Browsing category

સમાચાર

ઈન્દોરમાં કમ્પ્યુટર બાબાના આશ્રમમાંથી આલીશાન બાથરુમ, તલવારો અને બંદૂક મળી, 80 કરોડની જમીન ઉપર કર્યો હતો કબ્જો, બાબા સહિત 7ની ધરપકડ

ઇન્દોરઃ મધ્યપ્રદેશમાં વિધાસભાની 28 સીટો ઉપર થયેલી ઉપચૂંટણી દરમિયાન સરકાર વિરુદ્ધ લોકતંત્ર બચાવો યાત્રા કાઢનાર કમ્પ્યુટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગી (Computer Baba alias Namdev Das Tyagi)નો આશ્રમ આજે જમીનદોસ્ત થઈ ગયો છે. ઇન્દોર શહેર પાસે આલેસા જમ્બૂડી હપ્સી ગામમાં ગોમ્મટગીરી ખાતે બનેલા આલીશાન આશ્રમ ઉપર આજે બુલડોઝર ફરી વળ્યું હતું. સરકારી જમીન કબ્જામાંથી મૂક્ત […]

કોરોનાનાં સંક્રમણ વચ્ચે સ્કૂલો શરૂ કરવી જોખમી, બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું: AMAના પૂર્વ પ્રમુખનું મહત્વનું નિવેદન

રાજ્યમાં દિવાળી બાદ સ્કૂલો શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, પણ બીજી તરફ નિષ્ણાતોના મતે હાલની સ્થિતિમાં સ્કૂલો શરૂ કરવી એ બાળકોનાં જીવને જોખમમાં મૂકવા સમાન છે. અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખે કહ્યું છે કે, નાનાં બાળકો પાસે કોરોના માટેની કાળજી રખાવવી ખૂબ મુશ્કેલ છે. બાળકો જીવતાં હશે તો ફરી ભણાવી લઈશું. ભણતર જીવનથી વધારે તો […]

નવસારીના ગણદેવીમાં નરાધમ તાંત્રિકે બે બહેનો સાથે દુષ્કર્મ આચર્યુ: ગર્ભવતિ થતા ભાંડો ફુટયો

નવસારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં તાંત્રિકે એક પિતાને પોતાની વાતોમાં ફસાવીને તેની બે દીકરીઓને ગર્ભવતી બનાવી દીધી છે. આ ઉપરાંત વિધિના બહાને 50 હજાર પડાવી 37 વર્ષના વિષ્ણુ મહારાજ ઉર્ફે વિષ્ણુ ચતુલ નાઇક નામના તાંત્રિકે પોતાની મેલી મુરાદ પૂરી કરી છે. આ વાતની જાણ થતા પિતાએ તાંત્રિક સામે ફરિયાદ કરી છે. ગણદેવી […]

પત્નીનો અતૂટ પ્રેમ: પતિની અર્થીની પ્રદક્ષિણા કરી પત્નીએ ચરણોમાં જ દમ તોડ્યો, સાત જન્મ સાથે જીવવા-મરવાનું વચન આપ્યું હતું

ગ્વાલિયર શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા કમલ ગર્ગે 55 વર્ષ પહેલા પોતાની પત્ની અંગુરીનો હાથ પકડી સાત ફેરા લીધા હતા. તેમણે 7 જન્મ સાથ જીવવા-મરવાનું વચન આપ્યું હતું. આ શપથ પર બંને ખરા ઉતર્યા. કરવા ચોથના દિવસે કમલ કિશોર ગર્ગનો અકસ્માત થયો. બીજા દિવસે તેમનું મોત થઈ ગયું. તેમની અર્થીની ચારે બાજુ પરિક્રમા લગાવ્યા બાદ અંગુરી […]

બાળકોને એકલા મૂકી બહાર જતા રહેતા માતા-પિતા માટે આંખ ઉઘાડનાર કિસ્સો, મમ્મી-પપ્પાની રાહ જોતું માસૂમ બાળક 14મા માળની બાલકનીમાંથી પડી ગયું

ગાઝિયાબાદ (Ghaziabad)ના પોલીસ સ્ટેશન (Police Station) ના સિહાની ગેટ વિસ્તારના પોશ એરિયામાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. ટાવરમાં ચૌદમા માળે રહેતા લગભગ 4 વર્ષના માસૂમ બાળકનું ઘરની બાલકનીમાંથી નીચે જમીન પર પટકાવાથી કમકમાટી ભર્યું મોત થઇ ગયું છે. જો કે આજુબાજુના લોકો તાબડતોડ તેને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ડૉકટર્સે તેને મૃત જાહેર કરી દીધો. […]

રાજકોટમાં GRD જવાન વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ, SPએ કર્યો સસ્પેન્ડ

હાલ સોશિયલ મીડિયામાં જીઆરડી એટલે કે ગ્રામ રક્ષક દળનો જવાન લાંચ લેતો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ વીડીયો રાજકોટ જિલ્લાના શાપર ગામનો હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ વાયરલ વીડિયો મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મેળા દ્વારા વીડિયોમાં દેખાતા જીઆરડી જવાનને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યો છે. […]

જો તમે પણ સૂતી વખતે ઓશિકા નીચે મોબાઈલ રાખો છો તો થઈ જજો સાવધાન, જાણો ચોંકાવનારો કિસ્સો

મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતાં કેરળ (Kerala)માં રહેતા એક 53 વર્ષીય વ્યક્તિનો હાથ અને ખભો સળગી ગયો હતો. જ્યારે મોબાઈલ ઓશીકા (Mobile Under Pillow)ની નીચે હતો ત્યારે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી. કેરળના કોલ્લમમાં ઓચિરાના રહેવાસી ચંદ્ર બાબુ જ્યારે સૂતા હતા ત્યારે તેના ઓશીકા નીચેનો મોબાઇલ ફોન ફાટ્યો હતો. તે ઓટોરિક્ષા ચાલક છે. તે નોકિયાના ફોનનો […]

બેદરકારી: પોસ્ટ ઓફિસની નાનકડી ભૂલથી ચીખલીના યુવકને ઇન્ટરવ્યૂ શરૂ થયા બાદ મળ્યો કોલ લેટર, એજ્યુકેટેડ યુવાન ફરી એકવાર બેરોજગારીના દિવસો ગણવા બન્યો મજબૂર

ચીખલી તાલુકાના એક ગામડાના ગરીબ પરિવારના યુવાનને ઇન્ટરવ્યૂ શરૂ થયાના સમય બાદ ઇન્ટરવ્યૂનો કોલ લેટર મળ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોસ્ટ ઓફીસની એક નાનકડી ભૂલને કારણે ત્રણ વર્ષથી નોકરી માટે વલખા મારતો એજ્યુકેટેડ યુવાન ફરી એકવાર બેરોજગારીના દિવસો ગણવા મજબૂર બન્યો છે. પીડિત યુવાન દિગ્નેશભાઈ પટેલે જણાવ્યું હતું કે GEBમાં લાઇન મેન તરીકે […]

સિદ્વપુરમાં બેરોજગારીએ યુવકનો જીવ લીધો: એન્જિનિયર યુવકે નોકરી ન મળતાં આત્મહત્યા કરી લીધી

દેશ અને રાજ્ય માં અગાઉ થી જ બેરોજગારી નો પ્રશ્ન વિકટ હતો એમાંય કોરોના અને લોકડાઉન માં બેકારી વધતા હવે યુવાનો માં નિરાશા ફરી વળી છે અને આવા સમયે બેરોજગારીએ એક યુવકના જીવનનો ભોગ લીધો હોવાની હકીકત સામે આવી છે. પાટણના સિદ્વપુરમાં બેરોજગારીથી કંટાળી ચિરાગ વાઘેલા નામના એન્જિનિયર યુવકે આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ […]

લગ્નના 8 વર્ષ બાદ પણ કોઈ સંતાન ન થતાં કરવા ચોથ પર પત્નીએ જે કર્યુ તે જાણીને તમારા રૂંવાડા ઊભાં થઈ જશે, જાણો વિગતે

કરવાચોથના દિવસે દેશ-વિદેશમાં મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત કરી રહી હતી. ત્યારે મધ્યપ્રદેશમાં આ દિવસે એક મહિલા પર પોતાના પતિને જીવતો સળગાવી દેવાનો સંવેદનશીલ આરોપ લગાવામાં આવ્યો છે. રિપોર્ટના જણાવ્યાં મુજબ પત્નીએ બાળકો નહી થવાને લઇને થયેલા વિવાદ પછી પતિ પર કેરોસિન નાંખીને જીવતો સળગાવી દીધો. આ ઘટના ગંધવાનીના બોરડાબરા ગામની છે. રાતની […]