રાજકોટની આ કંપનીએ કોરોનાના કારણે પોતાના 1200 કર્મચારીને 2 માસનો પગાર આપ્યો એડવાન્સ
વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પગ પેસારો કર્યો છે. ભારતમાં કોરોનાના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇને આક 18 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, ખાનગી અને સરકારી પર્યટક સ્થળ 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. […]