રાજકોટમાં સિવિલ હોસ્પિટલે બતાવી સાચી સૂરત, ગંદી ચાદરો, ફાટેલા ગાદલા જોઈ કોરોનાના દર્દીઓના હોંશ ઉડ્યા, બે દી’ ત્યાં રાખી ફરી શિફ્ટ કરાશે
રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે સારવારની પૂરી સગવડતાની સુફિયાણી વાતો કરનાર આરોગ્ય કમિશનર રાજકોટથી રવાના થયા તેના 24 જ કલાકમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી 28 દર્દીને આઈસોલેશન વોર્ડમાંથી કાઢીને ગંદકીથી ખદબદતા વોર્ડમાં શિફ્ટ કરાયા છે.કોવિડ હોસ્પિટલમાં 250 બેડની ક્ષમતા છે તેમાં 210 જેટલા દર્દીની સારવાર ચાલી રહી છે, જે લોકો શરદી, ખાંસી તેમજ તાવ જેવા કોરોનાના લક્ષણો […]