મધ્યપ્રદેશમાં અકસ્માતમાં મોતને ભેટેલા 4 લોકોના મૃતદેહને વડોદરા લવાયા, કેનેડાથી પુત્રો આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરાશે
મધ્યપ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર સોમવારે વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડતા ત્રણ મહિલા અને એક પુરૂષ સહિત 4 લોકોના મોત થયા હતા. જેમના મૃતદેહોને સોમવારે મોડી રાત્રે વડોદરા લવાયા હતા. જ્યાં વર્ષાબેન ઠાકુરના આજે સવારે અંતિમ સંસ્કાર કરાયા હતા. જોકે પ્રવિણભાઇ પટેલ અને તેમના ભાભી સુમિત્રાબેન પટેલના પુત્રો કેનેડા અભ્યાસ […]