માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો આવ્યો સામે, અમદાવાદમાં પૌત્ર આર્થિક રીતે સદ્ધર થતાં પરિવાર વડીલને વૃદ્ધાશ્રમમાંથી ઘરે લઈ ગયો
માતા-પિતાને વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમમાં મૂકી જનાર અનેક સંતાનો માટે પ્રેરણારૂપ કિસ્સો જીવનસંધ્યા આશ્રમમાં બન્યો છે. 83 વર્ષના હરિવદન ત્રિવેદી 11 વર્ષથી જીવનસંધ્યા આશ્રમમાં રહેતા હતા. શનિવારે તેમનો પરિવાર તેમને ઘરે પરત લેવા આવી પહોંચ્યો ત્યારે આશ્રમમાં રહેતા અનેક વૃદ્ધો હરખાયા હતા. હરિવદનભાઇ ત્રિવેદીએ મિલમાંથી નિવૃત્ત થયા બાદ ભાડાના મકાનમાં રહેવું પડતું હતું. તેમનો દીકરો કર્મકાંડના વ્યવસાયમાં […]