ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા કેસ અને 27ના મોત, રાજ્યમાં કુલ કેસ 16365- મૃત્યુઆંક 1007 થયો
સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉન-5.0ના નવા નામ સાથે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેટલીક બાબતોની મંજૂરી તો કેટલાક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. […]