જામનગરમાં તક્ષશિલા જેવી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ, એક પોલીસકર્મીએ દિલધડક રીતે 10 બાળકોના જીવ બચાવ્યા

સુરતનો તક્ષશિલાકાંડ આજે પણ અનેક લોકોની આંખોમાં ઝળઝળિયાં લાવી દે છે. આજે પણ આગમાં હોમાઈ ગયેલાં અને કોમ્પલેક્ષમાંથી કૂદતાં મારતાં એ બાળકો આજે પણ માનસપટ પર તરી આવે છે. તેઓને યાદ કરીને કાળજું કંપી ઉઠે છે. ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના બનવા છતાં પણ તંત્ર કે લોકો કોઈ શીખ મેળવવા તૈયાર નથી. જામનગરમાં આવી જ એક […]

વિદેશ જવાની ઈચ્છા રાખનાર લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, કેનેડાના નામે કમ્બોડિયા લઈ જઈ એજન્ટે બળાત્કારના ગુનામાં ફસાવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા

વિદેશ જવાની ઘેલછાનો કેટલાક લેભાગુ એજન્ટો કેવી રીતે ગેરલાભ ઉઠાવતા હોય છે તેનો કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયો છે. વિઝા એજન્ટે અમદાવાદના દંપતીને કમ્બોડિયા સુધી લઇ જઇ ત્યાં ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ રૂપિયા વસૂલ્યા હતા. મહામહેનતે આ ઠગ વિઝા એજન્ટ પાસેથી પોતાના પાસપોર્ટ મેળવીને અમદાવાદ પરત આવ્યાં હતા. અમદાવાદના સરદારનગરમાં […]

ક્યારેય નાપાસ નહીં થનાર એક તબ્બકે બે-બે વખત નાપાસ થયા બાદ IASમાં ટોપ કરનાર દાહોદ કલેક્ટરની રોચક સ્ટોરી

5 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ સફળ થવા માટેના અથાગ પ્રયત્નોમાં લાગેલા છે, તો કેટલાંકને વાંચન સાથે શું થશે તેવા વીચારો પણ કરી રહ્યા છે. પરીક્ષા આપતા પહેલાં પરિણામની ચીંતા વધુ ગંભીર છે. કારણ કે,શાળાની પરીક્ષાનું પરિણામ જ તમારૂ ભવિષ્‍ય નક્કી નથી કરતું. અહીં આજે એવા વ્યક્તિની વાત કરવી છે જેમની માર્કશીટમાં […]

જયપુર એરપોર્ટ પર નોકરી કરતી મહિલાએ ગામડાંની 18 મહિલાઓને ફ્લાઈટમાં તિર્થયાત્રા કરાવી

જયપુર એરપોર્ટ ટર્મિનલમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત સીએલ મીનાએ ગામની 18 મહિલાઓને ફ્લાઈટથી 5 દિવસની તીર્થયાત્રા કરાવી. સામાજીક કાર્યોમાં રુચિ રાખનારા મીના દૌસા જિલ્લાના કાલાખોહ ગામના રહેવાસી છે. તેઓ વર્ષ 2008થી જયપુર એરપોર્ટ પર કામ કરે છે. મીનાએ મહિલાઓને પ્લેનથી યાત્રા કરાવવાના આઈડિયા વિશે જણાવ્યું કે, આ બધી મહિલાઓનું સપનું પૂરું કરી મને ઘણી ખુશી થઈ […]

ભારતમાં પણ કોરોનાનો કહેર: કુલ આંકડો 28 થયો, ઈટાલીથી ભારત ફરવા આવેલા 16 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ

ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, જે સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે ભારતમાં કોરોના વાઈરસના 28 કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી ભારતમાં ફરવા આવેલું ગ્રુપ આ વાઈરસનો શિકાર બન્યું છે. જેમાં કુલ 16 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝીટીવ […]

ઈરાનમાં કોરોના વાયરસની ભયાનક સ્થિતિ સર્જાતા રાતોરાત સેનાના 3 લાખ સૈનિકોને ઉતાર્યા મેદાને

ઈરાનમાં કોરોના વાયરસનો કહેર ભયજનક રીતે વધી રહ્યો છે. તેનો સામનો કરવા માટે સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખૈમેનીએ કોરોના વાયરસને લઈને આદેશ જાહેર કર્યો છે. ચીન બાદ કોરોના વાયરસથી સૌથી વધારે જો ક્યાંય મોત નિપજ્યા હોય તો તે છે ઈરાન. ઈરાનમાં આ ભયંકર બિમારી ફેલાઈ રહી છે ત્યારે ઈરાનની […]

પાલનપુરમાં અજાણ્યા શખ્સે રેલવે પોલીસ સ્ટેશન પાસે 4 વર્ષીય બાળકીને બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ

પાલનપુર રેલવેના જીઆરપીએફ પોલીસ મથક બાજુમાં જ આવેલા કંડમ ક્વાર્ટર્સમાં સોમવારે બપોરના સમયે 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. તેને લોહી લુહાણ હાલતમાં છોડીને કોઈ નરાધમ રફુચક્કર થઇ જતા બાળકી તરફડતી હાલતમાં કેન્ટિનના કર્મીને નજરે પડતા સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી હતી. જોકે ત્યાં તેની હાલત ગંભીર જણાતા તેને અમદાવાદ રીફર […]

બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીની રિસિપ્ટ ખોવાય જાય તો પરીક્ષા ખંડના સાથી પરીક્ષાર્થીને પૂછીને પરીક્ષા આપવા દેવાશે

આગામી 5મી માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. આ વખતે પ્રથમ વખત રિસિપ્ટ ઓનલાઇન શાળા ડાઉનલોડ કરીને આચાર્યની સહિ સિક્કા કરીને રિસિપ્ટ આપી છે. વિધાર્થી આ રિસિપ્ટની ત્રણ જેટલી ઝેરોક્ષ કઢાવી નાખવી જોઇએ. પરીક્ષાર્થીઓએ રિસિપ્ટનો સપૂર્ણ અભ્યાસ કરી લેવો જોઇએ પરીક્ષાર્થીની રિસિપ્ટ ખોવાઇ જાય […]

તુલસીનું પાણી ડાયાબીટિસ, માઈગ્રેન તેમજ ખાંસીમાં છે લાભદાયી, આ રીતે બનાવો અને પીવો પછી જુઓ કમાલ

શરીરમાં ઓક્સિજન ઓછું હોય તો તેની સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. શરીરમાં ઓક્સિજન ઓછું થવાનું કારણ મોટેભાગે પ્રદૂષણ હોય છે. પ્રદૂષણના કારણે શરીરમાં ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું થઈ જાય છે. આટલું જ નહીં એલર્જી, માઈગ્રેન, ફેફસાંમાં ઈન્ફેક્શન, ઉધરસ અને આંખોની નબળાઈ પણ પ્રદૂષણના કારણે થાય છે પરંતુ આ બધાના કારણે શરીરમાં ઓક્સિજન ઓછું […]

સુરતમાં વરાછામાંથી કોથળામાં પેક કરાયેલી યુવકની લાશ મળી, હત્યાની થઈ હોવાની આશંકા

સુરત શહેરમાંથી ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ નજીકથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. કોથળામાં પેક કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસને યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે. બનાવની વિગત એવી છે કે આજે બપોરે પોલીસને ભવાની […]