Browsing category

સમાચાર

ઇન્દોર નજીક ફાર્મહાઉસમાં 70 ફૂટ ઉંચા ટાવર પરથી કેપ્સૂલ લિફ્ટ નીચે પટકાતા પાથ ઇન્ડિયાના માલિક પુનીત અગ્રવાલ સહિત 6 લોકોનાં મોત

મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી. પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ સાથે ફાર્મ હાઉસ પર ગયા હતાં. જ્યાં બની રહેલા ટાવરમાં લગાવવામાં આવેલી કેપ્સૂલ લિફ્ટમાં તેઓ ઉતરી રહ્યા હતાં. ત્યારે લિફ્ટ 70 […]

રાજકોટની હૃદયસ્પર્શી કહાની: ‘અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ કરીશું.. ’

મારા ૩ વર્ષના દિકરાને ભરખી જનારી ભાભી જીવનભર જેલમાં સબડવી જોઇએ.. કાલે ખુશાલનો ચોથો બર્થ-ડે હોત; અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ કરીશું.. આ છે વર્ષ-૨૦૧૯ની સૌથી હૃદયસ્પર્શી અને સંવેદનાસભર સત્યકથા’ રાજકોટમાં દિયર-દેરાણીના ૩ વર્ષના એકના એક દીકરાનું ઈર્ષાની આગમાં ખૂન કરી નાખનારી જેઠાણી તો જેલહવાલે થઈ ગઈ પરંતુ અહીં […]

એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે રિલાયન્સે શરૂ કરી ‘દેશની નવી દુકાન’ Jio Mart

ભારતમાં ઓનલાઈન ખરીદદારીનું ચલણ તેજીથી વધી રહ્યું છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટથી મોટાપાયે શોપિંગ કરી રહ્યા છે. પણ વર્ષ 2020માં આ દિગ્ગજ ઈ કોમર્સ કંપનીઓને ટક્કરનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે Jio Martની શરૂઆત કરી દીધી છે. જિયો માર્ટમાં રજિસ્ટ્રેશન માટે કંપનીએ જિયો ટેલિકોમ યુઝર્સને […]

‘રાફેલ કરતા પણ પાક વીમામાં થયું મોટું કૌભાંડ, પાલભાઈ આંબલિયાએ સમજાવ્યું ગણિત ’

પાક વીમા અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરવા કોંગ્રેસના અમિત ચાવડાની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં પાકવીમામાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સાથે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે પાકવીમામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા જણાવ્યું કે, ખેડૂતોના પાકવીમામાં 25થી 50 હજાર કરોડના કૌભાંડ થયો છે. આ સિવાય પાલ આંબલિયાએ પાકવીમાનું ગણિત પણ પ્રેસ કોન્ફરન્સમાં […]

ACBએ સલાબતપુરાના PSIને 90,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી અભિયાના ભાગરૂપે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના જ PI ડી.ડી ચાવડા જ 18 લાખની લાંચ લેવાના કેસમાં ACBએ પકડી પાડ્યા હતા. આમ પોતાના જ ડિપાર્ટમેન્ટના ઓફિસરને લાંચ રૂશ્વત વિરોધી દળએ કાયદાનું ભાન કરાવી દીધુ છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસની લાંચ રૂશ્વત વિરોધી […]

ગાયના યુરિનમાંથી તૈયાર કરેલી કેપ્સ્યુલ-ટેબલેટથી કેન્સરનો થશે ઈલાજ, વૈજ્ઞાનિકોએ ફ્રિઝ ડ્રાઈંગ ટેકનોલોજીથી દવા તૈયાર કરી

ગાયના યુરિનમાંથી તૈયાર કરવામાં આવેલી કેપ્સ્યુલ અને ટેબલેટથી કેન્સરના બીજા સ્ટેજ તેમ જ કિડનીની સમસ્યાનો ઈલાજ થશે. હૃદય રોગ માટે પણ આ દવા અસરકારક છે. ફ્રિઝ ડ્રાઈંગટેકનોલોજીથી તૈયાર થયેલી આ દવા લોહીને પણ શુદ્ધ કરે છે. ગુજરાતના સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (SVNIT)ના પ્રોફેસર ડો.ભારત ધોળકીયાએ તેમના સાથીઓ સાથે અનેક વર્ષની સખત મહેનત બાદ […]

રાજકોટમાં પાકિસ્તાનથી આવેલાં 100 પરિવારોનો છે વસવાટ, કહ્યું- CAA લાવી મોદી સરકારે દુનિયાભરનાં હિન્દુઓને શરણ આપી

નાગરિકતા અધિનિયમ કાયદાનો મામલો દેશભરમાં ગરમાગરમ બની ગયો છે અને માથાકૂટો ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનમાં હિન્દુ ઉપર ગુજારાતા ત્રાસ અંગે રાજકોટમાં વસવાટ કરતાં 100 પરિવારોએ સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ સમક્ષ દિલ ખોલતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં લઘુમતિઓની કોઈ સલામતી નથી. ત્રાસ ગુજારાય છે અને ધાર્મિક સ્વતમંત્રતા છીનવાઈ ચૂકી છે. પાકિસ્તાનથી આવેલાં કોમ્પ્યુટર નિષ્ણાંત કિશોર […]

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, વોટ્સએપનાં સ્ટેટસમાં છેલ્લે મુકી ભાવુક પોસ્ટ

શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દવેએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓન્લી ફોર માય એન્જલ લખી શાયરી અને ગીત મુક્યું હતું. ઘટનાના પગલે પ્રદ્યુમનનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ […]

RTIમાં થયો ખુલાસો, તમને થિયેટરમાં તમારો પોતાનો નાસ્તો લઈ જતા કોઈ રોકી શકે નહીં, એવો કોઈ કાયદો જ નથી.

આપણામાંથી મોટા ભાગના લોકોને પિક્ચરની ટિકિટ કરતા થિયેટરમાં મળતા મોંઘા ફૂડનો ખર્ચો ભારે પડતો હોય છે. મૂવી જોવા જતા લોકોને સિનેમા હૉલમાં પાણી અને ફૂડ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો કે હૈદરાબાદમાં આ પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. RTIના જવાબમાં હૈદરાબાદ પોલીસે જણાવ્યું છે કે ગ્રાહકો પોતાનું ફૂડ અને પાણી થિયેટરમાં લઈ જઈ […]

રાજકોટના ખનીજ માફિયાની ચોટીલા મામલતદારને ખુલ્લી ધમકી, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકો કરીને….!

ચોટીલા હાઈવે પર રેતી ભરીને જતાં ડમ્પરને પકડીને અહીંના મામલતદારે પોલીસ મથકે લઈ જતા ડમ્પર છોડાવવા રાજકોટના ખનીજ માફિયાએ ધમપછાડા કર્યા હતા. એટલું જ નહીં, તેણે મામલતદારને ચોટીલા પોલીસ મથકની બહાર જ ખુલ્લી ધમકી આપીને કહ્યું કે, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકે દઈ મારી નાખીશ’ ઘટના બાદ સાંજે મામલતદાર કોઈ જરૂરી સરકારી કામથી બહાર જતા […]