડ બનાવી બાયપાસ કરાવ્યું
સુરતમાં બરોડા પ્રિસ્ટેજ નજીક અનુરાધા સોસાયટી પાસે વર્ષોથી પાથરણું લગાવી શાકભાજી વેચતાં અને એકે રોડના શ્રીનાથજી એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ફુલાદેવી રાજેન્દ્ર પ્રસાદ નિ:સંતાન છે. રાજહંસ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા વકીલ સમીરભાઇ બોઘરા ઓફિસની નીચે શાકભાજી વેચતાં 50 વર્ષના ફુલાદેવી અને તેમના પતિને જોતા હતા. જોકે અઠવાડિયાથી આ દંપતીનું પાથરણું ગાયબ હોવાથી તેમનાં ચિંતા થઈ હતી. […]