બ્લડ ડોનેટ કરવાથી બીજાને જ નહીં તમને પણ થશે આવા જોરદાર ફાયદા

હંમેશા લોકોને બ્લડ ડોનેટ કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. તમારા રક્તદાનને કારણે કોઈનું જીવન બચી શકે છે. પરંતુ ઘણાં લોકોને ડર હોય છે કે રક્તદાન કરવાથી શરીરમાં બીમારી આવે છે, અશક્તિ થઈ જાય છે. ભ્રમ કાઢી નાખો તમને જણાવી દઈએ કે બ્લડ ડોનેટ કરવાથી બીમારી કે અશક્તિ નથી આવતી, ઉપરથી બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને […]

નર્મદાની કેનાલમાં ડૂબતા બાળકને બચાવવા પોલીસ કર્મીએ કૂદકો માર્યો, રેસ્ક્યૂ કરીને પરિવારને સોંપ્યો

વડોદરાના અંકોડિયાની કેનાલમાં ડૂબતા શ્રમિક પરિવારના 10 વર્ષના વિદ્યાર્થીને બચાવવા માટે લક્ષ્મીપુરા પીસીઆરના કોન્સ્ટેબલે યુનિફોર્મ સાથે જ પાણીમાં કૂદકો મારી તેને બચાવી લીધો હતો. લીલના કારણે લપસી પડાતું હોવાથી કોન્સ્ટેબલે ૧૦ મિનિટ કિનારે પાણીમાં જ બાળક સાથે ઉભા રહી દોરડું મંગાવી તેને રેસક્યુ કર્યો હતો. મૂળ દાહોદ નવજીવન કોલેજ પાસેના ટીંડોલિયા ફળિયામાં રહેતો અને ધો. […]

બોન કેન્સરથી પીડાઈ રહેલી દીકરીને પોતાના પગે ચાલતી કરવા પિતાએ પોતાના પગનું હાડકું આપી દીધું

8 વર્ષની શ્રીયાએ બોન ટ્યૂમરની સફળ સર્જરી બાદ પટ્ટી બાંધેલા ડાબા પગ સાથે પોતાના પિતાનો હાથ પકડીને સ્વતંત્ર રીતે જિંદગી જીવવા તરફ એક ડગલું માંડ્યું હતું. શ્રીયાની જાંઘના હાડકા જે ભાગમાં કેન્સર હતું તે કાપીને તેની જગ્યાએ પિતાના પગના હાડકાનો ભાગ ત્યાં લગાવાયો હતો. દીકરીને બોન કેન્સર હતું શ્રીયાના પગમાં સર્જરી કરનારા ડો. મંદિપ શાહ […]

અમેરિકાની ધરતી પર સૌ પ્રથમ વખત 20 એકર સરોવરમાં 12 જ્યોર્તિલિંગની સ્થાપના કરાશે

સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થા દ્વારા અમેેરિકાના જ્યોર્જિયા સ્ટેટના સવાનાહ સનાતન મંદિર ખાતે 20 એકર સરોવરમાં આવેલા આયર્લેન્ડ (દ્વિપ)માં બાર જ્યોતિર્લિંગ ભગવાનની સ્થાપના કરાશે, જેમાં પ્રથમ પાટોત્સવ પ્રસંગે સોમનાથ મહાદેવ, રામેશ્વર, કાશી વિશ્વનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, ત્રંબકેશ્વર મહાદેવ, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર, અમરનાથ સહિત બાર જ્યોતિર્લિંગ પધરાવવામાં આવશે. અમેરિકા જેવા દેશમાં ઇતિહાસમાં પહેલીવાર બાર જ્યોતિર્લિંગની સ્થાપના થશે. […]

સુરતની બે દિકરીઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનારી પ્રથમ ગુજરાતી મહિલાઓ બની

‘અમને તો એવરેસ્ટ ચઢવા કરતાં નીચે ઉતરવાનું સૌથી અઘરું લાગ્યું કારણે કે, અમે ઉપર ચડી તો ગયા પરંતુ જ્યારે નીચે ઉતરતાં ત્યારે એમ લાગતું હતું કે, અમે ઘરે પહોંચીશું કે નહીં. કારણ કે, એકદમ લીસ્સો રસ્તો હતો. એક વખત જો લપસી ગયા તો બરફમાં ક્યાં ખોવાઈ જઈએ કંઈ નક્કી જ ન હોય. રસ્તામાં અનેક લાશો […]

સુરતના કોચિંગ ક્લાસમાં લાગેલી આગમાં 3ને બચાવ્યા બાદ ઉપરથી કૂદતી વિદ્યાર્થિનીને ઝીલી તો ખભે આંચકો આવતાં ફેકચર થયું

સુરતમાં બનેલ આગના બનાવમાં મૂળ લખતરના વણા ગામનાં વતની અને હાલ સુરત અગ્નિશામક દળમા ફરજ બજાવતા યુવાને ચાર વિધાર્થીઓને બચાવ્યા હતા. પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવી વતનની યશકલગીમાં યુવાને છોગુ ઉમેર્યુ હતું. જો કે, ત્રણ વિદ્યાર્થીઓે બચાવ્યા બાદ ઉપરથી કૂદેલી વિદ્યાર્થીનીને પકડતા તેને ખભાના ભાગે આંચકો આવતાં ફેકચર થયું હતું. સુરતના તક્ષશિલા આર્કેડમાં ભયંકર આગ લાગવાનો […]

હવે નાના-મોટા તમામ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા સમ્માન નિધિનો લાભ મળશે, 14.5 કરોડ પરિવારોને ફાયદો

મોદી કેબિનેટની પ્રથમ બેઠક શુક્રવારે સાંજે થઈ હતી. તેમાં પ્રથમ નિર્ણય કિસાન સમ્માન નિધિ યોજનાનો વ્યાપ વધારવાનો લેવામાં આવ્યો હતો. વચગાળાના બજેટમાં થયેલી જાહેરાત મુજબ, અત્યાર સુધી 2 હેકટરથી ઓછી જમીન પર ખેતી કરનાર ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાની સમ્માન નિધિ ત્રણ સપ્તાહમાં મળતી હતી. હવે તમામ ખેડૂતોને તેનો લાભ મળશે. 2 હેકટર જમીનની સીમા […]

સેવા સંગઠનના 100 વકીલોએ ભેગા મળીને પહેલા 22 મૃતકોને ન્યાય અપાવવાનું કામ શરૂ કર્યુ

સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગ બાદ સેવા નામના સંગઠનની સ્થાપ્ના થઈ હતી. સેવાના 100 જેટલા વકીલોએ 30મી મેની રાત્રે મિતુલ ફાર્મ ખાતે મિટીંગ યોજી હતી. જેમાં વકીલોએ સંગઠનનું પહેલું જ કામ મૃતકોને ન્યાય અપાવવાનું સ્વિકાર્યું હતું. વકીલોએ તમામ મૃતકોને ન્યાય કેવી રીતે મળી શકે તે અંગેની ચર્ચા કરીને પાંચ વિભાગમાં જવાબદારી વહેંચી […]

ગરીબ મહિલાએ લાખો ડોલર ભરેલી બેગ માલિકને પરત કરતા માલિકે 8 કરોડ 40 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું

મોટી સંખ્યામાં રૂપિયા જોઈને ઘણા લોકોની નિયત બગડી જતી હોય છે. જમૈકાની રાજધાનીમાં કિંગસ્ટનમાં એક ગરીબ મહિલાની પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સામે આવ્યું છે. એકૈશા ગ્રીન નામની મહિલાને મંગળવારે એટીએમ મશીનની બહારથી 5000 અને 1000 ડોલરની નોટો ભરેલી બેગ મળી હતી. તેણે જિંદગીમાં ક્યારેય આટલા બધા ડોલર એકસાથે જોયા નહોતાં આથી તે એક સમય માટે તો […]

ફીલીપાઈન્સમાં અનોખી પહેલ: વિદ્યાર્થીઓ 10 છોડ વાવશે તો જ મળશે તેમને ગ્રેજ્યુએશનની ડિગ્રી

પર્યાવરણને લઈને દુનિયાના દરેક દેશને ચિંતા છે. આધુનિક લાઇફસ્ટાઇલને પગલે હરિયાળી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે! ફીલીપાઈન્સ દેશમાં 20મી સદી દરમિયાન વન ક્ષેત્ર 70 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયો હતો. અહીંની સરકાર દેશમાં લીલોતરી વધારવા માટે પ્રયત્નો કરી રહી છે, તેમાં હાલ એક નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ પ્રમાણે એજ્યુકેશન પૂરું […]