‘હે અલખધણી મારા જેવું દુઃખ કોઇને ન આપતો, દીકરીઓ માફ કરજો તમને ભણાવી ન શક્યો’, ભાવુક ચિઠ્ઠી લખી હળવદ તાલુકાના ખેડૂતનો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અજીતગઢ ગામમાં રહેતા એક ખેડૂતે આર્થિકતંગીથી કંટાળી આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ત્રણ પાનાની એક સ્યુસાઈડ નોટ કબજે કરી છે. જેમાં ખેતી કરવા માટે અને દવા લેવા માટે પૈસા ના હોવાનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 3085 કેસો નોંધાયા, 36 લોકોના કોરોનાથી મોત, 10,007 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પીક બાદ હવે રાજ્યમાં કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 3085 કેસો નોંધાયા હતા. જ્યારે મોતના આંકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. જ્યાં પીક દરમિયાન 100થી વધુ દર્દીનાં મોત થતાં હતા. તેવામાં આજે કોરોનાનાં કારણે 36 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 10,007 દર્દીઓ સાજા થયા હતા. અને […]

અમદાવાદમાં કાચી ઉંમરમાં પાંગર્યો પ્રેમ, ‘પરિવાર સુઈ જતા અડધી રાત્રે સગીરા પહોંચી સગીર મિત્રના ત્યાં ને પછી…’

કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી પણ જ્યારે સગીર વયની ઉમરમાં બાળકો આ ભૂલ કરી બેસે ત્યારે પરિવારજનોને દુવિધા ઉભી થતી હોય છે. આવી જ એક ઘટના કૃષ્ણનગર પોલીસસ્ટેશનમાં સામે આવી છે. જ્યાં એક સગીરા પહેલા એક સગીર સાથે મિત્રતા હોવાથી વાતચીત કરતી હતી, પણ પરિવારે ઠપકો આપતા વાત બંધ કરી હતી. […]

ધોરાજી જૂનાગઢ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના માથા છુંદાઈ જતા સ્થળ પર જ કમકમાટીભર્યા મોત, ઘટના CCTVમાં કેદ

રાજકોટ જિલ્લામાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. લગ્નમાંથી પરત ફરેલા ત્રણ યુવાનોને ટ્રકે અડફેટે લેતા ઘટના સ્થળે જ ત્રણ યુવાનના મોત નીપજયાં હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માત એટલો વિચલીત હતો કે, યુવાનોના માથા છૂંદાઈ ગયા હતા, સ્થળ પર હાજર લોકો પણ જોઈ ના શકે તેવી હાલત થઈ હતી. […]

દેહવેપાર માટે યુવતીઓને બહારના રાજ્યોથી બોલાવાતી હતી, પોલીસે દરોડા પાડતાં સાત યુવતીઓ સાથે બે યુવકો આપત્તિજનક સ્થિતિમાં ઝડપાયા

પંજાબ (Punjab)ના મંડી ગોબિંદગઢના અજનાલી ગામમાં રહેનારો પટિયાલાનો એક યુવક ઘણા લાંબા સમયથી દેહવેપારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. અહીં પંજાબ ઉપરાંત બહારના રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો કરાવવામાં આવી રહ્યો હતો. પોલીસે આ ગેરકાયદેસર રીતે ધંધો કરી રહેલા જસપ્રીત સિંહ સહિત સાત મહિલાઓ અને બે યુવકોને આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પાડ્યા હતા. પકડવામાં આવેલી યુવતીઓ હિમાચલ […]

કોરોના બાદ રહેતી અશક્તિ માટે GTUએ બનાવી કારગર દવા, ગુજરાતમાં ઉગતા થોરના ફૂલમાંથી બની છે દવા

કોરોનાથી સાજા થયા બાદ પણ ઘણા લોકોને અશક્તિ રહેવાની ફરિયાદ થતી હોય છે. તેવામાં ગુજરાતની GTU દ્વારા ફાફડા થોરના લાલ ફૂલમાંથી બનતી દવા ઉપર સંસોશધન કરવામાં આવ્યું હતું. આ દવા પાંડુરોગ માટે વપરાય છે. પણ કોરોના દર્દીઓમાં પણ તે ખુબ જ કારગર નીવડી છે. અને અશક્તિ દૂર કરવામાં આ દવા કારગર સાબિત થઈ છે. લેટેસ્ટ […]

ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો, આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલ થશે

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યના 36 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદ્દત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો […]

LIVE: ઓડિશાના દરીયા કિનારે પ્રચંડ વેગે વાવાઝોડું ‘યાસ’ ત્રાટક્યું, 120 KMPHની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે; જુઓ વીડિયો

યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યો છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે(IMD) પણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના ચાંદિપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર […]

કોરોનાના દર્દીને ‘અશુદ્ધ ઈન્ડસ્ટ્રીયલ ઓક્સિજન’ અને બેફામ સ્ટિરોઈડ અપાયા એટલે મ્યુકોરમાઈકોસિસના કેસ ફાટી નીકળ્યા

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કારણમાં કોરોનાના દર્દી પર સ્ટિરોઈડના બેફામ ઉપયોગથી ડાયાબિટીસ અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા ઉપરાંત અશુદ્ધ ઓક્સિજન આપવાથી પણ ફુગ થયાનું સામે આવ્યું છે. આ બધા કારણોમાં તંત્રની પણ જવાબદારી તેટલી જ બને છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના તબીબોએ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મ્યુકરના કેસ વિશે અભ્યાસ કર્યો હતો. આ મામલે આઈએમના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ […]

PM CAREમાં 2 લાખ 51 હજાર ડોનેટ કરનારને હોસ્પિટલમાં માતા માટે ન મળ્યો બેડ, સરકારને લીધી આડેહાથ

પીએમ કેયર્સ ફંડને લઈને કરવામાં આવેલુ ટ્વિટ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યુ છે. પીએમ કેયર્સ પર કોઈ વિપક્ષે નહીં, પણ આ વખતે પોતાની માતાને કોરોનામાં ખોઈ ચુકેલા એક મોદી સમર્થકે જ સવાલો ઉભા કર્યા છે. વિજય પરીખ નામના આ શખ્સે પીએમ કેયર્સ ફંડમાં કરેલા ડોનેશનનો સ્ક્રિનશોટ આપ્યો છે. તેમણે જણાવ્યુ છે કે, […]