જૂનાગઢના ભવનાથમાં માનવભક્ષી દીપડાનો આંતક, સૂતેલા સાધુ પર હુમલો કરતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું..

જૂનાગઢમાં હાલ દીપડાના હુમલામાં એક સાધુનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. જૂનાગઢના ભવનાથમાં દીપડાએ સાધુ પર હુમલો કરતા સાધુનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ માનવભક્ષી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી. વનવિભાગ અને પોલીસે હાથ સંયુક્ત ઓપરેશન ચલાવીને તપાસ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં દીપડાએ બે સાધુ પર હુમલા કરી અને ફાડી […]

કોરોના સામે લડી રહેલા યુવકે મરતા પહેલા પત્નીને લખ્યો ભાવુક મેસેજ, વાંચીને તમારી આંખ પણ ભરાઈ આવશે

અમેરિકામાં કોરોના વાઈરસને લીધે અત્યાર સુધી 50 હજાર લોકો મોતને ભેટ્યા છે. આ દરમિયાન ઘણા લોકો તેમના સ્વજનોથી છૂટા પડી રહ્યા છે. ડેનબરી શહેરના એક પતિએ દુનિયાને અલવિદા કહેતા પહેલાં પત્ની અને બાળકો માટે ભાવુક મેસેજ લખ્યો. આ મેસેજ વાંચીને ભલભલાનું હ્રદય પીગળી જાય. 32 વર્ષનો જોનથન કોરોના સામે લાંબી લડાઈ બાદ હારી ગયો. જોન […]

કોરોના સામેની જંગમાં સરપંચોની સૂઝબૂઝ અને ગામડાંના લોકોની જાગૃતતા શહેરીજનો એ પણ અપનાવવાની જરૂર છે

રાજ્યમાં અમદાવાદ સહિત સુરત બરોડા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં કોરોનાનો કહેર છે. ત્યારે આ શહેરના સત્તાધીશો કરતા ગામડાના સરપંચોની સૂઝબૂઝની સાથે લોક ડાઉનના કડક અમલના લીધે ગુજરાતના 90% થી વધુ ગામડા કોરોનાથી સલામત રહ્યા છે. ગામડાના લોકો અને સરપંચની કામગીરીને ખુદ વડાપ્રધાને પણ વખાણી હતી ત્યારે, શહેરીજનો અને સત્તાધીશોએ ગામડા પાસેથી શીખવું પડે તેમ […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 256 પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 3071, સૌથી વધુ અદાવાદમાં 182 કેસ નોંધાયા

કોરોના વાયરસે ગુજરાતમાં ભર઼ડો લીધો છે. આજે તો કેન્દ્રની એક ટીમ પણ અમદાવાદ અને સુરતમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 256 નવા કેસ નોંધાયા […]

ભારતમાં લોકડાઉનના લીધે 20 વર્ષમાં પહેલી વખત થયો ચમત્કાર, પ્રદૂષણમાં સ્તરમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો, NASAએ આપી માહિતી

દેશમાં કોરોનાવાયરસના લીધે 40 દિવસનું લોકડાઉન લાગ્યું છે. 3 મે સુધી આ લાગૂ રહેશે. આ દરમ્યાન દેશના કેટલાંય ભાગમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. અમેરિકન સ્પેસ એજન્સી NASAના મતે ઉત્તર ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં આવો ઘટાડો નોંધાયો છે. એજન્સીના સેટેલાઇટ સેન્સરે જાણ્યું કે ઉત્તર ભારતમાં એયરોસોલ લેવલ એટલે કે વાયુ પ્રદૂષણ છેલ્લાં 20 વર્ષમાં સૌથી […]

અમદાવાદ સિવિલની મહેકી માનવતા, પિતાને કોરોના થતાં નોંધારા બનેલાં 3 બાળકો માટે સિવિલના સ્ટાફે પાલક માતા-પિતાની ગરજ સારી

હાલ અમદાવાદ શહેરને કોરોના વાયરસે પોતાની ચપેટમાં લઈ લીધું છે. આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એક લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક યુવકને કોરોના આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તેનાં 3 બાળકો નોંધારા બની ગયા હતા. આ બાળકોની માતા ન હોવાથી બાળકો સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં એકલા રમી રહ્યા હતા. […]

પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું 8 કલાકમાં મોત થતાં ફટકાર્યું રુ. 80,000નું બિલ! કોરોનાની ટ્રીટમેન્ટના નામે લૂંટ ચલાવી રહી છે પ્રાઈવેટ હોસ્પિટલો?

કોરોનાની સારવારનો પ્રાઈવેટ હોસ્પિટલો તગડો ચાર્જ વસૂલી રહી છે, તેવા આક્ષેપ વચ્ચે એક હોસ્પિટલે આઠ કલાકમાં મોતને ભેટેલા એક પેશન્ટની બોડી પાછી આપવા 80,000 લેવાની ઘટના સામે આવી છે. 27 વર્ષના યુવકને સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો યુવકની ટ્રીટમેન્ટ […]

અમદાવાદમાં લોકડાઉનમાં મહેકી ઉઠી માનવતા, મુસ્લિમ પાડોશીઓએ ઘરમાં એકલા રહેતાં હિન્દુ શિક્ષિકાના કરાવ્યા અંતિમ સંસ્કાર

માનવતાની એક હ્રદયસ્પર્શી ઘટનામાં મુસ્લિમ પાડોશીઓએ શહેરમાં મૃત્યુ પામેલી હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર કરાવ્યા. ખાનપુરમાં આવેલી ઉષા કિરણ બિલ્ડિંગમાં એકલા રહેતા 75 વર્ષના મંદાકીની ત્રિપાઠીનું ગુરુવારે આકસ્મિત રીતે ઘરમાં પડી જતા કલાકોમાં મોત નિપજ્યું હતું. મંદાકીની બહેનના પાડોશીઓ અમેરિકામાં રહેતા તેમના ભત્રીજા સાથે સંપર્કમાં હતા. જેણે જણાવ્યું કે શહેરમાં તેમના બે દૂરના સંબંધીઓ રહે છે. […]

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘કોરોના વાઇરસ ફ્લૂ નથી, અમેરિકા પર કરાયેલો હુમલો છે’, ચીને અમેરિકાને વુહાન લેબમાં જવા માટે મંજૂરી ન આપી

વિશ્વમાં સૌથી ખરાબ રીતે કોરાના વાઇરસના સંક્રમણમાં સપડાયેલા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેને દેશ પરનો હુમલો ગણાવ્યો છે. અમેરિકામાં 8.50 લાખ લોકો સંક્રમિત છે, જ્યારે 50 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. હિલ ન્યૂઝ વેબસાઇટ મુજબ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસમાં નિયમિત બ્રીફિંગમાં કહ્યું કે આ એક હુમલો છે. કોરોના વાઇરસ કોઇ ફ્લૂ નથી. ક્યારેય પણ […]

લંડનમાં ભરૂચના ડૉક્ટરનું કોરોનાથી થયું મોત, મેડીકલ સ્ટાફના હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ !! ૐ શાંતિ !!

લંડનમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. ઈસ્ટ લંડનમાં રેહતાં મૂળ ભરૂચના ડૉ. યુસુફ પટેલનું કોરોનાના કારણે મોતથયું હતું. ડૉ. યુસુફ પટેલના મૃતદેહને કારમાં હોસ્લિટલ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં મેડીકલ સ્ટાફે ઉભા રહી તાળીઓથી વધાવી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા […]