મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તરાર્ધ ઉત્સવને લઇને રંગબેરંગી રોશનીથી ઝગમગી ઊઠ્યું
મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરના સાંનિધ્યમાં મંગળવારથી શરૂ થઇ રહેલા બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવ પૂર્વે સૂર્યમંદિર સહિત સમગ્ર પરિસરને નવોઢાની જેમ રંગબેરંગી રોશનીથી સજાવાયું છે. ઉત્સવને મંગળવારે સાંજે 6-30 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લો મૂકશે. ઉલ્લેખનીય છે કે,પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતું, તેમાં ગુજરાતમાં સોલંકીયુગ દરમિયાન પાટણના રાજવી ભીમદેવ સોલંકીએ ઇ.સ. […]