સવારે ખાલી પેટ સૂકી દ્રાક્ષનું પાણી પીવાથી શરીરનાં ઝેરી તત્ત્વો થશે દૂર, હાર્ટ-અટેકનું જોખમ પણ ઘટાડે છે, કિસમિસનું પાણી પીવાના અઢળક ફાયદા જાણો અને શેર કરો

દ્રાક્ષ એક એવું ડ્રાય ફ્રૂટ છે, જેમાં રહેલાં પોષક તત્ત્વો તમને ઘણી બીમારીથી બચાવે છે. જો તમે કિસમિસ એટલે સૂકી દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળેલી રાખી તેનું સેવન કરો તો એના ફાયદાઓ વધી જાય છે. તે ગ્લોઈંગ સ્કિન કરવામાં મદદ કરે છે. આયર્નની ઊણપમાં પણ એ ફાયદાકારક છે. જાણો દરરોજ કિસમિસનું પાણી પીવાથી કેવા ફાયદા […]

જીવનભર શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આયુર્વેદમાં જણાવેલા 5 નિયમોનું કરો પાલન: હૃદય અને કિડનીના રોગોનું જોખમ ઘટશે અને પેટ રહેશે તંદુરસ્ત

જો તમે તમારા શરીર અને હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોવ, તો તમે આયુર્વેદમાં જણાવેલા નિયમોનું પાલન કરી શકો છો. નિયમોના જણાવ્યા પ્રમાણે, સવારે વહેલા ઊઠો અને હુંફાળા પાણીથી દિવસની શરૂઆત કરવી. સવારે 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો. તે તમને આખો દિવસ એનર્જેટિક રાખે છે અને 6થી 8 કલાકની ઊંઘ તણાવથી દૂર રાખે છે. પૂરતી […]

દીકરાએ માર મારી હાથ તોડી નાખ્યો, ચા વેચીને ગુજારો કરતા અમ્માં – બાબાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં મદદે આવ્યા લોકો

આજે ભલે દિલ્હીમાં બાબા કા ઢાબા ફેમસ છે પરંતુ થોડા સમય પહેલા તેમને કોઇ જાણતુ પણ નહોતું. View this post on Instagram We came to know about 70 year old baba n amma selling tea near Sector-13 Dwarka, Delhi . there condition is very bad right now and baba hand and backbone is fractured . […]

‘વિધિ કરાવશો તો ધંધો સારો ચાલશે’ એવું કહીને સુરતમાં તાંત્રિકે પ્રસાદ ખવડાવી કતારગામની મહિલા સાથે દુષ્કર્મ ગુજારીને જાળમાં ફસાવી

સુરતની યુવતીએ પોતાનો વેપાર બરાબર ન ચાલતો હોવાને લઇને વડોદરાના એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી. જોકે આ વિધિ દરમિયાન સુરતની યુવતી સાથે તાંત્રિકે દુસ્કર્મ આચર્યુ હતું. આ તાંત્રિક વિરુદ્ધ ભાવનગર ખાતે દુસ્કર્મની ફરિયાદ નોંધાતા સુરતની યુવતી એ પણ આ તાંત્રિક વિરુદ્ધ હિંમત કરી કતારગામ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. સુરતના કતારગામ ખાતે રહેતી […]

દીકરીના લગ્નમાં કર્યો હતો 500 કરોડનો ખર્ચ, લક્ષ્મી મિત્તલના સગા ભાઈ આજે બ્રિટેનના સૌથી નાદાર વ્યક્તિ બની ગયા

સ્ટીલ કિંગના નામથી મશહૂર લક્ષ્મી મિત્તલ (Lakshmi Mittal)ના નાના ભાઈ પ્રમોદ મિત્તલ (Pramod Mittal) બ્રિટેનના સૌથી મોટા બેંકરપ્ટ(નાદાર) કરવામાં આવી શકે છે. પ્રમોદ મિત્તલે ક્યારેક પોતાના દીકરીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જે બાદ તે સતત ચર્ચામાં રહ્યા હતા. અને હવે તેમના પર હજારો કરોડનું દેવું છે. પ્રમોદ મિત્તલનું કહેવું છે કે, તેના […]

સુરતના 101 વર્ષના બાએ જન્મ દિવસની કરી ઉજવણી: કોઈ પણ રોગ વગર 101 વર્ષની ઉંમરે ઘરના શારીરીક કામ જાતે કરીને તંદુરસ્ત રહ્યાં

સુરત શહેરના ભાદાણી પરિવારે સુંદરદેવી ભાદાણીના 101 જન્મ દિન નિમિત્તે ઉજવણી કરી હતી. આ વાત એટલા માટે ખાસ છે કારણ કે હજુ સુધી તેમને કોઈ પણ મોટી બિમારી થઈ નથી અને કોરોનાના સમયમાં તેઓ હેલ્ધી જીવન જીવી રહ્યા છે. આ માટે તેમણે ક્યારેય રેસ્ટોરન્ટ અને હોટેલ કે પ્રસંગોમાં જમ્યા નથી અને જવાનું થાય તો તેઓ […]

નવસારી સિવિલમાં ફરજ બજાવતી 28 વર્ષીય નર્સનો ફાંસો ખાઈ આપઘાત, ડ્યૂટી પર ત્રાસ અપાતો હોવાનો પરિવારનો આક્ષેપ

કોરોના વોરિયર્સ તરીકે નવસારીની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના ઘરે જ ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યના આપઘાતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પાંચ પાનાંની સુસાઇડ નોટ પોલીસે જપ્ત કરી છે. પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ […]

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાની સ્થિતિ ગંભીર, હોસ્પિટલમાંથી તસવીર આવી સામે

હાલ સમગ્ર દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તેમજ ગુજરાતમાં પણ દૈનિક 1000થી 1100 જેટલા કેસો સામે આવી રહ્યા છે. 20 ઓક્ટોબરના રોજ એક જમાનાના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોના સંક્રમિત થયા હતા. ત્યાર બાદ તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી આજે નરેશ […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1136 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,64,121 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 77 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોતનો 1 લાખ 17 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 1,136 નવા કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર […]

ઉપવાસમાં વપરાતો રાજગરો છે અનેક બીમારીઓમા ‘ઔષધ’, તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદા જાણો અને શેર કરો

રાજગરાનો (Rajgira) આપણે વર્ષોથી ઉપવાસમાં વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજગરાના સ્વાસ્થ્ય માટેનાં ફાયદાને ધ્યાનમાં રાખીને રોજબરોજનાં જીવનમાં પણ તેનો ઉપયોગ વધાર્યો છે. રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને આહારમાં ઉમેરવાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ મળે છે રાજગરો […]