હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે દુનિયાભરમાં ડંકો વગાડનાર ગુજરાતી ડોક્ટર કોરોનાના દર્દીઓની સારવાર કરતા ખુદ કોરોનાની ઝપેટમાં આવી જતાં થયું મોત

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની મહામારીએ અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આજે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આરોગ્યની સેવાઓને કોઈ પહોંચે એમ નથી તેમ છતાં કોરોના સામે અમેરિકા,ચીન, ફ્રાન્સ, સ્પેન અને ઈટલી જેવા દેશોએ ઘૂંટણીએ પડી ગયા છે. ભારત કરતા અન્ય દેશોમાં કોરોના વાયરસનો વ્યાપ વધારે હોવાથી ત્યાં સેંકડો લોકો મૃત્યું પામી રહ્યા […]

લોકડાઉનમાં વડોદરાના 90 વર્ષની વૃદ્ધા મુશ્કેલીમાં મૂકાતા પોલીસે ઘરે પહોંચીને દવા અને કરિયાણાની મદદ કરી

કોરોના વાઈરસને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ તંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથોસાથ માનવ સેવા પણ બખૂબી કરી રહી છે. વડોદરા પોલીસ દ્વારા વડોદરાના જૂના પાદરા રોડ પર આવેલી શક્તિપાર્ક સોસાયટીમાં એકલવાયી જિંદગી જીવતી 90 વર્ષના વૃદ્ધાને દવા અને જીવનજરૂરી ચિજવસ્તુઓની કીટ અને રોકડ સહાયની મદદ પહોંચાડી હતી. 90 વર્ષની વૃદ્ધ મહિલા લોકડાઉનમાં મુશ્કેલીમાં […]

લોકોને કંટાળો ના આવે તે માટે પોલીસે સોસાયટીમાં ગરબાનું આયોજન કર્યું, પણ મહિલા PIને વર્દી પહેરી ગરબે ઘૂમવાનું ભારે પડ્યું, કરાયા સસ્પેન્ડ

લોકડાઉન વચ્ચે સતત ઘરમાં રહેતા લોકોને થોડું મનોરંજન મળે તે માટે યોજાયેલા ગરબામાં પોતે જ ગરબે ઘૂમવું બોપલના મહિલા પીઆઈને ભારે પડી ગયું છે. બોપલની સફલ પરિસર સોસાયટીમાં આયોજીત કરાયેલા ગરબામાં પીઆઈ અનિલા બ્રહ્મભટ્ટ વર્દીમાં જ ગરબા રમતા નજરે પડ્યા હતા. જોકે, પીઆઈને વર્દીમાં ગરબે ઘૂમતા જોઈ તેમજ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ના જળવાતા તેની […]

‘સિવિલ હૉસ્પિટલમાં ફરજ બજાવો છો તો કોરોના તો નથી થયો ને?’ સુરતમાં મહિલા તબીબ સાથે ગેરવર્તન કરનાર પાડોશીની કરાઈ ધરપકડ

હાલ રાજ્ય અને દેશમાં કોરોના (Coronavirus)નું સંકટ વધ્યું છે. આ સમયે તબીબો (Doctors) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દી (Corona Patients)ઓની સારવાર કરી રહ્યા છે. આ સમયે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Civil Hospital)માં ફરજ બજાવતા એક મહિલા તબીબ (Woman Doctor) સાથે તેના પાડોશીએ મારામારી કરીને દુર્વ્યવહાર (Misbehavior) કર્યાનો કેસ સામે આવ્યો છે. આ અંગે વીડિયો સોશિયલ […]

કોરોના મહામારીના સંકટના સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ બન્યો ગરીબોનું આશ્રય સ્થાન

કોરોના મહામારીના સંકટના આ સમયમાં અમદાવાદનો ઈસ્કોન મોલ ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક આશીર્વાદરૂપ બની ગયો છે. ઈસ્કોન મોલ દ્વારા લોકડાઉનમાં હિજરત કરી રહેલાં 150 લોકો માટે પોતાના દરવાજા ખોલી દીધા હતા. અને તેમના માટે ખાવા-પીવા સહિતની વ્યવસ્થાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી. કોઈ વખતે ખરીદી કરનારા વર્ગથી ઉભરાતો આ મોલ આજે જરૂરિયાતમંદ લોકોની […]

ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં 19 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 165, અમદાવાદમાં 13 અને પાટણમાં 3 કેસ નોંધાયાઃ જયંતિ રવિ

રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના 33 જિલ્લામાંથી 17 જિલ્લામાં કોરોનાના ચેપગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.કોરોના અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ગઇકાલથી અત્યાર સુધીમાં 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં […]

કુપવાડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં પેરા યુનિટના 5 જવાન શહીદ, 5 ઘુષણખોર ઠાર

આ વર્ષના સૌથી મુશ્કેલ ઓપરેશનમાં સેનાની 4 પેરા યુનિટના જવાનો શહીદ થયા છે. જોકે રવિવારે ખતમ થયેલા આ એન્કાઉન્ટર દરમિયાન સેનાની સૌથી મુશ્કેલ ટ્રેનિંગ લેનારી પેરા યુનિટના 5 જવાન શહીદ થઇ ગયા. આર્મીની આ એ જ યુનિટ છે જેણે 2016માં ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું. 1 એપ્રિલથી ઓપરેશન ચાલુ હતું સેનાએ ડ્રોન […]

લોકડાઉના કારણે દીકરાઓ ન પહોંચી શકતા પુત્રવધૂએ સાસુના અંતિમ સંસ્કાર કર્યા

મહામારી (Pandemic) કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણને ફેલાતો રોકવા માટે દેશભરમાં લૉકડાઉન (Coronavirus) લાગુ છે. એવામાં ઉત્તર પ્રદેશના દેવરિયાની એક ઘટનાએ લોકોની આંખો ભીની કરી દીધી છે. સુમિત્રા દેવીનું શુક્રવાર અચાનક મૃત્યુ થઈ ગયું. તેમના ત્રણ દીકરા હોવા છતાંય અંતિમ સમયમાં કોઈ તેમની પાસે નહોતું કારણ કે આ ત્રણેય દીકરા અલગ-અલગ સ્થળે નોકરી કરે છે અને […]

કોરોના વાયરસના સાજા થયેલા દર્દીઓ પર થયું રિસર્ચ, શરીરમાં કેટલા દિવસ રહે છે કોરોના વાયરસ? સાજા થયેલા દર્દીઓથી આટલા દિવસ દૂર રહેવું

કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં પણ ધીમે-ધીમે ગતિ પકડી રહ્યું છે. અત્યાર સુધી આ જીવલેણ વાયરસ 57 લોકોને ભરખી ગયો છે. દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 2000ની નજીક પહોંચી ગઈ છે. 171 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે. જો કે, આ વાયરસથી સાજા થયેલા લોકો પર સ્ટડી હાથ ધરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા પરિણામ સામે આવ્યા છે. સંક્રમિત […]

કોરોના સામેની લડાઈમાં બાલાજી વેફર્સે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું, મુખ્યમંત્રી રાહત ફંડમાં 75 લાખ અને PM કેરમાં 25 લાખ આપ્યા

સમગ્ર વિશ્વ સામે હાલ કોરોનાનું સંકટ છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમિતની સંખ્યા 144 પર પહોંચી છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ, સ્પોર્ટસ પર્સન, બોલીવૂડ સેલેબ્સ મદદ માટે આગળ આવી રહ્યા છે. રાજકોટમાં આવેલ બાલાજી વેફર્સ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી છે. રાજકોટ […]