Browsing category

સમાચાર

જાપાની સંશોધકોનો દાવો- ચોકલેટ કોરોના વાઇરસની અસર ઘટાડે છે, રિસર્ચમાં જાણવા મળ્યું કે, ચોકલેટ મનને ખુશ રાખવાની સાથે ઇમ્યુનિટી વધારે છે

કોરોનાકાળમાં વાઇરસનો ચેપ લાગવાથી બચવું હોય તો ચોકલેટ ખાઓ. આ દાવો જાપાની સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. સાયન્સ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ચોકલેટ પ્રાકૃતિક રીતે શરીરની ઇમ્યુનિટી વધારે છે. ચોકલેટ ખાવાની અસર ઇન્ફ્યુએન્ઝા વાઇરસ પર જોવા મળી. રિસ્રચમાં જાણવા મળ્યું કે, જે લોકો ચોકલેટ ખાય છે તેમના વેક્સીનેશન […]

4 વર્ષમાં પક્ષીઓને બેસવા ખેતરમાં 500 વૃક્ષો ઉછેર્યા અને ખેતરને બનાવી દીધું ‘કલરવ’ નામનું પક્ષી વન

વડોદરા. પક્ષી ત્યાં વસવાટ કરે છે જ્યાં તેમના મનગમતા વૃક્ષો હોય. સિવિલ એન્જિ. સુહાસ મજુમદારે પક્ષીઓ માટે શહેરથી 25 કીમી દુર ઉમરેટાથી 5 કીમી આવેલા મોટી સાંખ્યાડ પાસે આશરે દોઢ વીઘા જમીનમાં ‘કલરવ’ નામનું પક્ષીઓનું નાનુ વન બનાવ્યું છે. જેમા પક્ષીઓને મનગમતા 500 જેટલા ઝાડનો ઉછેર કર્યો છે. સુહાસ મજમુદારે જણાવ્યું હતું કે, યુનિ.માં અભ્યાસ […]

આયુષ્માન ભારત યોજના હેઠળ ફ્રીમાં મેળવો કોરોનાની સારવાર, તમારું નામ રજિસ્ટર્ડ છે કે નહીં તે ઘેરબેઠાં ઓનલાઇન ચેક કરો

દેશમાં કોરોના વાઇરસ રોગચાળો ફાટી નીકળ્યો છે. કોરોનાની સારવાર પણ ખૂબ ખર્ચાળ છે. તેથી COVID-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને સરકાર તેની સ્પેશિયલ સ્કીમ આયુષ્માન ભારત યોજના હેઠળ હોસ્પિટલોની સંખ્યામાં સતત વધારો કરી રહી છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇ-કાર્ડ આપવામાં […]

કોરોનાના દર્દીનો નેગેટિવ રિપોર્ટ બનાવવાનું કૌભાંડ ખુલ્યું, લાંચ લેતા પકડાયા હોસ્પિટલના કર્મચારી

દુનિયા આખી કોરોના વાયરસના સંકટ સામે લડી રહી છે, આ સંકટ સમયમાં પણ ભ્રષ્ટાચાર પોતાનો રસ્તો કરી જ લે છે. એક તરફ આ મહામારી સામે લડવા લોકો રાત-દિવસ સખત મહેનત કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જે થોડા રૂપિયા માટે કોરોના વોરિયર્સની મહેનત પર પાણી ફેરવે છે. આવો જ એક આઘાતજનક વિડીયો […]

જાવનરો માટે દુનિયાભરમાં કામ કરનારી સંસ્થા PETAની ભારતને ચેતવણી, દેશમાં ચાલી રહેલા વેટ માર્કેટને તત્કાલ બંધ કરો નહીં તો આ બજારોથી ફેલાશે મહામારી

જાવનરો માટે દુનિયાભરમાં કામ કરનારી બિન-સરકારી સંસ્થા પેટા (PETA)એ ભારત સરકાર પાસે માંગ કરી છે કે, દેશમાં ચાલી રહેલા વેટ માર્કેટને કોરોના વાયરસ મહામારીને જોતા તત્કાલ બંધ કરી દેવામાં આવે. સંસ્થાએ આશંકા વ્યક્ત કરી છે કે, જો તેને બંધ નહી કરવામાં આવે તો આ અવૈધ વેટ માર્કેટથી ભારતમાં મહામારી ફેલાઇ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરત ટ્રાફિક પોલીસ અનોખી પહેલ: 21 દિવસ સુધી નિયમ તોડતાં લોકોને નહીં કરે દંડ, આ છે ખાસ કારણ

સુરત ટ્રાફિક પોલીસ અનોખી અને નવી પહેલ લઈને આવી છે. કોરોના વાયરસને લઈ આપેલાં લોકડાઉનમાં લોકોને કામ ધંધા અને રોજી રોટી નથી. લોકડાઉનને લઈ લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઈ છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ જે વાહનચાલકો ટ્રાફિકનાં નિયમો તોડતા હતા, તેને ટ્રાફિક પોલીસ દ્વારા તોતિંગ દંડ વસુલવામાં આવતો હતો. તો હવેથી સુરત ટ્રાફિક પોલીસ […]

રાજકોટનો હવસખોર બનેવીઃ 15 વર્ષની સાળીને દોઢ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી, બે વખત પ્રેગ્નેન્ટ થતાં દવાઓ આપી

જયારે વાસનાનો કીડો કોઈ વ્યક્તિ ઉપર ચડે તો પછી તેને કોઈ સબંધની પરવાહ હોતી નથી, અને તે કોઈ પણ રીતે પોતાની વાસના સંતોષવા માટે કઈ પણ કરે છે. આવું જ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બન્યું છે. પોતાના આશરે રહેતી નાની એવી ફૂલ જેવી કળીને એક બનેવીએ દોઢ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી અને સ્કૂલ જવાની ઉમરમાં […]

કોરોનાથી બચવા વારંવાર સેનેટાઈઝર વાપરવું નુંકશાનકારક બની શકે છે, થઈ શકે છે આવા ગંભીર રોગ, નિષ્ણાતોએ કહ્યું- સાબુથી હાથ ધોવાનું સૌથી સારું

દુનિયાભરના લોકો કોરોના વાયરસથી બચવા બેફામ રીતે સેનેટાઈઝરનો ઉપયોગ કરે છે. વિવિધ દેશોની સરકારો અને WHO દ્વારા પણ કોરોનાથી બચવા હેંડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ સેનેટાઈઝરથી ગંભીર રોગ થવાનો ખતરો હોવાનું એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે. સ્કીનનાં વિશેષજ્ઞોનો દાવો છે કે બાજારમાં ઉપલ્બધ 90 ટકા હેન્ડ સેનેટાઈઝર સારી ગુણવત્તાનાં નથી, પરંતુ […]

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ, આજે 735 નવા કેસ નોંધાયા, 17ના મોત સાથે મૃત્યુઆંક 1962

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 735 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 36,858 પર‬ પહોંચ્યો છે. આરોગ્ય […]

ઘોરકળિયૂગ: મિલકત પચાવી પાડવા દીકરાએ 70 વર્ષની માતાને તલવારથી મારી નાંખવાનો કર્યો પ્રયાસ, માતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા

અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગરમાં માતા પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગા પુત્રએ જ રાત્રે ઊંઘમાં તેની માતાને મારી નાખવાની ખુલ્લી તલવાર સાથે ધમકી આપી અને તેના અન્ય બે ભાઈઓ જે માતાની સાથે રહે છે તેમને પણ ઉપાડી જઈ મારી નાખવાની ધમકી આપી છે, કારણ છે મિલકત. ઠક્કરબાપાનગર ના ગંગા નગરમાં રહેતા કમલાબેન ઉપાધ્યાય […]