જાણીતા જાદુગર જુનિયર કે.લાલનું કોરોનાને કારણે નિધન, બાવીસ વર્ષની ઉંમરેથી જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી

ગુજરાતમાં કોરોના ભયંકર રીતે વકરી રહ્યો છે. રોજ નવા રેકોર્ડબ્રેક આંકડા આવી રહ્યાં છે. ત્યારે અન્ય એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે કે, જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાવ વોરાનું (Junior K. Lal) કોરોનાને (Coronavirus) કારણે આવસાન થયું છે. બાવીસ વર્ષની ઉંમરેથી હર્ષદભાઈ એટલે કે જુનિયર કે.લાલ જાદુના શો કરીને પોતાની એક આગવી […]

અમદાવાદમાં ઈમાનદારીની મિશાલનો દાખલો બેસાડ્યો, 14 લાખ રૂપિયા ભરેલી બેગ પરિવાર સોસાયટીમાં જ ભૂલી ગયો, ઈમાનદાર ચોકીદારે 4 દિવસ સુધી જીવની જેમ પૈસા સાચવીને પરત કર્યા

આજના સમયમાં ઈમાનદાર લોકો મળવા મુશ્કેલ છે, લોકો રૂપિયા માટે પોતાના પરિવાર કે સગાની હત્યા કરતા પણ અચકાતા નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ઈમાનદારીની મિશાલનો એક મામલો સામે આવ્યો છે. જેમાં શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી ન્યુ શ્યામવિહાર એપાર્ટમેન્ટમાં 14 લાખથી વધુની રકમ ભરેલી બેગ એક પરિવાર ભૂલી જતા ચોકીદારે મૂળ માલિકને રકમ સાથેની આ બેગ પરત […]

સૂરતથી હનુમાનગઢ જતા પરિવારને નડ્યો અકસ્માત, ગાડી પર કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ, પતિ-પત્નીનું મોત, બાળકોનો આબાદ બચાવ

રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારના હાઈવે પર રવિવારે બેકાબૂ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં સવાર પતિ-પત્નીનું ઘટનાસ્થળે મૃત્યું થયું હતું. ત્યાં, તેમના 2 બાળકોનો આબાદ બચાવ થયો હતો, પરંતું અકસ્મતના પગલે બાળકોને ઈજાઓ પહોંચી હતી. પોલીસે મૃતદેહોને મોર્ચરીમાં મોકલીને બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. ભીમ પોલીસ સ્ટેશનના SI બાલૂરામે જણાવ્યું હતું કે ટોગીની […]

સી.આર.પાટીલના પુત્રની બર્થ ડે પાર્ટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં, સરકારની ગાઈડલાઈન માત્રને માત્ર સામાન્ય પ્રજા પૂરતી સીમિત છે: લોકોમાં ચર્ચા

સુરત શહેરમાં જાહેર સ્થળો ઉપર લોકો એકત્રિત ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા 144ની કલમ પણ લગાડવામાં આવી છે. સાથે સાથે કોર્પોરેશન દ્વારા એવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે કે, જેમાં વધુ વ્યક્તિઓ એકત્રિત થાય પરંતુ નેતાઓ અને તેમના પરિવારના […]

અમદાવાદમાં કોરોનાથી બચાવનાર રેમડેસિવીર ઈન્જેક્શન ખરીદવા લોકોની લાંબી લાઈન લાગી, ઝાયડ્સ કેડિલા દ્વારા સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઇન્જેકશનનું વેચાણ

કોરોના મામલે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 9 દિવસથી કોરોનાના 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે. હાલ જે કેસ નોંધાઇ રહ્યા છે એમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ […]

ઘરમાં આગ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોનું ભડથું, સાસુ- વહુ અને પૌત્રી રાત્રે સૂઈ રહ્યા હતા ત્યારે ફાટી નીકળી આગ

બિહારના સમસ્તીપુરમાં આગને કારણે બાળકી સહિત ત્રણ લોકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. મામલો કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામભદ્રપુર છકન ટોલીનો છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે અચાનક લાગેલી આગને કારણે 11 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન મકાનમાં સૂતી એક બાળકી અને બે મહિલાઓ સળગીને ભડથું થઈ ગયા હતા. મૃત્યુ પામેલા તમામ લોકો […]

82 વર્ષના ચોકીદારને મળવા ઓસ્ટ્રેલિયાથી આવશે પ્રેમિકા, આ કિસ્સો આપણને પણ પ્રેમમાં વિશ્વાસ રાખવાની આપે છે પ્રેરણા

પ્રેમ કદી છુપો નથી રહી શકતો અને દુનિયાભરમાંથી એવી કહાણીઓ સામે આવતી રહે છે જે ફરીને ફરી આપણને પ્રેમમાં વિશ્વાસ રાખવાની પ્રેરણા આપે છે. આવી જ એક પ્રેમકહાણી રાજસ્થાનના રણપ્રદેશ થારના કુલધારા ગામથી સામે આવી છે. આ ઉજ્જડ ગામના એકમાત્ર રહેવાસી 82 વર્ષીય ચોકીદાર છે. તેમણે પોતાનું મોટાભાગનું જીવન લગભગ આ જ ગામમાં વિતાવ્યું છે. […]

છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં 22 જવાન શહિદ, મૃતદેહ હજી પણ ઘટનાસ્થળે, 24 કલાક પછી પણ નથી પહોંચી રેસ્ક્યૂ ટીમ

શનિવારે બસ્તરના બીજાપુરમાં નક્સલીઓએ 700 સૈનિકોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો. બીજાપુર એસપીએ જણાવ્યું કે આ હુમલામાં 22 જવાનો શહીદ થયા છે. જો કે, ઘટનાસ્થળ પર હાજર લોકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ સંખ્યા 30 હોઇ શકે છે. ગ્રાઉન્ડ ઝીરોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 20 જવાનોના મૃતદેહ હજી […]

વેરાન રણમાં પાણીની બોટલ સાથે મેલાઘેલા કપડાં પહેરોલો પાકિસ્તાનનો ટેણિયો બોર્ડર ક્રોસ કરીને ભારતની સીમામાં પહોંચી ગયો, BSFએ ફ્લેગ મીટિંગ કરી પરત સોપ્યો

ભારત-પાકિસ્તાનની (India-Pakistan Border) કચ્છના રણથી લઈને રાજસ્થાન સુધી રણવિસ્તારમાં લાંબી આંતરાષ્ટ્રીય સીમા છે. આ સીમામાં ઘણો ભાગ તારની વાડ વગરનો છે જ્યાં પીલર દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીમા નક્કી કરવામાં આવી છે. આંતરાષ્ટ્રીય સીમામાં આ સ્થિતિમાં અનેકવાર આસપાસના ગ્રામિણો એકબીજાના દેશમાં આવી ચઢે છે. આવું જ કઈક ફરી વાર બન્યું પરંતુ આ વખતે એક […]

ભાવનગરના પાલિતાણામાં વ્યાજખોરોએ ઉઘરાણી મુદ્દે યુવક પર પેટ્રોલ છાંટ્યુ, દિવાસળી ચાપી જીવતો સળગાવ્યો, સારવારમાં થયું મોત

ભાવનગર જિલ્લાના (Palitana Bhavnagar) પાલિતાણામાં એક રૂંવાડા ઊભા કરી નાખતી ઘટના સામે આવી છે. અહીંયા વ્યાજખોરોએ કથિત રીતે પઠાણી ઉઘરાણીમાં (Finaciners Burnt Youth alive) એક યુવક પર પેટ્રોલ છાંટી અને તેને જીવતો સળગાવી નાખ્યો છે. આ યુવક 90 ટકા સળગેલી હાલતમાં ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. યુવકે હૉસ્પિટલના બિછાનેથી બે વ્યાજખોર લાલો કાઠી […]