વડોદરામાં 5 સભ્યોનો આખો પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો, પતિ-પત્ની-પુત્રી-પુત્રવધુ બાદ હવે પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ, રાજ્યમાં કોરોનાના 38 પોઝિટિવ કેસ થયા

કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચ્યો હતો. મંગળવારે દિવસ દરમિયાન ચાર દર્દીને હાશકારો અનુભવાયો હતો. કારણ કે એકને હોસ્પિટલમાંથી […]

લોકડાઉનમાં AMC આવશે લોકોની વ્હારે, ડોર ટુ ડોર રીક્ષા મારફતે શાકભાજી અને ફળફળાદિ પહોંચાડશે, માર્કેટમાં ભીડ ન થાય એટલે લેવાયો નિર્ણય

કોરોના વાઇરસને લઇને સરકારે 21મી દિવસો સુધી કર્ફ્યૂ લગાવ્યો છે. ત્યારે અમદાવાદીઓ કોરોનાની સામે લડવા માટે મક્કમ છે. લોકો ઘરની બહાર શાક લેવા માટે ના જાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનપા ડોર ટુ ડોર રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચશે. UCD વિભાગના કર્મચારીઓ અને સ્માર્ટ રિક્ષા સંકલન કરી લોકોના ઘર […]

સુરતના બિલ્ડરે સરકારને કરી ઓફર- મારી કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે તેમાં 400 બેડની હંગામી હોસ્પિટલ બનાવો

કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને ઓફર કરી છે તેમની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગ તૈયાર છે તેમાં સરકાર 400 બેડની હંગામી હોસ્પિટલ ઊભી કરી શકે છે. સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળાએ જણાવ્યું કે, હાલના સમયમાં જે […]

વડાપ્રધાન મોદીની મોટી જાહેરાતઃ આજે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાતઃ 3 અઠવાડીયા સુધી […]

ચીનમાં નવો ફેલાયેલો ‘હંટા વાયરસ’ જેને લોકો મહામારી સમજીને ભય ફેલાવી રહ્યા છે, એનાથી ડરવાની જરૂર નથી, જાણો એ શું છે

કોરોનાવાઈરસ નામના દુશ્મનથી હજુ દુનિયાએ છૂટકારો પણ નથી મેળવ્યો. તેવામાં ચીનમાંથી જ ઉદભવેલા Hantavirus હેન્ટાવાઈરસે હાહાકાર મચાવ્યો છે. ટ્વિટર પર # Hantavirus ટ્રેન્ડિંગ પર છે. તેને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે તો કેટલાક લોકો મીમ્સ પણ બનાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ વાઈરસથી ડરવા જેવી કોઈ વાત જ નથી. ન […]

સ્પેનમાં પરિસ્થિતિ વકરીઃ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાતા પથારીઓ ખૂટી પડી, દર્દીઓ જમીન પર સૂવા મજબૂર

કોરોના વાયરસથી યુરોપની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ઈટાલીમાં તો 5,500થી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. હવે સ્પેનમાં પણ આ વાયરસે ભયંકર પરિસ્થિતિ સર્જી રહ્યા છે. સ્પેનની એક હોસ્પિટલના દ્રશ્યો જે જોવા મળ્યા છે તે જોઈને ભલભલાનું હ્રદય હચમચી જશે. જેમાં કોરોના વાયરસના દર્દીઓ ભોંયતળીયે સૂઈ ગયા છે અને મેડિકલ સ્ટાફ તેમની […]

કોરોનાથી બચવા સુરતની સોસાયટીનો નવતર પ્રયોગ, રેસિડન્સી સિવાયનાં બહારનાં લોકોને પ્રવેશ મળશે નહીં, લગાવ્યા બોર્ડ

કોરોના વાયરસ અંગે લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યાં છે. આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાને કારણે થતો હોય છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં સુરતનાં રેહેઠાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓએ કોરોનાનાં સંક્રમણથી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. એક સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, બહારનાં લોકોને અંદર પ્રવેશ મળશે નહીં. કોરોના વાઇરસે દેશ સાથે દુનિયામાં હાહાકાર […]

સુરત પોલીસનો નવતર પ્રયોગ- લોકોને ‘હું સમાજનો દુશ્મન છું’ તેવા પોસ્ટર પકડાવી લોકડાઉનમાં બહાર નીકળેલા લોકોનાં ફોટા પાડ્યા

ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો બીજા અને ત્રીજા તબક્કાની શરૂઆતમાં થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને 31મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં ગુજરાતમાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાં હાલ અનેક એવા લોકો છે જે ઘરની બહાર નીકળીને સરકારનાં નિયમોની […]

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

રાજ્યમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. આમ કોરોનાના કહેરને રોકવા માટે રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ આ તમામ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં ચઢાવવામા આવશે. તેની સાથે સાથે રાજ્યની તમામ શાળાઓમા રજા જાહેર કરી છે. ધોરણ 1થી 9 […]

ગુજરાતી જાંબાઝ લેડી પાયલોટ સ્વાતિ રાવલ, ઈટાલીમાં કોરોનાના ભયથી ફસાયેલા 263 ભારતીયોને હેમખેમ પરત લઈ આવી

ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશના ઘણાં રાજ્યોને સંપૂર્ણરીતે લૉકડાઉન કરવામાં આવ્યા છે. યુરોપનું ઈટાલી કે જ્યાં કોરોના વાયરસની ભારે અસર જોવા મળી રહી છે ત્યાંથી 263 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એર ઈન્ડિયાનું વિશેષ વિમાન ભારત પરત ફર્યું છે. એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને ઈમિગ્રેશન બાદ તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન સુવિધા કેન્દ્રમાં મોકલી આપવામાં […]