ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 783 કેસ નોંધાયા અને 16 મોત થયા, કુલ કેસ 38 હજારને પાર, મૃત્યુઆંક 2 હજારની નજીક

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 783 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 38,419 પર‬ પહોંચ્યો છે. આ […]

એસિડિટી માટેના આ છે સરળ આયુર્વેદ ઉપચાર, ચોક્કસ મળશે રાહત, જાણો અને શેર કરો

પેટમાં બળતરા કે એસિડિટી થવાની ફરિયાદ સમાજના મોટાભાગના સ્ત્રી પુરુષોમાં હોય છે. ખોરાકના પાચન માટે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતા એસિડનું પ્રમાણ જ્યારે વધારે નીકળે ત્યારે પેટમાં બળતરા થાય તેને એસિડિટી થઈ કહેવાય. કોઈપણ જાતનો માનસિક તણાવ હોય ત્યારે હોજરીની ગ્રંથિઓમાંથી નીકળતો એસિડ વધારે પ્રમાણમાં નીકળે એટલે હોજરીની અન્તરત્વચા ઉપર બળતરા થાય છે. આ વ્યાધીમાં કેટલાક આયુર્વેદિક […]

વડોદરામાં રક્ષક જ બન્યા ભક્ષક! પોલીસકર્મીએ આરોપીને મોતને ઘાટ ઉતારી, પુરાવા રફેદફે કર્યાનો આક્ષેપ

વડોદરામાં પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાતા. પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ છે. ફતેગંજ પોલીસ મથકના પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપીને એવો માર માર્યો કે તેમનું મૃત્યું થઇ ગયું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો. આટલું જ નહીં પોલીસે શંકાસ્પદ આરોપીને મોતના ઘાટ ઉતાર્યા બાદ […]

પત્રકારના એક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી

સુરતમાં કોરોના કેસના આંકડામાં ફરક વિશે એક પત્રકારના સવાલના જવાબમાં CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને ખબર નથી. ત્યારે હવે મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં પત્રકાર પરિષદ કરી હતી ત્યારે સવાલ કરાયો હતો કે સુરત મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગના આંકડામાં કેમ ફરક […]

‘સ્વામી આપ ક્યાંથી પસાર થવાના છો? અમારે બદલી કરાવવી છે,’ વાડજ PIની બદલી બાદ સ્વામીને સંબોધતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રિ કરફ્યૂ દરમિયાન નિકળેલી એક ફોર્ચ્યૂનર કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા કેસ ગરમાવો પકડતો જાય છે. અમદાવાદના વાડજ PIની બદલી બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. સ્વામીને સંબોધતો પત્ર વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્રમાં બદલી કરવા અપીલનું લખાણ […]

આરોગ્ય વિભાગનો અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવાનો ‘ખેલ’ શરૂ, ગઈકાલે 20 જ મિનિટમાં આખી હકીકતનું રહસ્ય ખૂલ્યું

અનલોક-૨ના અત્યાર સુધીના છ દિવસમાં રોજ રેકોર્ડબ્રેક કેસોનો સિલસિલો સપ્તાહને અંતે પણ ચાલુ રહ્યો છે. મંગળવારે ૨૯ જિલ્લાઓમાં કોવિડ-૧૯ના ૭૭૮ પોઝિટીવ રિપોર્ટ મળતા કેસોની સંખ્યા વધીને ૩૭,૬૩૬એ પહોંચી છે. તેમાંય સુરતની સમૃધ્ધિને જાણે કોઈની નજર લાગી હોય સૌથી વધુ ૨૪૯ એટલે કે લગભગ ત્રીજાભાગના કેસ નોંધાયા છે. ગોલ્ડન કોરિડોર ગણાતાં વડોદરાથી વલસાડ વચ્ચેની પટ્ટીમાં જ […]

રાજકોટની મહિલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ રાખે છે જીવંત, બાળકોને શીખવે છે રામાયણ અને મહાભારતના પાઠ

મૂળ રાજકોટના અને હાલ હોંગકોંગમાં રહેતા પૂર્વીબેન બુટોલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ત્યાં બાળકો ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર થાય તે માટે શાળા અને સંસ્થામાં જઈને રામાયણ અને મહાભારતના પાઠ શીખવે છે. આ ઉપરાંત ભારતની રેસિપી, મહેંદી કળા, હિન્દી ભાષા શીખવાડે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

જાપાની સંશોધકોનો દાવો- ચોકલેટ કોરોના વાઇરસની અસર ઘટાડે છે, રિસર્ચમાં જાણવા મળ્યું કે, ચોકલેટ મનને ખુશ રાખવાની સાથે ઇમ્યુનિટી વધારે છે

કોરોનાકાળમાં વાઇરસનો ચેપ લાગવાથી બચવું હોય તો ચોકલેટ ખાઓ. આ દાવો જાપાની સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. સાયન્સ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ચોકલેટ પ્રાકૃતિક રીતે શરીરની ઇમ્યુનિટી વધારે છે. ચોકલેટ ખાવાની અસર ઇન્ફ્યુએન્ઝા વાઇરસ પર જોવા મળી. રિસ્રચમાં જાણવા મળ્યું કે, જે લોકો ચોકલેટ ખાય છે તેમના વેક્સીનેશન […]

4 વર્ષમાં પક્ષીઓને બેસવા ખેતરમાં 500 વૃક્ષો ઉછેર્યા અને ખેતરને બનાવી દીધું ‘કલરવ’ નામનું પક્ષી વન

વડોદરા. પક્ષી ત્યાં વસવાટ કરે છે જ્યાં તેમના મનગમતા વૃક્ષો હોય. સિવિલ એન્જિ. સુહાસ મજુમદારે પક્ષીઓ માટે શહેરથી 25 કીમી દુર ઉમરેટાથી 5 કીમી આવેલા મોટી સાંખ્યાડ પાસે આશરે દોઢ વીઘા જમીનમાં ‘કલરવ’ નામનું પક્ષીઓનું નાનુ વન બનાવ્યું છે. જેમા પક્ષીઓને મનગમતા 500 જેટલા ઝાડનો ઉછેર કર્યો છે. સુહાસ મજમુદારે જણાવ્યું હતું કે, યુનિ.માં અભ્યાસ […]

ગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ આજે પણ રેકોર્ડબ્રેક 778 કેસ નોંધાયા, કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 778 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 37,636 પર‬ પહોંચ્યો છે. આરોગ્ય […]