અંકલેશ્વરમાં પાંચ વર્ષની દીકરીની સાથે દુષ્કર્મ આચરનાર બળાત્કારીને પિતાએ રહેંસી નાખ્યો

અંકલેશ્વર ખાતે બોરભાઠા ગામ ખાતે રહેતી એક પાંચ વર્ષીય બાળકીને (five Years old Raped in Ankleshwar) હવસખોર યુવાને રમવાની લાલચે શૌચાલયમાં લઈ જઇ તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ઉશ્કેરાયેલા બાળકીના પિતાએ (Father Killed Rapist of Daughter) યુવાનને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આમ દુષ્કર્મીને મોતની સજા મળી પરંતુ કાયદો […]

ગુજરાતના ચાર શહેરોમાં કોરોના કર્ફ્યૂ પણ નેતાઓને છૂટ, MLA આત્મારામ પરમારે ડીજેના તાલે રેલી કાઢી, મંત્રી પણ જોડાયા

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં ચાર શહેરોમાં કર્ફ્યૂ લાદવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અને સરકારના મંત્રી બિંદાસ્ત રેલીઓ યોજીને ભીડ ભેગી કરી રહ્યા છે. એટલું જ નહીં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના માસ્ક પહેરવાના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યાં છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં જોડાયેલા મંત્રી ગણપત વસાવા બેફામ બનીને જનતામાં […]

ચોટીલાથી પરત ફરતાં માલવણ હાઈવે પર અકસ્માતમાં એક સાથે સાત લોકોનાં મોત: ભાઈ અને બહેન બંનેનો આખો પરિવાર ભસ્મીભૂત, નાનકડા ગામમાં શોકનો માહોલ છવાયો

સુરેન્દ્રનગરના પાટડી નજીક ઇકો કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં સાંતલપુર તાલુકાના કોરડા ગામથી બહેન તેના પરિવાર સાથે ભાઈના ઘરે ગઈ હતી. ત્યાંથી દર્શનાર્થે ભાઈના પરિવાર સાથે દર્શને ગયા હતા. જો કે આ દર્શન ભાઈ અને બહેનના આ બે પરિવારોના માસૂમ બાળકો સહિત […]

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર: પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 1515 કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 1,95,917 થયો

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સ્થિતિ ફરી ભયજનક બનતા મનપા દ્વારા 2 દિવસનો કર્ફયું લાદવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધીના પ્રથમ વખત 1515 કેસ નોંધાતા ચિંતા વધી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1271 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,78,786 […]

ઠંડીમાં વધતા કોરોના વચ્ચે પીઓ આ એક ઉકાળો, શરદી-ઉધરસ-તાવથી મળશે રાહત, જાણો બનાવવાની સરળ રીત

ઋતુ બદલાવવાના કારણે ઘણી વખતે તાવ, શરદી, ઉધરસ (Cold – Cought) જેવી સમસ્યા થતી હોય છે જ્યારે હવે શિયાળો શરૂ થતા કોરોનાની (Corona virus)બીજી લહેર શરૂ થઇ ગઇ છે. તો આજે અમે તમારા માટે એક ઉકાળાની (Ukalo)રેસીપી લઇને આવ્યા છીએ જેની મદદથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો. આ ઉકાળાથી તમારી પાચન શક્તિમાં સુધારો […]

પોલીસ બની પુત્ર: આપઘાતના વિચાર સાથે વૃદ્ધે પોલીસ હેલ્પલાઇન પર ફોન કર્યો તો ASIએ સગા પુત્રની જેમ સાચવ્યા, હવે પુત્રની સાથે ખુશીથી જીવન જીવે છે

સુરત જિલ્લા પોલીસની સુસાઈડ પ્રિવેન્શન હેલ્પલાઇન નંબર પર એક દિવસ બપોરના સમયે એક ફોન આવ્યો. સામે છેડેથી એક વૃદ્ધે કહ્યું કે સાહેબ… હું ખૂબ કંટાળી ગયો છું. બે ટાઈમ પૂરતું ભોજન પણ નથી ખાઈ શકતો, સાથે-સાથે ડાયાબિટીસ અને બીપીની બીમારી છે, જેની દવા ખરીદવાના પણ પૈસા નથી. પગે સોજા આવી ગયા છે, બાથરૂમ જવું હોય […]

જૂનાગઢના વડાલમાં કાર શીખતા સમયે ભૂલથી રેસ આપતા કાર 80 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી, સગા સાળા-બનેવીનું ડૂબી જતા મોત

જૂનાગઢ (Junagadh) જિલ્લાના વડાલ ગામમાં (vadal village) એક કરુણ ઘટના (Tragic incident) બનવા પામી હતી. વડાલ ગામમાં વાડીએ કાર શીખવતા કાર વાડીમાં આવેલા 80 ફૂડ ઊંડા કૂવામાં (car fell into the well) ખાબકી હતી. પાણી ભરેલા કૂવામાં કાર સાથે સાળા બનેવી પણ ડૂબી ગયા હતા. આમ ડૂબ જતાં સગા સાળા બનેવીનું કરુણ મોત (drowning his […]

મોરબીમાં શિક્ષિકા બ્રેઇન ડેડ થતા લિવર, આંખો અને કિડનીઓનું અંગદાન કરાયું, પતિએ કહ્યું- પત્ની યોગ અને પ્રાણાયામના પ્રચારક હતા, હું તેના નામે ઓળખાતો અને ઓળખાઈશ

મોરબીમાં સિરામિક કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ નિભાવતા અલ્કેશ માહોતા આમ તો બંગાળી પણ વર્ષોથી મોરબીમાં જ સ્થાયી થયા અને પરિવારમાં પત્ની મોનાલિસા અને પુત્રી અનુપમા. પત્ની શિક્ષિકા તરીકે ફરજ બજાવે અને સાથે જ સામાજિક કાર્યોમાં અગ્રેસર તેમજ યોગ અને પ્રાણાયામમાં મોટા પ્રચારક હતા. 13મીએ સાંજે પુત્રી અનુપમા સાથે મોનાલિસાબેન ખરીદી કરવા ગયા અને પરત આવતાં […]

વડોદરામાં બે અનાથ ભાઇઓને દંપતીએ દત્તક લેતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા, 3 વર્ષ પહેલા ડૂબી જતા દંપતીએ બે પુત્રો ગુમાવ્યા હતા, આજે નવા સ્વરૂપમાં પરત મળ્યા

દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં બાળપણ વિતાવનાર બે ભાઇઓને કિશોરાવસ્થામાં માતા-પિતાની હૂંફ મળી છે. અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી એક સાથે બે પુત્રોને ગુમાવનાર વડોદરાના પ્રજાપતિ દંપતીએ દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં રહેતા બે સગા ભાઇઓને દત્તક લઇને સામાજિક જવાબદારી નિભાવી છે. દંપતીએ જણાવ્યું કે, આજે અમને બે પુત્રો મને પરત મળી […]

UPમાં લવ જેહાદ વિરુદ્ધ બનશે કાયદો: છેતરપિંડીથી લગ્ન કરનારને 5 વર્ષની કેદ અને ધર્મપરિવર્તન કરવા માટે મહિના પહેલા અરજી કરવી પડશે

મધ્યપ્રદેશની જેમ ઉત્તરપ્રદેશમાં પણ લવ જેહાદને અટકાવવા માટે કડક કાયદો બનાવવાની તૈયારી કરાઈ છે. મધ્યપ્રદેશ સરકારે લવ જેહાદ વિરુદ્ધ ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ 2020નો મુસદો તૈયાર કર્યો છે. ઉત્તર પ્રદેશનો ન્યાય વિભાગ પણ રાજ્ય માટે બની રહેલા કાયદાના મુસદાની બારીકાઈને ધ્યાનમાં રાખીને ડ્રાફ્ટ તૈયાર કરાવી રહ્યું છે. ગૃહ વિભાગે ન્યાય તથા કાયદા વિભાગને પ્રસ્તાવ બનાવીને મોકલ્યો છે. […]